આણંદ જિલ્લામાં યોજાયો પલ્સ પોલિયો કાર્યક્રમ
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બોરસદ ખાતે યોજાયેલ સઘન પલ્સ પોલિયો કાર્યક્રમનું બોરસદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મદેવસિંહ ડાભીના હસ્તે ૦ થી ૫ વર્ષની વયના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીને ઉદ્દ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવતા આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બોરસદ ખાતે યોજાયેલ સઘન પલ્સ પોલિયો કાર્યક્રમનું બોરસદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મદેવસિંહ ડાભીના હસ્તે ૦ થી ૫ વર્ષની વયના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીને ઉદ્દ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.
આ અવસરે તાલુકા પ્રમુખશ્રી ધર્મદેવસિંહ ડાભીએ સમગ્ર આણંદ જિલ્લાના ૦ થી ૫ વર્ષની વયના તમામ બાળકો પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવે અને એક પણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહી જાય તે જોવા જિલ્લાના સમસ્ત વાલીઓને અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા આશાબહેનો/આંગણવાડી બહેનો ત્રણ દિવસ સુધી પોલિયો રસી પીવડાવવાની કામગીરી કરશે. જેમાં તેમના દ્વારા પ્રથમ દિવસે બુથ કામગીરી કરવામાં આવશે જ્યારે બીજા અને ત્રીજા દિવસે ઘરે-ઘરે ફરીને પોલિયોની રસીથી વંચીત રહ્યા હોય તેવા તમામ બાળકોને પણ પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ૧૧૨૯ બુથ, ૨૨૫૮ ટીમ, ૫૦૩૦ ટીમસભ્યો અને ૨૪૪ સુપરવાઇઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૨,૫૦,૨૫૪ બાળકોને રસી પિવડાવવામાં આવશે. જે લક્ષ્યાંક અંતર્ગત પ્રથમ દિવસે અંદાજિત ૧,૮૦,૧૮૩ બાળકોને રસી પીવડાવામાં આવી હતી.
આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી આર.બી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ બોરસદના બસ સ્ટેન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે બોરસદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ગુણવંત ઇસરવાડીયા, અર્બન હેલ્થ સેન્ટરના આયુષ મેડીકલ ઓફીસર, તાલુકા સુપરવાઈઝર તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.