દેડિયાપાડામાં ભારે વરસાદ થતાં નદીઓ ગાંડીતૂર
પાનુડા ગામેં કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલા વ્યક્તિ તણાઇ જતા મોત.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : હવામાન વિભાગની અગાહીને પગલે દેડિયાપાડા સહિત આસપાસના વિસ્તારોમાં બે દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે આખો દિવસ ધીમીધારે વરસ્યા બાદ શુક્રવારે સવારે થી જ વરસાદે ધમધમાટી બોલાવી હતી. ધોધમાર વરસાદને કારણે નદીઓમા પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી.અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં હતા.દેડિયાપાડા નગરમાં રસ્તાઓ પર પાણી વહેવા માંડ્યું હતું. જો કે લાંબા સમયના વિરામ બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેતીના તમામ પાકોને જીવનદાન મળ્યું હતું.
જ્યારે દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની કરજણ નદીમાં માછલાં પકડવા ગયેલ એક વ્યક્તિનું પાણીમાં તણાઇ જતા મોત નિપજ્યું હતું. પાનુડા ગામના રહીશ સુરેશભાઈ મગરિયાભાઈ વસાવા ઉંમર વર્ષ 40 નાઓ તારીખ 14 સપ્ટેમ્બરના રોજ બપોરે માછલી પકડવા કરજણ નદીમાં ગયા હતા. જ્યા નદીના પાણીમાં તણાઈ ગયા હતાં. જેમની ગામ લોકો દ્વારા શોધખોળ કરતા તારીખ 15 ના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."