ફોરમ મોલ, કોલકતા ખાતે પામ ઓઈલ અવેરનેસ પ્રોગ્રામ મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલ દ્વારા પહેલ
પામ તેલ ઉદ્યોગ તેના પૂરતા આર્થિક પ્રભાવ અને કિફાયતીપણાને લીધે વૈશ્વિક વેપારનો મુખ્ય ભાગ રહ્યો છે. હવે પામ તેલના અસલીલાભો વિશે ગ્રાહકોને માહિતગાર કરવાના પ્રયાસમાં ધ મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં કોલકતાના ફોરમ કોર્ટયાર્ડ મોલમાં ગ્રાહક જાગૃતિ પહેલ હાથ ધરવામાં આવી હતી.
કોલકતા : પામ તેલ ઉદ્યોગ તેના પૂરતા આર્થિક પ્રભાવ અને કિફાયતીપણાને લીધે વૈશ્વિક વેપારનો મુખ્ય ભાગ રહ્યો છે. હવે પામ તેલના અસલીલાભો વિશે ગ્રાહકોને માહિતગાર કરવાના પ્રયાસમાં ધ મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલ (એમપીઓસી) દ્વારા તાજેતરમાં કોલકતાના ફોરમ કોર્ટયાર્ડ મોલમાં ગ્રાહક જાગૃતિ પહેલ હાથ ધરવામાં આવી હતી. પામ તેલ આસપાસ ખોટી ધારણાઓને કારણે તેના અનેક પોષકીય લાભોથી લોકો વંચિત થઈ રહ્યા છે, જેને લીધે ગ્રાહકો આરોગ્યવર્ધક અને સંતુલિત આહાર જાળવવામાં પામ તેલની ભૂમિકા વિશે વાકેફ નથી.
કલકત્તા યુનિવર્સિટીની નામાંકિત હસ્તી પ્રો. પુબાલી ધરે પામ તેલ પર ભાર આપતાં જણાવ્યું કે બધાં અન્ય તેલની જેમ સંતુલિત આહારમાં પામ તેલ આરોગ્યવર્ધક ઘટક છે. ઉપરાંત પામ તેલ અને તેનાં ઘટક પામોલીનનો હિસ્સો રસોઈ માટે સામાન્ય રીતે વપરાતાં અન્ય ખાદ્યતેલો અને ફેટ્સ સાથે તેવા જ પાચનક્ષમ ગુણો ધરાવે છે.
પામ તેલ અને તેનું ઘટક (પામ ઓલીન અને સ્ટીયરિન) માનવી ઉપભોગ માટે ખાદ્ય તેલ અને ફેટ્સ તરીકે અનુકળ હોવાની માન્યતા છે, એમ કોડેક્સ એલિમેન્ટરિયસ ઈન્ટરનેશનલ ફૂડ સ્ટાન્ડર્ડ્સનું જણાવવવું છે. નિષ્ણાતોના આંતરરાષ્ટ્રીય સમુદાયે પામ તેલની સુરક્ષાને સમર્થન આપ્યું છે અને તેના ઉપભોગ સાથે સંકળાયેલા ડર ખોટી માન્યતા હોવાનું જણાવ્યું હતું. બ્લડ લિપિડ્સ અને લિપોપ્રોટીન્સ પર પામ તેલના પ્રભાવને વ્યાપક રીતે સમજવા માટે પામ તેલ પર લગભગ 165 પોશકીય અધ્યયનો દુનિયાભરમાં હાથ ધરાયાં હતાં.
અદાણી વિલ્મર લિમિટેડના સીઈઓ શ્રી અંગશુ મલિકે જણાવ્યું હતું કે, પામ તેલ વિશે અચૂક માહિતી અત્યંત જરૂરી હોવા સાથે પામ તેલ ફરતેની ખોટી માન્યતાઓ દૂર કરીને ગ્રાહકોને માહિતગાર અને આરોગ્યવર્ધક પસંદગીઓ કરવા માટે મદદરૂપ થવાનું મહત્ત્વપૂર્ણ .પામ તેલ તેની બહુમુખીતા, સ્થિરતા અને નિષ્પક્ષ સ્વાદની રૂપરેખાને લીધે ભારતીય વાનગીઓ સહિત વિવિધ વૈશ્વિક વાનગીઓમાં પણ મહત્ત્વપૂર્ણ સામગ્રી રહી છે. તે બેક્ડ ગૂડ્સ, માર્ગરિન અને સ્નેક ફૂડ્સ જેવી ઘણી બધી ફૂડ પ્રોડક્ટોમાં પણ મહત્ત્વપૂર્ણ ઘટક છે, જ્યાં તેને અજોડ ગુણો ઈચ્છનીય ટેક્સ્ચર અને સ્વાદમાં યોગદાન આપે છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ રમેશ જે સીટ પર બેઠેલા હતા, જે સીટ પર થાઈ ગાયક લોયચુસાક ૨૭ વર્ષ પહેલાં બેઠેલા હતા એટલે કે સીટ નંબર ૧૧એ. ૧૯૯૮ના વિમાન દુર્ઘટનામાં પણ લોયચુસાક એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (15 જૂન) સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેઓ કેનેડામાં G7 સમિટમાં હાજરી આપશે અને સાયપ્રસ અને ક્રોએશિયાની પણ મુલાકાત લેશે.
આ કેરી ઉત્સવ દિલ્હીમાં પણ યોજાઈ રહ્યો છે. તે 27 જૂનથી દિલ્હીના માલવિયા નગરમાં શરૂ થશે અને 6 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ક્લાસિકથી લઈને ફ્યુઝન અને સર્જનાત્મક કેરીની વાનગીઓની શ્રેણી હશે. ભલે તમે પરંપરાગત કેરીના સ્વાદના શોખીન હોવ અથવા નવા સ્વાદનો પ્રયાસ કરવા માંગતા હોવ, અહીં દરેક પ્રકારના કેરી પ્રેમી માટે કંઈકને કંઈક હશે.