પિરામલ એન્ટરપ્રાઇઝની નજર સાતત્યપૂર્ણ વૃધ્ધિ, નફાકારકતા પરઃ ચેરમેન
અભૂતપુર્વ અનિશ્ચિતતામાંથી બહાર આવવા છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોવાં મળેલી બેલેન્સ શીટ અને બિઝનેસને વધુ લવચીક બનાવવામાં આવ્યા છે ત્યારે પિરામલ એન્ટરપ્રાઇઝિસ (PEL) સાતત્યપૂર્ણ વૃધ્ધિ અને નફાકારકતા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે એમ કંપનીના ચેરમેન અજય જી પિરામલે જણાવ્યું હતું.
2022-23નાં વાર્ષિક અહેવાલ અંગે શેરધારકોને કરેલા સંબોધનમાં પિરામલે જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરેલાં પ્રયત્નોનાં સકારાત્મક પરિણામો હાંસલ થયા છે અને ગયા નાણાકીય વર્ષના અંતે કંપનીએ રૂ. 9,969 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો અને કુલ એસેટ રૂ. 83,386 કરોડ હતી.
પિરામલે જણાવ્યું હતું કે, “અમે હવે સાતત્યપૂર્ણ વૃધ્ધિ, નફાકારકતા અને ત્રણ સ્તંભ-વૃધ્ધિ, જોખમ અને નફાકારકતા-પર બેલેન્સશીટનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.”
તેમણે ઉમેર્યું હતું કે, બિઝનેસ એકમો ફોકસ હોય તો બિઝનેસ સ્ટ્રેટેજીનાં સંદર્ભમાં ફોકસ રહે છે અને એ તે ઉપરાંત આપણી મૂડી અને માનવ સંસાધનો મજબૂત બને છે અન તેનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત થાય છે.
પિરામલે ઉમેર્યું હતું કે, “અમને ખાતરી છે કે રિટેલ અને હોલસેલમાં અમારાં વ્યૂહાત્મક વિભાગોને પસંદ કરીને અમારા તમામ હિતધારકો માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જન કરી શકાશે, જેમાં અમને અત્યાધુનિક ટેકનોલોજી, રિસ્ક મેનેજમેન્ટ અને ઉત્તમ લીડરશીપનું પીઠબળ છે.”
તેમણે જણાવ્યું કે, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ફાર્માસ્યુટિકલ્સમાં બે અલગ અલગ પ્યોર-પ્લે એન્ટિટિ રચવાથી સંચાલન માળખું મજબૂત બન્યું છે, જેમાં બંને બિઝનેસ માટે અલગ અલગ બોર્ડ અને મેનેજમેન્ટ ટીમ છે. તેમણે જણાવ્યું કે, ડીમર્જરને કારણે અમે દરેક બિઝનેસ માટે ઓપ્ટિમલ કેપિટલ સ્ટ્રક્ચર સુનિશ્ચિત કરી શકીએ છીએ અને ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ગ્રોથ પ્લાન્સમાં આગળ વધીને બિઝનેસને સ્વતંત્ર રીતે વૃધ્ધિ કરી શકીશું. FY2023માં ગ્રૂપનાં બિઝનેસે વૈશ્વિક મેક્રોઇકોનોમિક અને ભૂરાજકીય અવરોધોનો સામનો કરીને લવચીક કામગીરી પ્રદર્શિત કરી છે.
કંપની સાતત્યપૂર્ણ વૃદ્ધિને આગળ ધપાવવા માટે નવાં વ્યૂહનાં અમલીકરણનાં માર્ગ પર સતત ચાલી રહી છે.
FY2023માં કંપનીની પરિવર્તન કવાયતને સારા ફળ મળ્યા હતા અને આ પાયાનાં આધારે આગામી દિવસોમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિ હાંસલ કરવામાં આવશે. ગ્રૂપે ડીએચએફએલનાં એક્વિઝિશન અને ઇન્ટીગ્રેશનનું એક વર્ષ પૂર્ણ કર્યું છે અને તેને પગલે બિઝનેસની વૃધ્ધિ અને વૈવિધ્યીકરણ થયું છે અને તેને વધુ રિટેલ-કેન્દ્રી બનાવવાની દિશામાં પ્રગતિ સધાઈ છે. હોલસેલમાં ગ્રૂપે એસેટ રેકોગનિશન સાઇકલ પૂરી કરી છે, એસેટ્સની પૂરતા પ્રમાણમાં જોગવાઈ કરી છે અને તંદુરસ્ત જોગવાઈ કવચ પૂરું પાડ્યું છે.
પિરામલે જણાવ્યું હતું કે, “રિયલ એસ્ટેટમાં અમે લાર્જ અને મિડિયમ સાઇઝનાં ડિવલપર્સ પર ફોકસ કરીશું, જેમાં 49 ટકા પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે અથવા તો પૂરા થઈ ગયા છે. અમારા રિટેલ સેટઅપનો લાભ લઈને અમે પસંદગીનાં ટિયર-2 અને ટિયર-3 માર્કેટમાં પ્રવેશીશું, જ્યાં પ્રમાણમાં ઓછો પ્રસાર થયો હોય.” તેમણે જણાવ્યું કે, “ગ્રૂપ FY27ની અપેક્ષાઓની દિશા તરફ જઈ રહ્યું હોવાથી તેને ફાઇનાન્સિયલ સર્વિસિસ બિઝનેસની લાંબા ગાળાની સફળતા અંગે વિશ્વાસ છે. અનોખું બિઝનેસ મોડલ, સાઇઝ અને બેલેન્સશીટ સાથે પિરામલ એન્ટરપ્રાઇઝિસ વૃધ્ધિની તકો અને નફાકારકતાનો લાભ લેવા અને લાંબા ગાળે સાતત્યપૂર્ણ મૂલ્ય સર્જન માટે સજ્જ છે.” પિરામલ ગ્રૂપ ફાર્મા, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને રિયલ એસ્ટેટ સેક્ટર્સમાં હાજરી ધરાવે છે. કંપની 30થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે અને 100થી વધુ માર્કેટમાં વૈશ્વિક બ્રાન્ડ હાજરી ધરાવે છે.
ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સે SEBIમાં UDRHP-1 ફાઇલ કરી – IPOમાં ₹660.7 કરોડ ફ્રેશ ઇશ્યૂ + 2.86 કરોડ શેર OFS (કુલ ~₹2,000 કરોડ). ભારતમાં સૌથી મોટું PoSP નેટવર્ક (484,832 PoSP, 6 લાખ+ ડિજિટલ પાર્ટનર્સ), 19.68 મિલિયન પોલિસી વિતરણ. હેલ્થ, લાઇફ, મોટર ઇન્સ્યોરન્સ + મ્યુચ્યુઅલ ફંડ્સ, લોન. BRLM: ICICI Securities, Jefferies India, JM Financial, Motilal Oswal. BSE/NSE લિસ્ટિંગ પ્લાન. વિગતો અને અપડેટ્સ અહીં વાંચો.
એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સે 9M FY26માં ₹10,769 કરોડ ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ સાથે 14.5% વૃદ્ધિ નોંધાવી – ઈન્ડસ્ટ્રીના 8.7% કરતાં 1.7 ગણી ઝડપી. એક્સ-ક્રોપ ગ્રોથ 25.5%, હેલ્થ 29%, પર્સનલ એક્સિડન્ટ 49%. PAT ₹522 કરોડ, લોસ રેશિયો 78.5% (ગત વર્ષ 84.3%), સોલ્વન્સી 2.12x. માર્કેટ શેર 6.64% વધ્યો. MD નવીનચંદ્ર જ્હા અને CFO જિતેન્દ્ર અત્રાની ટિપ્પણી સાથે વિગતો અહીં વાંચો.
ગ્રોવર જ્વેલ્સ લિમિટેડ NSE ઇમર્જ પર SME IPO લાવી રહ્યું છે: ₹83-88 પ્રાઇસ બેન્ડ, ₹33.83 કરોડ ઇશ્યૂ સાઇઝ. 4થી 6 ફેબ્રુઆરી 2026 સુધી સબસ્ક્રિપ્શન ખુલશે. FY25માં ₹461 કરોડ ટર્નઓવર અને ₹7.62 કરોડ PAT સાથે મજબૂત ગ્રોથ. વર્કિંગ કેપિટલ અને એક્સપાન્શન માટે ફંડ્સ. વિગતો અને અરજી તેમજ વધું માહિતી માટે અહીં વાંચો.