દેડિયાપાડામાં ભારે વરસાદ થતાં નદીઓ ગાંડીતૂર
પાનુડા ગામેં કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલા વ્યક્તિ તણાઇ જતા મોત.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : હવામાન વિભાગની અગાહીને પગલે દેડિયાપાડા સહિત આસપાસના વિસ્તારોમાં બે દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે આખો દિવસ ધીમીધારે વરસ્યા બાદ શુક્રવારે સવારે થી જ વરસાદે ધમધમાટી બોલાવી હતી. ધોધમાર વરસાદને કારણે નદીઓમા પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી.અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં હતા.દેડિયાપાડા નગરમાં રસ્તાઓ પર પાણી વહેવા માંડ્યું હતું. જો કે લાંબા સમયના વિરામ બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેતીના તમામ પાકોને જીવનદાન મળ્યું હતું.
જ્યારે દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલ એક વ્યક્તિનું પાણીમાં તણાઇ જતા મોત નિપજ્યું હતું. પાનુડા ગામના રહીશ સુરેશભાઈ મગરિયાભાઈ વસાવા ઉંમર વર્ષ 40 નાઓ તારીખ 14 સપ્ટેમ્બરના રોજ બપોરે માછલી પકડવા કરજણ નદીમાં ગયા હતા. જ્યા નદીના પાણીમાં તણાઈ ગયા હતાં. જેમની ગામ લોકો દ્વારા શોધખોળ કરતા તારીખ 15 ના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.