Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

પાનીહાટી એ ગંગા નદીના કિનારે પ.બંગાળ રાજયમાં સ્થિત એક ગામ છે. પહેલાના જમાનામાં જયારે નદીમાર્ગ એ સંચાર માટેનું મુખ્ય સ્ત્રોત હતો એ સમયમાં એ એક અગ્રણી વેપારકેન્દ્ર હતું. 16મી સદીમાં હરીનામ સંકિર્તનનો પ્રચાર કરવા માટે જયારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતર્યા હતા એ સમયમાં ગૌડય વૈષ્ણવો માટે પાનીહાટી ગામ મુખ્ય કેન્દ્ર બન્યું હતું.

Ahmedabad May 30, 2023
પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

અમદાવાદ :  પાનીહાટી એ ગંગા નદીના કિનારે (કલકત્તાથી ઉત્તરદિશામાં 10 માઈલ દૂર) પશ્ર્મિ બંગાળ રાજયમાં સ્થિત એક ગામ છે. પહેલાના જમાનામાં જયારે નદીમાર્ગ એ સંચાર માટેનું મુખ્ય સ્ત્રોત હતો એ સમયમાં એ એક અગ્રણી વેપારકેન્દ્ર હતું. 16મી સદીમાં હરીનામ સંકિર્તનનો પ્રચાર કરવા માટે જયારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતર્યા હતા એ સમયમાં ગૌડય વૈષ્ણવો માટે પાનીહાટી ગામ મુખ્ય કેન્દ્ર બન્યું હતું.

ઈ.પૂ. સન 1486 વર્ષમાં સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ બંગાળમાં શ્રીધામ માયાપુરમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુરૂપે અવતર્યા હતા. તેમના આ અવતાર પાછળનો મુખ્ય ઉદેશ યુગધર્મ સ્થાપવાનો હતો – લોકસમુદાય દ્રારા ભગવાનના પવિત્ર નામનું રટણ કરવાનો હતો. ભગવાન બલરામ નિત્યાનંદ પ્રભુ સ્વરૂપે અવતર્યા હતા અને ભગવાનના બીજા ઘણા બધા શાશ્વત સખાઓએ પણ એ સમયે જન્મ લીધો હતો અને ભગવાનના આ ઉદેશમાં સહભાગી બની જોડાયા હતા. શ્રીલા રઘુનાથ દાસા ગોસ્વામી તેઓમાંના એક હતા.   

શ્રીલા રઘુનાથ દાસા ગોસ્વામી એ ભગવાનના એક સર્વોચ્ચ ભક્ત હતા અને તેઓ પાતે ગૃહત્યાગ કરવા ઈચ્છતા હતા અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના સંકિર્તન પ્રચારના ઉદેશમાં જોડાવા માંગતા હતા. પણ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ તેમને હમણાં આમ ન કરવા જણાવ્યુ હતુ અને આશ્વાસન આપ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ તેમને માયાના બંધનમાંથી ટુંક સમયમાં મુક્ત કરાવશે. ત્યાર બાદ બે વર્ષ પછી નિત્યાનંદ પ્રભુ પાનીહાટી ગામમા આવ્યા અને ત્યાં રોકાયા હતા. આ સમયે પાનીહાટી ગામની નજીક આવેલ શ્રીકૃષ્ણપુરા ગામમાં રહેતા રઘુનાથ દાસાએ તેમના પિતાશ્રી ગોવર્ધન મઝુમદારની આજ્ઞા મેળવી અને નિત્યાનંદ પ્રભુને મળવા પાનીહાટી આવ્યા હતા.

પાનીહાટી ગામમાં ગંગાનદીના કિનારે તેમણે વડવૃક્ષ નીચે ઘણા બધા ભક્તોથી ઘેરાયેલા અને ખડક પર બિરાજમાન નિત્યાનંદ પ્રભુને નિહાળ્યા. રઘુનાથ દાસા આ સમયે ભગવાનની નજીક જવામાં હટકચાટ અનુભવી રહ્યા હતા અને આથી તેમણે ભગવાનને દૂરથી જ નમન કર્યા હતા. તેમ છતાં પણ ભગવાન નિત્યાનંદ પ્રભુએ તેમને નિહાળ્યા અને બળજબરીથી તેમને પોતાની પાસે બોલાવી તેમના મસ્તક પર પોતાના ચરણકમળનો સ્પર્શ કરાવ્યો. ભગવાને રઘુનાથ દાસાને આ મહાઉત્સવ ઉજવવાનો અને બધા ભક્તો ને ચીડા-દહીં (દહીં અને પૌઆ) પ્રસાદરૂપે વિતરણ કરવાનો આદેશ આપ્યો.

રઘુનાથ દાસાએ તુરંત જ પૌઆ, દૂધ,દહીં, મીઠાઈ, કેળા,ખાંડ અને બીજી ખાધવસ્તુઓની ખરીદી કરવાની વ્યવસ્થા કરી. પૌઆને દૂધમાં પલાળવામાં આવ્યા હતા જેમાંથી અડધા ભાગને દહીં, ખાંડ અને કેળા સાથે મિશ્રિત કરવામાં આવ્યા હતા જયારે બાકી રહેલ અડધા ભાગમાં ઘટ્ટ કરેલ દૂધ, શુધ્ધ ઘી અને કપૂર મિશ્રિ કરી સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા હતા. દરેક ભક્તને બે માટીના કોડીયા આપવામાં આવ્યા જેમાંથી એકમાં પૌઆ-દહીં અને બીજામાં પૌઆ- ઘટ્ટ કરેલ દૂધને પ્રસાદરૂપે પિરસવામાં આવ્યું હતું.આ અદભૂત પ્રંસગની યાદગીરીરૂપે દર વર્ષે “ચિડા-દહીં” મહોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે યાત્રાળુઓ “ચિડા-દહીં ઉત્સવની ઉજવણી *કરવા પાનીહાટી ગામની મુલાકાત લે છે. 

હરે કૃષ્ણ મંદિર ખાતે ઉજવણી

દર વર્ષે હરેકૃષ્ણ મંદિર, ભાડજ આ ઉત્સવની ઉજવણી કરે છે જેમાં પાલકી ઉત્સવ, ભગવાન શ્રી શ્રી નિતાઈ ગોરાંગને અભિષેક અને નૌકા વિહાર તથા ચિડા-દહીં મહાપ્રસાદનું વિતરણ કરીને કરવામાં આવે છે. ભગવાન શ્રી શ્રી રાધા માધવ તથા શ્રી શ્રી નીતાઈ ગૌરાંગ ને 1000 કિલો કેરી નો મનોરથ અર્પણ કરી વિશેષ શૃંગાર કરવામાં આવશે. ઉત્સવ દરમ્યાન મંદિરમાં આવેલ કુંડને રંગબેરંગી ફૂલો કે જે નિર્મળ જળ ઉપર તરતા રહે તેમ સુંદરરીતે શણગારવામાં આવશે. ભગવાન શ્રી શ્રી નિતાઈ ગોરાંગને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાંથી સુંદર રીતે શણગારેલ પાલકી દ્રારા મંદિરકુંડમાં લાવવામાં આવશે.

ત્યારબાદ ભગવાનશ્રીનો દૂધ, દહીં, મધ, ગોળનુ પાણી, અને વિશેષ ફળોના રસ દ્રારા અભિષેક કરવામાં આવશે. અભિષેકના ભાગરૂપે ભગવાનની પ્રતિમાને કુંડમાં ડૂબાડીને સ્નાન કરાવવામા આવશે અને પૂષ્પો અર્પણ કરવામાં આવશે. અભિષેક બાદ ભવ્ય આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનની પ્રતિમાને મંદિરના કુંડમાં નૌકાવિહાર કરાવવામાં આવશે. પૌઆને ઘટ્ટકરલે દૂધ, દહીં, ખાંડ, કેરી વિગેરે સાથે મિશ્ર કરીને જે રીતે રઘુનાથ દાસાએ ભક્તો માટે બધી તૈયારી કરી હતી એ રીતે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનનાવવામાં આવશે. આ બધા જ વ્યંજનો ભગવાન શ્રી શ્રી નિતાઈ-ગૌરાંગને અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ હાજર સૌ ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે.

ઉત્સવની વિગત

તારીખ અને દિન – 03 જૂન, 2023 શનિવાર

શુભ સ્થળ – હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, અમદાવાદ.

ઉત્સવની વિશિષ્ટતાઓ

1) દર્શન – સવારના 7.15 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
2) મહાસંકિર્તન – સવારના 9.00 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
3) પાલકી ઉત્સવ – સાંજે 6.00 વાગે
4) મહાઅભિષેક – સાંજે 6.45 વાગે
5) નૌકા વિહાર – સાંજે 7.15 વાગે
6) મહા આરતી – રાત્રીના 8.30 વાગે

પ્રભુની સેવામાં
શ્રી જગન મોહન કૃષ્ણ દાસા
પ્રેસિડન્ટ –હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ

વધુ વિગત માટે સંપર્ક કરશો
શ્યામચરણ દાસા – 9904272229 , રાયારામ દાસા – 9904203228

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત રેલ્વેમાં ક્રાંતિ: 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત + 2,900 કિમી નવા ટ્રેક અને કવચ સિસ્ટમ
ahmedabad
February 02, 2026

ગુજરાત રેલ્વેમાં ક્રાંતિ: 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત + 2,900 કિમી નવા ટ્રેક અને કવચ સિસ્ટમ

ભારતીય રેલ્વેએ ગુજરાત માટે 2026-27માં રેકોર્ડ ₹17,366 કરોડ ફાળવ્યા – 2009-14ની સરખામણીએ 29 ગણો વધારો! ₹1.28 લાખ કરોડના પ્રોજેક્ટ્સ, 87 અમૃત સ્ટેશનો, 100% વીજળીકરણ, 5 વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત ટ્રેનો અને કવચ સિસ્ટમ સાથે આધુનિક રેલવે. વિગતો જુઓ.

ભારતના તેલ-ગેસ ક્ષેત્ર માટે મોટી સિદ્ધિ: PDEUમાં NCR પ્રોજેક્ટ, 10,000 sq ft કેમ્પસમાં રોક કોર એનાલિસિસ અને રિસર્ચ બૂસ્ટ
gandhinagar
February 02, 2026

ભારતના તેલ-ગેસ ક્ષેત્ર માટે મોટી સિદ્ધિ: PDEUમાં NCR પ્રોજેક્ટ, 10,000 sq ft કેમ્પસમાં રોક કોર એનાલિસિસ અને રિસર્ચ બૂસ્ટ

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU)માં DGH-MoPNG સાથે નેશનલ કોર રિપોઝિટરી (NCR) સ્થાપના: ₹75 કરોડ ફંડ, 26 સેડિમેન્ટરી બેસિન્સના રોક કોર્સ સંરક્ષણ, RCA-SCAL એનાલિસિસ, X-ray CT સ્કેનર, AI-ML ડિજિટલ ટ્વિન અને BP-ONGC MoU. ઊર્જા સંશોધનમાં મોટી છલાંગ જુઓ. 

ગુજરાતમાં White LED હેડલાઇટ પર કડક કાર્યવાહી: રાજપીપલા RTOએ 98 વાહનોને દંડ ફટકાર્યો
rajpipla
February 02, 2026

ગુજરાતમાં White LED હેડલાઇટ પર કડક કાર્યવાહી: રાજપીપલા RTOએ 98 વાહનોને દંડ ફટકાર્યો

રાજપીપલા RTOએ 1થી 29 જાન્યુઆરી 2026 દરમિયાન અનઅધિકૃત અતિ તીવ્ર White LED હેડલાઇટ વાળા 98 વાહનો સામે કાર્યવાહી કરી, ₹98,000 દંડ વસૂલ કર્યો. માર્ગ સુરક્ષા માટે સતત ચેકિંગ ચાલુ, દંડ ₹1,000 પ્રતિ વાહન. વિગતો અને અપડેટ જુઓ.

Braking News

કોલકાતા ડૉક્ટર કેસ: આરજી કાર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદિપ ઘોષને  મળ્યા જામીન
કોલકાતા ડૉક્ટર કેસ: આરજી કાર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદિપ ઘોષને મળ્યા જામીન
December 13, 2024

પશ્ચિમ બંગાળની સિયાલદહ કોર્ટે બળાત્કાર અને હત્યાના કેસમાં તાલા પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ અધિકારી-ઈન્ચાર્જ અભિજિત મંડલ અને આરજી કાર મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદિપ ઘોષને જામીન આપ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express