રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની અમદાવાદ મુલાકાત: વટવા ટર્મિનલથી ટ્રેનોના સંચાલનમાં થશે ક્રાંતિ
કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં પ્રસ્તાવિત વટવા મેગા કોચિંગ ટર્મિનલ પરિયોજનાના સ્થળની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અમદાવાદ મંડળની સંચાલન ક્ષમતામાં 3 ગણી વૃદ્ધિ થશે અને અમદાવાદ જંકશન પરનું દબાણ ઘટશે.
માનનીય કેન્દ્રીય રેલ, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ આજે અમદાવાદમાં પ્રસ્તાવિત વટવા મેગા કોચિંગ ટર્મિનલ પરિયોજનાના સ્થળની મુલાકાત લઈ કાર્યની પ્રગતિ, એલાઇનમેન્ટ તથા પ્રસ્તાવિત આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ અને વિગતવાર સમીક્ષા કરી. આ અવસરે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક સહિત અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
નિરીક્ષણ દરમિયાન પરિયોજનાની મુખ્ય સંરચના, સંચાલન વ્યવસ્થા તેમજ ભવિષ્યની આવશ્યકતાઓને અનુરૂપ વિકસાવવામાં આવતી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અમદાવાદ સુધીના પ્રસ્તાવિત ચૌહરીકરણ (ક્વાડ્રપલિંગ) કાર્યની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી, જેના પરિણામે ભવિષ્યમાં યાત્રી ટ્રેનોના સંચાલનમાં ઉલ્લેખનીય વૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાશે.
વટવા મેગા કોચિંગ ટર્મિનલ ભારતીય રેલવેની એક મહત્વપૂર્ણ અવસંરચના પરિયોજના છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ જંકશન પર વધતા સંચાલન દબાણને ઘટાડવાનો અને આધુનિક, સુરક્ષિત તથા કાર્યક્ષમ રેલ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે.
• ટર્મિનલની કુલ પ્રસ્તાવિત લંબાઈ આશરે 3 કિલોમીટર છે.
• ટર્મિનલમાં 12 પિટ લાઇનો વિકસાવવામાં આવશે. જેનાથી
• 29 સ્ટેબલિંગ લાઇનો રેકની સુરક્ષિત પાર્કિંગ માટે ઉપલબ્ધ રહેશે.
• રેકની સફાઈ માટે 2 વોશિંગ લાઇનો પ્રસ્તાવિત છે.
• ખરાબ કોચોની મરામત માટે 600 મીટર લંબાઈની 2 સિક લાઇનો વિકસાવવામાં આવશે.
• યાત્રી સુવિધાને ધ્યાનમાં રાખીને 6 નવા પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવશે, જેના પરિણામે ટર્મિનલ પર કુલ પ્લેટફોર્મની સંખ્યા 9 થશે.
માનનીય મંત્રીએ ભવિષ્યમાં વધતી સંચાલન આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને પિટ લાઇનો તથા સ્ટેબલિંગ લાઇનોની સંખ્યામાં વધુ વધારો કરવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી.
સંચાલન ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ
• પ્રતિદિન 36 જોડી ટ્રેનોનું પ્રાથમિક મેન્ટેનન્સ શક્ય બનશે.
• 15 ટ્રેનોને પ્લેટફોર્મ રિટર્ન સુવિધા ઉપલબ્ધ થશે.
• કુલ મળીને 51 ટ્રેનોનું સંચાલન આ ટર્મિનલથી કરી શકાશે.
આ પરિયોજનાથી અમદાવાદ મંડળની કુલ સંચાલન ક્ષમતામાં આશરે 3 ગણી વૃદ્ધિ થવાની સંભાવના છે.
વટવા મેગા કોચિંગ ટર્મિનલ પરિયોજના ભારતીય રેલવેના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા, સંચાલન કાર્યક્ષમતા વધારવા તથા યાત્રીઓને વધુ સારી અને આધુનિક સુવિધાઓ પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજના ભવિષ્યની વધતી મુસાફરી અને પરિવહન આવશ્યકતાઓ પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ 34 વર્ષની પ્રશંસનીય સેવા બાદ વય નિવૃત્ત થયા છે. ગાંધીનગર ખાતે સચિવ ડૉ. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં અને માહિતી કમિશનર શ્રી કે.એલ. બચાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
ગુજરાત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખના કેન્સર) સામે રક્ષણ આપવા માટે નિ:શુલ્ક HPV રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલથી આ રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરાવી.
અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં નિર્દોષ સાબિત થયા. ઈસુદાન ગઢવીએ કહ્યું - કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે, ભાજપે ખોટા આરોપ લગાવી AAP તોડવાની કોશિશ કરી. ગુજરાતમાં ઉજવણી.