વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાકરાપાર એટોમિક પાવર સેન્ટર ખાતે 22,500 કરોડના ખર્ચે બે નવા રિએક્ટરનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ ગુજરાતના નવસારીમાં કાકરાપાર એટોમિક પાવર સેન્ટર ખાતે રૂ. 22,500 કરોડના ખર્ચે બે નવા હેવી વોટર રિએક્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ ગુજરાતના નવસારીમાં કાકરાપાર એટોમિક પાવર સેન્ટર ખાતે રૂ. 22,500 કરોડના ખર્ચે બે નવા હેવી વોટર રિએક્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને નવસારીમાં પીએમ મિત્ર પાર્કના નિર્માણ કાર્યનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રસ્તા, રેલ્વે, પીવાના પાણી અને આરોગ્યને લગતા ઘણા નવા પ્રોજેક્ટ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાને નવસારીમાં પીએમ મિત્ર પાર્કના નિર્માણ કાર્યનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન રસ્તા, રેલ્વે, પીવાના પાણી અને આરોગ્યને લગતા ઘણા નવા પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે, પીએમ મિત્રા પાર્ક ટેક્સટાઈલ સેક્ટર માટે દેશનો આ પ્રકારનો પહેલો પાર્ક છે. તેમણે કહ્યું કે આનાથી કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને કાપડની નિકાસમાં ભારતનો હિસ્સો વધશે.
શ્રી મોદીએ કહ્યું કે આજે સરકાર ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની તૈયારી કરી રહી છે. પીએમ મિત્રા પાર્ક પણ આ દિશામાં એક પગલું છે. વડાપ્રધાને કહ્યું કે ભારત હવે આ ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારો સાથે સ્પર્ધા કરી રહ્યું છે. આમાં ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગનો મોટો ફાળો છે.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.