પોલીસ સાયકલ યાત્રી: 'મેરા સપના, સાયકલ પે શિવયાત્રા'
ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-૨૦૦૭માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી શ્રી સંજયભાઈ ગોસ્વામીએ પોતાનું સપનું “સાયકલ પે શિવ યાત્રા” પૂર્ણ કર્યું છે.
ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-૨૦૦૭માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી સંજયભાઈ ગોસ્વામીએ પોતાનું સપનું “સાયકલ પે શિવ યાત્રા” પૂર્ણ કર્યું છે. તા. ૨૩ મે ૨૦૨૪ના રોજના સંજયભાઈ ગોસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી હતી. વૈષ્ણોદેવી, અમરનાથ, કૈલાશ પર્વત, પશુપતિનાથ ચારધામ, ૧૨ જ્યોતિર્લિંગ, અયોધ્યા સહિતની ૧૫,૧૦૦ કિ.મીની યાત્રા ૨૧૦ દિવસમાં સાયકલ પર પૂર્ણ કરી હતી. આજ રોજ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લખનીય છે કે, સંજયભાઈ ગોસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી પાલનપુર, પુષ્કર, અમૃતસર, વૈષ્ણવ દેવી, અમરનાથ, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ ,બદ્રીનાથ, કાશી વિશ્વનાથ, અયોધ્યા, પશુપતિનાથ નેપાળ, બાબા બૈજનાથ,કલકત્તા, કોણાર્ક સૂર્યમંદિર, જગન્નાથપુરી, શ્રી શૈલમ મલ્લિકાર્જુનમ, તિરુપતિ બાલાજી, રામેશ્વરમ,કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુ વાયોર, કોઇમતુર, બેંગ્લોર, પરલી બેજનાથ, ઓઢા નાગેશ્વર, ધ્રુશમેશ્વર, ભીમાશંકર, ત્રંબકેશ્વર, શિરડી, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, પાવાગઢ, ડાકોર, જુનાગઢ, સોમનાથ, દ્વારિકા, નાગેશ્વર, જામનગર, ચોટીલા, સહિતના યાત્રાધામોના દર્શન કરીને આજે તા.૧૮મી ડિસેમ્બર-૨૦૨૪ના રોજ સવારે ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા.
"અમરેલીના ધારી મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું! SOGની તપાસમાં મોબાઇલમાંથી પાકિસ્તાન-અફઘાન ગ્રુપ મળ્યા. SP સંજય ખરાતની દેખરેખમાં ચાલતી તપાસની તાજી અપડેટ્સ મેળવો."
"અમદાવાદના ચંડોળા તળાવ કેસમાં કુખ્યાત ભૂ-માફિયા લલ્લા બિહારી રાજસ્થાનથી ગિરફ્તાર. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં કાળી કમાણી, ગેરકાયદે બાંધકામ અને 4 પત્નીઓના રહસ્યો બહાર આવ્યા. વધુ જાણો!"
ભાવિષા વ્યાસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી ભાષાના પીએચ.ડી. સંશોધક દ્વારા અતિ તકનિકી વિષય “Devising a Model for Teaching International Intelligibility to the UG Students of ESL in Gujarat” પર સફળ સંશોધન પૂર્ણ કરવામાં આવ્યું છે.