રાજપીપલા આરટીઓ કચેરીએ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી
વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ નિમિત્તે રાજપીપલા આરટીઓ કચેરી દ્વારા માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
રાજપીપલા: વિશ્વ શ્રદ્ધાંજલી દિવસ નિમિત્તે રાજપીપલા આરટીઓ કચેરી દ્વારા માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા નાગરિકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા અને ટ્રાફિક નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવા તેમજ કાયદાકીય રક્ષણ માટેની જોગવાઈ અને માહિતી અંગે જાહેર જનતાને જાગૃત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં વાહન નિરિક્ષકશ્રી વી ડી આસલ, શ્રી સી.ડી.પ્રજાપતિ, શ્રી પી.બી.પટેલ તેમજ અન્ય સ્ટાફ, નર્મદા જિલ્લા પોલીસ (ટ્રાફિક શાખા) ના જવાનો, EMRI ૧૦૮ ના સુપરવાઈઝરશ્રી પ્રવીણભાઈ વસાવા સહિત સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.