ભારત-પાક સરહદ અને દરિયાકાંઠાની સુરક્ષા સમીક્ષા, રાજ્ય પોલીસ વડા ડૉ. રાવ કચ્છ પહોંચશે
રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ 21-22 ફેબ્રુઆરીએ કચ્છ પ્રવાસે જશે! ભારત-પાક સરહદ અને દરિયાકાંઠાની સુરક્ષા સમીક્ષા, જખૌ-પિંગલેશ્વર મુલાકાત, ભુજમાં સેના-BSF-કોસ્ટ ગાર્ડ સાથે હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ. ઘૂસણખોરી-ડ્રગ્સ પર કડક નજર – વિગતો જુઓ.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે.
બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસ વડાશ્રી ભુજ ખાતે એક મહત્વપૂર્ણ 'ક્રાઈમ કોન્ફરન્સ'ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત કોઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવશે.
ડૉ. કે.એલ.એન.રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં તૈનાત મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસશે. આ ઉપરાંત, દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના મનોબળને વધારવા માટે તેમની સાથે સીધો સંવાદ કરશે અને તેમના કલ્યાણ માટેની સુવિધાઓની સમીક્ષા કરશે.
ગુજરાતમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી 23 ફેબ્રુઆરીથી શરૂ. ₹8000 પ્રતિ ક્વિન્ટલે ખરીદી, 1.33 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી. 130 ખરીદ કેન્દ્રો તૈયાર – SMSથી જાણ કરાશે, તમામ નોંધાયેલા ખેડૂતોને લાભ મળશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની જાહેરાત – વિગતો જુઓ.
અનંત અંબાણીએ અંબાજી મંદિરને 27.5 કરોડનું દાન આપ્યું! 'જય અંબે તિથિ ભોજન યોજના' હેઠળ 5 વર્ષ સુધી દરરોજ હજારો ભક્તોને મફત ભોજન (દરરોજ ₹1.51 લાખ ખર્ચ). કુલ દાન ₹30 કરોડથી વધુ – અંબાજી ટ્રસ્ટે કર્યું સન્માન. વિગતો જુઓ.
નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન! ATMA પ્રોજેક્ટ હેઠળ ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર અભિગમમાં તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – જીવામૃત, ઘનજીવામૃત, બિયારણ ઉપચાર અને જૈવિક જીવાત નિયંત્રણ પર માર્ગદર્શન. ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને જમીન ઉર્વરતા વધારવાના ટિપ્સ – વિગતો જુઓ.