અયોગ્ય ચેઇન પુલિંગ પર રેલવે પ્રોટેક્શન ફોર્સ વડોદરા ડિવિઝને કડક કાર્યવાહી કરી
રેલવેમાં ટ્રેનોનું સમય પર સંચાલન સુનિશ્ચિત કરવું યાત્રીઓની સુરક્ષિત,સુવિધાજનક અને સમયબદ્ધ યાત્રા માટે અતિ આવશ્યક છે. આ ઉદ્દેશ્ય થી રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને નિરંતર જાગૃત કરવામાં આવે છે કે તેઓ ફક્ત આપત સ્થિતિ માં જ એલાર્મ ચેઈન પુંલિંગ (ACP) નો ઉપયોગ કરે.
રેલવેમાં ટ્રેનોનું સમય પર સંચાલન સુનિશ્ચિત કરવું યાત્રીઓની સુરક્ષિત,સુવિધાજનક અને સમયબદ્ધ યાત્રા માટે અતિ આવશ્યક છે. આ ઉદ્દેશ્ય થી રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને નિરંતર જાગૃત કરવામાં આવે છે કે તેઓ ફક્ત આપત સ્થિતિ માં જ એલાર્મ ચેઈન પુંલિંગ (ACP) નો ઉપયોગ કરે.
તેમછતાં પણ જાન્યુઆરી થી મે 2025ની વચ્ચે વડોદરા મંડળમાં કુલ 788 કેસમાં યાત્રીઓ દ્વારા યોગ્ય કારણ વગર ચેઈન પુંલિંગ કરવામાં આવ્યું. આ પ્રકાર ના અયોગ્ય કાર્ય થી ના ફક્ત ટ્રેનોમાં બિનજરૂરી વિલંબ થાય છે પરંતુ સેંકડો અન્ય યાત્રીઓને ને અસુવિધા પણ થાય છે.
આ કેસોને ગંભીરતાથી લેતા રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ), વડોદરા મંડળ દ્વારા આ યાત્રીઓ વિરુદ્ધ રેલ અધિનિયમ ની ધારા 141 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, જેના અંતર્ગત કુલ રૂ.2,25,525/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
ધારા 141 ના અંતર્ગત,યોગ્ય કારણ વગર ચેઈન પુંલિંગ કરવામાં આવતા એક વર્ષ સુધીની જેલ, રૂ 1000 સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ છે.
રેલવે પ્રશાસન યાત્રીઓને અપીલ કરે છે કે તેઓ ટ્રેનોના સુચારુ અને સમયબદ્ધ સંચાલન માં સહયોગ આપે. શિસ્તનું પાલન કરો અને ફક્ત કટોકટીની સ્થિતિમાં જ ચેઈન પુંલિંગ કરો. યાત્રીઓ નો આ સહયોગ ફક્ત તેમની પોતાની મુસાફરી જ નહીં પરંતુ અન્ય તમામ યાત્રીઓ ની મુસાફરીને પણ આરામદાયક અને સલામત બનાવશે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 11 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે.
આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.