એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સનું રેકોર્ડ પર્ફોર્મન્સ: 9M FY26માં ઈન્ડસ્ટ્રી કરતાં 1.7 ગણી ઝડપી વૃદ્ધિ અને મજબૂત નફો
એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સે 9M FY26માં ₹10,769 કરોડ ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ સાથે 14.5% વૃદ્ધિ નોંધાવી – ઈન્ડસ્ટ્રીના 8.7% કરતાં 1.7 ગણી ઝડપી. એક્સ-ક્રોપ ગ્રોથ 25.5%, હેલ્થ 29%, પર્સનલ એક્સિડન્ટ 49%. PAT ₹522 કરોડ, લોસ રેશિયો 78.5% (ગત વર્ષ 84.3%), સોલ્વન્સી 2.12x. માર્કેટ શેર 6.64% વધ્યો. MD નવીનચંદ્ર જ્હા અને CFO જિતેન્દ્ર અત્રાની ટિપ્પણી સાથે વિગતો અહીં વાંચો.
મુંબઈ : ભારતની અગ્રણી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી છે. આ ઉત્કૃષ્ટ પરિણામો તેને ભારતની ઝડપથી ઉભરતી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યા છે. તેના મજબૂત ગ્રોથને ચાલુ રાખતાં કંપનીએ રૂ. 10769 કરોડના ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ નોંધાવ્યા છે, જે વાર્ષિક ધોરણે 14.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ ઈન્ડસ્ટ્રીના 8.7 ટકા ગ્રોથ કરતાં વધુ છે. એક્સ-ક્રોપ બિઝનેસ ગ્રોથ ઈન્ડસ્ટ્રીના 13.1 ટકાની તુલનાએ 25.5 ટકા નોંધાયો છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં મજબૂત પફોર્મન્સ તેના મુખ્ય બિઝનેસ- હેલ્થમાં 29 ટકા, પર્સનલ એક્સિડન્ટમાં 49 ટકા, મોટરમાં 19 ટકા અને ફાયરમાં 13 ટકા ગ્રોથ સાથે સતત ગ્રોથને પ્રેરિત છે. આ સેગમેન્ટે એકસાથે મળી કંપનીના વિસ્તરણ, ઓપરેશનલ શ્રેષ્ઠતા, અને ગ્રાહક કેન્દ્રિત ઈનોવેશન પર ફોકસને વેગ આપ્યો છે. વધુમાં કંપનીનો પ્રાઈવેટ અને SAHI કંપનીઓમાં માર્કેટ હિસ્સો 9M FY25 માં 6.25 ટકાથી વધી 9M FY26માં 6.64 ટકા થયો છે.
કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં રૂ. 522 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, તેનો લોસ રેશિયો સુધરી 78.5 ટકા થયો છે. જે ગતવર્ષે સમાન ગાળામાં 84.3 ટકા હતો. વધુમાં સોલ્વન્સી રેશિયો 2.12 ગણો નોંધાયો છે. જે રેગ્યુલેટરીના લઘુત્તમ 1.50 ગણા રેશિયો કરતાં મજબૂત સ્થિતિમાં છે. જે કંપનીના મજબૂત નાણાકીય પાયા પર ભાર મૂકે છે.
કંપનીના પર્ફોર્મન્સ અંગે ટિપ્પણી કરતા એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી નવીનચંદ્ર જ્હાંએ જણાવ્યું હતું કે, "નાણાકીય વર્ષ-26ના પ્રથમ નવ મહિનામાં અમારી નાણાકીય કામગીરી અમે ભવિષ્ય માટે જે પાયાનું નિર્માણ કરી રહ્યા છીએ તેની મજબૂતાઈ દર્શાવે છે. નાણાકીય વર્ષ-26ના નવ મહિનામાં અમે ઈન્ડસ્ટ્રી કરતાં 1.7 ગણો ઝડપી અને ખાનગી અને SAHI કંપનીઓ કરતાં 1.9 ગણો ગ્રોથ નોંધાવ્યો છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં રૂ. 10,769 કરોડનો GDP નોંધાવ્યો છે. આ વૃદ્ધિ ફક્ત સ્કેલ સુધી સીમિત નથી, પરંતુ એક સ્થિતિસ્થાપક, ટેકનોલોજી-આધારિત અને ગ્રાહક-કેન્દ્રિત ઈન્સ્યોરન્સ ઈન્સ્ટીટ્યુશન્સ સુધી વિસ્તરિત છે. અમે અમારા મુખ્ય પોર્ટફોલિયોને મજબૂત બનાવતાં ગ્રાહકોના વિશ્વાસને વધુ ગાઢ બનાવી રહ્યા છીએ, અમે ભારતના વિકસતા જોખમી પડકારો સામે સુરક્ષાની ખાતરી આપતાં ટકાઉ મૂલ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ."
“અમારી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસની કામગીરી અમારી જોખમ વ્યવસ્થાપન માળખુ, સંચાલન શિસ્ત અને લાંબાગાળાની નાણાકીય વ્યૂહરચનાની અસરકારકતા દર્શાવે છે. કંપનીએ ગત નાણાકીય વર્ષમાં 84.3% લોસ રેશિયોમાં ઘટાડો કરી આ વર્ષે 78.5%નો સુધારો દર્શાવ્યો છે. જે અંડરરાઇટિંગમાં સુધારો, સુધારેલી જોખમ પસંદગી, વધુ સારા ક્લેમ મેનેજમેન્ટ અને વધેલી કાર્યકારી કાર્યક્ષમતાનો પુરાવો છે. અમારું ધ્યાન ટકાઉ નફાકારકતાને વેગ, મૂડી કાર્યક્ષમતાને મજબૂત અને ગતિશીલ બજારમાં તમામ સ્ટેકહોલ્ડર્સ માટે લાંબા ગાળાના મૂલ્યોનું સર્જન કરવા પર છે. જે અમને આર્થિક રીતે મજબૂત સંસ્થા તરીકે કામ કરવા પ્રેરે છે.”
એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ ટેકનોલોજીમાં કેન્દ્રિત રોકાણો, ઈનોવેટિવ પ્રોડક્ટ્સ, ગ્રાહક અનુભવ પર સતત ભાર અને શિસ્તબદ્ધ કાર્યકારી નીતિઓના અમલીકરણ મારફત ગ્રોથ મોમેન્ટમને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. સારી રીતે સંતુલિત બિઝનેસ પોર્ટફોલિયો અને સ્કેલેબલ પ્લેટફોર્મ દ્વારા સમર્થિત કંપની લાંબા ગાળાના નફાકારકતા માટે સ્થિર પાયો બનાવી રહી છે તેની બજાર હાજરીને પણ સતત વિસ્તૃત કરી રહી છે.
ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સે SEBIમાં UDRHP-1 ફાઇલ કરી – IPOમાં ₹660.7 કરોડ ફ્રેશ ઇશ્યૂ + 2.86 કરોડ શેર OFS (કુલ ~₹2,000 કરોડ). ભારતમાં સૌથી મોટું PoSP નેટવર્ક (484,832 PoSP, 6 લાખ+ ડિજિટલ પાર્ટનર્સ), 19.68 મિલિયન પોલિસી વિતરણ. હેલ્થ, લાઇફ, મોટર ઇન્સ્યોરન્સ + મ્યુચ્યુઅલ ફંડ્સ, લોન. BRLM: ICICI Securities, Jefferies India, JM Financial, Motilal Oswal. BSE/NSE લિસ્ટિંગ પ્લાન. વિગતો અને અપડેટ્સ અહીં વાંચો.
ગ્રોવર જ્વેલ્સ લિમિટેડ NSE ઇમર્જ પર SME IPO લાવી રહ્યું છે: ₹83-88 પ્રાઇસ બેન્ડ, ₹33.83 કરોડ ઇશ્યૂ સાઇઝ. 4થી 6 ફેબ્રુઆરી 2026 સુધી સબસ્ક્રિપ્શન ખુલશે. FY25માં ₹461 કરોડ ટર્નઓવર અને ₹7.62 કરોડ PAT સાથે મજબૂત ગ્રોથ. વર્કિંગ કેપિટલ અને એક્સપાન્શન માટે ફંડ્સ. વિગતો અને અરજી તેમજ વધું માહિતી માટે અહીં વાંચો.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ જાહેર કરી. 20,000 થી વધુ વીજળીના થાંભલા નાખવાની કામગીરી તેજ.