સમરસ છાત્રાલયો: વંચિત સમુદાયો માટે સમાવિષ્ટ અને વિનામૂલ્યે શિક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે
પછાત વર્ગો (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માટે ગૌરવ, સમાનતા અને તકો સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે
પછાત વર્ગો (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માટે ગૌરવ, સમાનતા અને તકો સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે. જે સર્વસમાવેશક વિકાસ અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ગુજરાતમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ સમુદાયો, ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક
અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગોના ઉત્થાન અને સશક્તિકરણ કરતી અનેક યોજનાઓ અને પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણને સુનિશ્ચિત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વારસાને આગળ વધારી રહ્યા છે.
આવો જ એક પ્રોજેક્ટ છે "સમરસ છાત્રાલય પ્રોજેક્ટ", જેમાં સામાજિક અને આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિના
વિદ્યાર્થીઓને, ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC)ના વિદ્યાર્થીઓને અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલોમાં રહેવા અને ગુણવત્તાયુક્ત જમવાની સગવડ વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવે છે.
સમરસ છાત્રાલયો આવા વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિનામૂલ્યે રહેવાની સુવિધા પૂરી પાડે છે.
આ આવાસીય સુવિધા ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જ્યાં સુનિશ્ચિત કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને સારા અને વ્યવસ્થિત રૂમ, સ્વચ્છ સેનિટેશન સુવિધાઓ, લાયબ્રેરી અને રિક્રિએશન એરિયા એટલે કે મનોરંજન માટેના વિસ્તારની એક્સેસ મળી શકે. સમરસ છાત્રાલયો ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની સાથે વ્યક્તિગત વિકાસ માટે પણ અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરે છે.
વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો ઉપરાંત આ પ્રોજેક્ટ વિદ્યાર્થીનીઓની સલામતી અને કલ્યાણ પર પણ ભાર મૂકે છે. છોકરીઓ માટે અલગ હોસ્ટેલ બનાવવામાં આવી છે, જેમાં તેમની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવાના પગલાં લેવામાં આવ્યા છે.
વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું ઉદ્ઘાટન! 655 વિઘા વિસ્તારમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 12,500 બેડની સુવિધા, 13 કંપનીઓનું ખાતમુહૂર્ત અને રોજગારીની નવી તકો. ગુજરાતના બિઝનેસ હબ વિશે વધુ જાણો.
ગુજરાત સરકારની અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શ્રમયોગીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. જાણો યોજનાના લાભો, નોંધણી પ્રક્રિયા અને શ્રમિક કલ્યાણ માટેની અન્ય પહેલો વિશે.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."