નાંદોદ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” યોજાઈ
“આંગણવાડી કાર્યકર બહેનો સહિત બાળકોના પોષણસ્તરમાં સુધારો કરવા માટે વાલીઓની ભુમિકા અતિમહત્વપૂર્ણ”, સ્પર્ધામાં યોગ્ય ઉંચાઈ અને વજનની દ્રષ્ટિએ પ્રથમ ત્રણ બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા
રાજપીપલા : નર્મદા જિલ્લામાં જી-૨૦ થીમ આધારિત પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત નાંદોદ ઘટકના આંગણવાડી કેન્દ્ર ખાતે નાંદોદ કારોબારી અધ્યક્ષા શ્રીમતી અશ્વિનીબેન વસાવાની અધ્યક્ષતામાં “સ્વસ્થ બાળક-બાલિકા સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી અશ્વિનીબેન વસાવાએ આ પ્રસંગે જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા બાળકોના પોષણસ્તરને સુધારવા માટે સરાહનીય કામગીરી થઈ રહી છે. જેમાં આંગણવાડી કાર્યકરો સહિત માતા- પિતાની ભુમિકા પણ અતિમહત્વપૂર્ણ છે. આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે હલકા ધાન્યને આહારમાં ઉપયોગ કરવા અંગે સમજણ પુરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ અને આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી
ક્રિષ્નાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નાંદોદ ઘટકના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી મૌસમબેન પટેલે બાળકોના પોષણસ્તરમાં સુધારો કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવીને જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજરોજ યોજાયેલી સ્પર્ધામાં યોગ્ય ઉંચાઈ અને વજનની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે પ્રતાપનગર-૧ આંગણવાડી કેન્દ્રમાંથી તનિષા વસાવા અને તરોપા-૨ આંગણવાડી કેન્દ્રમાંથી યશકુમાર વસાવા, બીજા ક્રમે
વાવડી આંગણવાડી કેન્દ્રમાંથી ધ્યાનકુમાર તેમજ માંગરોળ આંગણવાડી કેન્દ્રમાંથી અક્ષરકુમાર અંબાચિયાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જે બાદ ત્રણેય બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય બાળકોને પણ શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરી સૌ વાલીઓને બાળકોના પોષણ અંગે વિશેષ ભાર આપવા જાગૃત કરવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. એ.કે.સુમને પણ સરકારશ્રી, વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો સહિત બાળકોના પોષણસ્તરને સુધારવા માટે વાલીઓની ભુમિકા મહત્વ પૂર્ણ બતાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સ ધાન્યમાંથી તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું નિદર્શન કરીને બાળકોના આહાર તરીકે ઉપયોગમાં લેવા અંગે સમજણ પુરી પાડી હતી. જેમાં આઈ.સી.ડી.એસ. સ્ટાફ સહિત આંગણવાડી કાર્યકર, વાલીઓ સહિત નાના ભુલકાઓ હાજર રહ્યાં હતા.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.