સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ થાવે જંકશન સુધી વિસ્તૃત
ઉત્તર પૂર્વ રેલવે ના ગોરખપુર સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે, સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસને અસ્થાયી રૂપે થાવે જંકશન સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ઉત્તર પૂર્વ રેલવે ના ગોરખપુર સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક ના કારણે, સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસને અસ્થાયી રૂપે થાવે જંકશન સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:
19 જૂનથી 06 ડિસેમ્બર 2025 સુધી ટ્રેન સંખ્યા 19409 સાબરમતી-થાવે જંકશન એક્સપ્રેસ સાબરમતીથી 10.35 કલાકે ઉપડશે અને 16.50 કલાકે ગોરખપુર પહોંચશે અને 17.00 કલાકે ઉપડીને 20:30 કલાકે થાવે જંકશન પહોંચશે.
21 જૂન 2025 થી 8 ડિસેમ્બર 2025 સુધી ટ્રેન સંખ્યા 19410 થાવે જંકશન-સાબરમતી એક્સપ્રેસ થાવે જંકશન થી 01.00 કલાકે ઉપડશે અને 04:45 કલાકે ગોરખપુર પહોંચશે અને 04.55 કલાકે ઉપડીને બીજા દિવસે 09.55 વાગ્યે સાબરમતી પહોંચશે.
માર્ગમાં ગોરખપુર-થાવે જંકશન વચ્ચે, આ ટ્રેન કપ્તાનગંજ, પડરૌના અને તમકુહી સ્ટેશનો પર રોકાશે.
ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, ગુજરાતના ઘણા જિલ્લાઓ પણ ભારે વરસાદની ઝપેટમાં છે.
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ પશ્ચિમ રેલ્વે મુખ્યાલય, મુંબઈ ખાતે ૧૪ કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માનિત કર્યા, જેમના યોગદાનથી સુરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત થયું. આ કર્મચારીઓ મે ૨૦૨૫ દરમિયાન ફરજ પર સતર્ક રહીને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવામાં સફળ રહ્યા.
યોજના પંચકમ અન્વયે સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના - સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના - સંસ્કૃત પ્રોત્સાહન યોજના - શ્રીમદ ભાગવદ ગીતા યોજના - શત સુભાષિત કન્ઠ પાઠ યોજના શરૂ કરાશે. રાજ્યમાં 6 થી 13 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ ઉજવી સંસ્કૃતમય વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો હાથ ધરાશે.