મોરબી બ્રિજ કાંડ અને મનરેગા કૌભાંડમાં પણ આરોપીઓને રાહત : ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના, પાયલ ગોટી ઘટના, મોરબી બ્રીજ કાંડ, દાહોદ મનરેગા કૌભાંડ, પાલનપુરની હત્યા સુધીના તમામ ગુનેગારો માટે ભાજપ સરકારની ડિસ્કાઉન્ટ યોજનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા.
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના, પાયલ ગોટી ઘટના, મોરબી બ્રીજ કાંડ, દાહોદ મનરેગા કૌભાંડ, પાલનપુરની હત્યા સુધીના તમામ ગુનેગારો માટે ભાજપ સરકારની ડિસ્કાઉન્ટ યોજનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા. વિડીયોનાં માધ્યમથી AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પીપળીયા ગામની એફઆઇઆરમાં પોલીસે આરોપીઓને ફાયદો થાય અને આરોપીઓને ડિસ્કાઉન્ટ મળે તે માટે પીડિતના પુત્રને જ ફરિયાદી બનાવ્યો હતો. પીપળીયા ગામે 28 ફેબ્રુઆરીએ એક ઘટના બની હતી. પોલીસે એફઆઇઆરમાં સમય પણ ખોટો લખ્યો છે. પિડીત વૃદ્ધને જો ફરિયાદી બનાવવામાં આવ્યા હોત તો આરોપીઓને અત્યાર સુધી જામીન મળ્યા ન હોત કારણ કે પીડિત વૃદ્ધ અત્યારે એક વર્ષથી બેભાન અવસ્થામાં છે. પોલીસે બુદ્ધિ વાપરી, ભાજપની ટોપી બની ગયા અને જે વૃદ્ધને માર મારવામાં આવ્યો હતો તેના પુત્રને ખોટો ફરિયાદી બનાવી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપ્યું. આરોપીઓ જેલમાંથી ઘણા સમય પહેલા છૂટી ગયા છે.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમરેલીની બજારમાં પાયલ ગોટી નામની એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું . આ ઘટના આખા ગુજરાતને ખબર છે,પછી પોલીસે કાગળ લખ્યો અને તેમાં લખ્યું છે કે પાયલનું નામ ખોટી રીતે આવી ગયું હતું. સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એવું લખ્યું છે કે બાકીના ત્રણ આરોપીઓ હતા તેની વિરુદ્ધ પણ કોઈ પુરાવો નથી અને આ ત્રણ લોકોનું નામ પણ ભૂલથી એફઆઇઆરમાં આવી ગયું છે. આવું કહીને આખો કેસ રફેદફે કરવામાં આવ્યો છે. જ્યારે એફઆઇઆર કરી ત્યારે તમને ખબર ન હતી કે આ ખોટો કેસ છે ? ત્યારે પણ પોલીસ જાણતા હતા પરંતુ ભાજપે કહ્યું હતું કે પાયલનું સરઘસ કાઢવાનું છે એટલે એક ખોટી એફઆઇઆર બનાવી દેજો. આ કેસમાં પોલીસ પાસે ચારે ચાર આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવો નથી, ભૂલથી નામ આવી ગયું છે અને અમારી ભૂલ થઈ ગઈ છે, આવું પોલીસે ઓફિસિયલી લખ્યું છે. તેનો અર્થ એ નીકળ્યો કે કોઈએ ગુનો કર્યો નથી,અથવા તો તમે ખોટી એફઆઈઆર લખી છે, ખોટી રીતે સરઘસ કાઢ્યું અને બદનામી કરી. છેલ્લે હવે કહ્યું કે ભૂલ થઈ ગઈ છે તેનો અર્થ એ થયો કે પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કર્યું છે.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે પાલનપુર હત્યા કેસમાં પણ પોલીસે કાવતરાની કલમ ઉમેરી નથી. ખૂનની ઘટનામાં પણ આરોપીને કોર્ટમાં ફાયદો થાય તે માટે પોલીસે બે કલમ ઓછી લગાવી છે કારણ કે આરોપીઓને ડિસ્કાઉન્ટ મળે. આ બધા હર્ષ સંઘવીનાં ભાણીયા થતા હોવાથી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઘટનામાં 20 લોકોનું ટોળું આવ્યું હતું પરંતુ એફઆઇઆરમાં માત્ર એક જ વ્યક્તિનું નામ લખવામાં આવ્યું. કારણ કે ભાજપની સરકાર એવું ઈચ્છે છે કે રીલ જોવો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કાગળ પર ક્યાં આ બધું કોઈ જોઈ રહ્યું છે? ગુજરાતમાં ભાજપ સરકાર દરેક આરોપીઓને ડિસ્કાઉન્ટ આપે છે. સજા ન થાય, નિર્દોષ છૂટી જાય, જલ્દી જામીન મળી જાય, પાસા ન થાય તેની સો ટકા કાળજી રાખવામાં આવે છે. ગુજરાતમાં કોઈપણ એફઆઈઆર તમે મને આપશો તો હું તરત તમને સમજાવી શકીશ કે ગુંડાઓને બચાવવા માટે પોલીસે જાણી જોઈને આટલી-આટલી ભૂલો એફઆઇઆરમાં રાખી છે. દાહોદના મનરેગા કૌભાંડમાં પણ એજન્સીનું નામ ઇરાદા પૂર્વક એફઆઇઆરમાં લખવામાં આવ્યું નથી. એફઆઈઆરમાં આરોપીઓનું નામ પણ લખવામાં આવ્યું નથી. કઈ એજન્સીએ ખોટા બિલ મૂક્યા છે તેનું નામ પણ લખવામાં આવ્યું નથી. સરકારના કયાં માણસોએ ખોટા કામ કર્યા તેનું પણ નામ લખવામાં આવ્યું નથી. દાહોદના મનરેગા કૌભાંડમાં કોઈ કાર્યવાહી થઈ નથી, માત્ર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની એફઆઇઆર નોંધવામાં આવી છે, પરંતુ આ જીએસટીના 2000 કરોડના ખોટા બિલ સરકારને પકડાવવામાં જેને ક્રેડિટ લીધી હશે તેનું શું ? તેમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ રીતે સમગ્ર ગુજરાતમાં આરોપીઓને બચાવવાનું ભાજપ અને ભાજપનાં કેટલાક લોકો કરી રહ્યા છે. બગદાણા ઘટનામાં પણ કાગળ પર ખોટું લખવામાં આવ્યું છે. કાગળ પર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપીને બે જ્ઞાતિઓને લડાવાનું કામ ભાજપનાં માણસો કરે છે. આપણે સૌ સાવચેત, સલામત અને એલર્ટ રહીએ તેવી મારી વિનંતી છે.
AAP નેતા પિયુષ પરમારે SIRમાં મતદારોના નામ કાપવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો કર્યો: ભાજપે 12 લાખ+ ફોર્મ ભરી સામાન્ય મતદારોનો અધિકાર છીનવ્યો. એક નામે 800+ અરજીઓ, કાર્યકર્તાઓને ખબર નહીં. પુરાવા સાથે આરોપ, ચૂંટણી પંચને જવાબદારી. તાજા અપડેટ જુઓ.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું અભિયાન શરૂ કર્યું: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”. ગોપાલ ઇટાલીયાએ ભાજપની બાપ-બેટાની રાજનીતિ, બુલડોઝર દાદાગીરી અને શોષણ પર આકરા પ્રહાર કર્યા. ગલી-ગલી પહોંચશે AAP, પીડિતોની સાથે છે. તાજા અપડેટ જુઓ.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું કેમ્પેઇન લોન્ચ કર્યું: “ના બેટાનું ના બાપનું, ગુજરાત હવે AAPનું”. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષના શોષણ સામે જાગૃતિ અભિયાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પોસ્ટર અને કાર્યકર્તાઓ ગામડે-ગામડે પહોંચશે. તાજા અપડેટ જુઓ.