સરદાર પટેલ સાહેબે ભારતને એક બનાવ્યું, આપણે હવે એક ભારતમાં શ્રેષ્ઠ ભારત બનાવવાનું છેઃ રૂપાલા
વિસનગર સ્થિત એસ.કે.પટેલ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય કુર્મી પાટીદાર સમાજનું 45મુ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું
અખિલ ભારતીય કુર્મી પાટીદાર સમાજનું 45મુ રાષ્ટ્રીય અધિવેશન વિસનગર સ્થિત એસ.કે.પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયું હતું જેમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત સાંસદ શારદાબેન પટેલ તથા નરહરિ અમીન તેમજ પૂર્વ નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન પટેલ તેમજ શ્રી મથુરભાઈ સવાણી, પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયા, અ.ભા.કુ.ક્ષ. મ.રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયસિંહ નિરંજન ઉપસ્થિત રહ્યા હતા.આ અધિવેશનમાં સમગ્ર દેશમાંથી 25 રાજ્યના કુર્મી લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિસનગરમાં નેશનલ કનવેશન અને કુર્મી બિઝનેસ સમિટ પણ યોજવામાં આવી હતી તથા સીતા સ્વયંવર પણ યોજવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મત્સ્ય, ડેરી અને પશુપાલન મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે ગુજરાતમાં જેવી સરકાર બની છે એવી સરકાર જો સમગ્ર દેશના રાજ્યોમાં બને તો અમે દરેક રાજ્યને ગુજરાત જેવું સુરક્ષિત રાજય બનાવીશું. તેમણે કહ્યું હતું કે સરદાર સાહેબે દેશને એક બનાવ્યો આપણે એમના વંશજ છીએ અને હવે નવો નારો આવ્યો છે - એક ભારત મેં શ્રેષ્ઠ ભારત જે આપણે બનાવવાનું છે.
શ્રી રૂપાલાએ એક સૂચન આપતા કહ્યું હતું કે આવું મોટું સંમેલન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ યોજવું જોઈએ, જેથી સરદાર પટેલ સાહેબની વિશાળ પ્રતિમાના સૌ દર્શન કરી શકે. આ સાથે તેમણે કુર્મી પાટીદાર સમાજના ગૌરવ માટેનો એક સ્પેશિયલ દિવસ નક્કી કરવાનું સૂચન પણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જણાવ્યું કે આપણે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આઝાદીના અમૃત કાળની ઉજવણીના સ્વપ્નને ઉજવતી વખતે આપણો સમાજ કેવો અને ક્યાં હોવો જોઈએ એ લક્ષ્ય સાથે કામ કરવું પડશે. હવે સમય બદલાયો છે.પૂરી દુનિયા હવે ભારત સામે જોઈ રહી છે ભારત 5મી આર્થિક સતા બની રહ્યું છે. એટલું જ નહીં, ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આગળ આવવું પડશે.
આજના આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશના પાટીદારોના વિકાસ માટે ભારતભરમાં તેઓને જોડવાનું આ સુંદર પ્લેટફોર્મ બની રહેશે શિક્ષણ માટે પણ સમાજ આગળ આવી રહ્યો છે. સમગ્ર દેશના પાટીદાર સમાજ દરેક જગ્યાએ પોતાનો અવાજ અને દાયિત્વ નિભાવશે.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.