SEMICON India 2023: પીએમ મોદીએ 'સેમિકોન ઈન્ડિયા'નું કર્યું ઉદ્ઘાટન
SEMICON India Gandhinagar : સેમિકોન ઈન્ડિયા 2023નું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ ફોનનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યું છે.
PM નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં સેમિકન્ડક્ટરને લગતી ટેક્નોલોજી દર્શાવવામાં આવશે. સેમિકોન ઈન્ડિયા 2023ના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ સોફ્ટવેર અપડેટ કરવું જરૂરી છે, તે જ રીતે આ પ્રોગ્રામ પણ છે. SEMCON India દ્વારા ઉદ્યોગ, નિષ્ણાતો અને નીતિ ઘડવૈયાઓ સાથેના સંબંધો અપડેટ થાય છે. હું પણ માનું છું કે સંબંધોમાં સમન્વય માટે આ જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું કે અમે ભારતના ડિજિટલ સેક્ટર અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ઝડપી વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. થોડા વર્ષો પહેલા ભારત આ ક્ષેત્રમાં ઊભરતું ખેલાડી હતું અને આજે વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં આપણો હિસ્સો અનેકગણો વધી ગયો છે. 2014માં ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન $30 બિલિયન કરતાં ઓછું હતું. આજે તે 100 અબજ ડોલરને પાર કરી ગયો છે.
સેમિકોન ઈન્ડિયા 2023ના કાર્યક્રમમાં વડાપ્રધાને વધુમાં કહ્યું કે ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ માત્ર 2 વર્ષમાં બમણી થઈ ગઈ છે. ભારતમાં બનેલા મોબાઈલ ફોનની નિકાસ બમણી થઈ છે. જે દેશ એક સમયે મોબાઈલ ફોનનો આયાતકાર હતો તે આજે વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ ફોનનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે તકોની આખી દુનિયા છે. બે વર્ષમાં ભારતમાંથી ઈલેક્ટ્રોનિક્સની નિકાસ બમણીથી વધુ થઈ છે. હું માનું છું કે વિશ્વમાં આપણે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ જોઈ રહ્યા છીએ તે ભારતીય આકાંક્ષાઓથી પ્રેરિત છે. ભારતમાં સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપવામાં આવશે. સેમીકન્ડક્ટરને લગતો અભ્યાસક્રમ ભારતની 300 કોલેજોમાં શરૂ થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.