સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી-હરિદ્વાર દ્વિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર સ્ટેશન પર રિ-ડેવલપમેન્ટ કામ માટે મેગા બ્લૉકને લીધે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી પરિવર્તિત માર્ગથી ચાલશે. વિગતો માટે વધુમાં વાંચો.
ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી-હરિદ્વાર દ્વિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર સ્ટેશન પર રિ-ડેવલપમેન્ટ કામ માટે મેગા બ્લૉકને લીધે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી પરિવર્તિત માર્ગથી ચાલશે. વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલને 29 નવેમ્બર 2025 સુધી વિસ્તારિત કરવામાં આવી છે. આ જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલને 30 નવેમ્બર 2025 સુધી વિસ્તારિત કરવામાં આવી છે.
ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 30 નવેમ્બર 2025 સુધી નિર્ધારિત માર્ગ રેવાડી-અલવર-જયપુર-ફુલેરાને બદલે પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-નારનૌલ-રીંગસ-ફુલેરાના રસ્તે ચાલશે. પરિવર્તિત માર્ગ દરમિયાન આ ટ્રેન અટેલી, નારનૌલ, નીમ કા થાના, રીંગસ અને ફુલેરા સ્ટેશનો પર વધારાનું રોકાણ કરશે.
ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.