બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચૂંટણીમાં શેખ હસીના ની અવામી લીગ પાર્ટીને બહુમતી મળી
બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચૂંટણીમાં શેખ હસીના ના નેતૃત્વવાળી અવામી લીગ પાર્ટીને બહુમતી મળી છે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય સંસદની 299 બેઠકો માટે થયેલી મત ગણતરીમાં અત્યાર સુધીમાં 224 બેઠકોના પરિણામો આવ્યા છે. અવામી લીગે 165 બેઠકો જીતી છે, જ્યારે રાષ્ટ્રીય પાર્ટીના નવ ઉમેદવારો જીત્યા છે.
બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચૂંટણીમાં શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગ પાર્ટીને બહુમતી મળી છે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય સંસદની 299 બેઠકો માટે થયેલી મત ગણતરીમાં અત્યાર સુધીમાં 224 બેઠકોના પરિણામો આવ્યા છે. અવામી લીગે 165 બેઠકો જીતી છે, જ્યારે રાષ્ટ્રીય પાર્ટીના નવ ઉમેદવારો જીત્યા છે. 49 અપક્ષ અને અન્ય પક્ષોના એક ઉમેદવાર જીત્યા છે. બાકીની બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે અને તેના પરિણામો આજે બપોર સુધીમાં મળી જશે.
આ શાનદાર જીત સાથે વર્તમાન વડાપ્રધાન અને અવામી લીગના પ્રમુખ સતત ચોથી વખત સરકાર બનાવશે અને પાંચમી વખત વડાપ્રધાન બનશે. તેમણે ગોપાલગંજ-3 સીટ જંગી માર્જીનથી જીતી હતી. હસીનાએ પાર્ટી કાર્યકર્તાઓને ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ કોઈ પણ વિજય સરઘસ ન કાઢવાની સૂચના આપી છે.
ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન હિંસાના છૂટાછવાયા બનાવો સિવાય મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.
ગઈકાલે ત્રણસોમાંથી 299 બેઠકો માટે મતદાન થયું હતું. બાંગ્લાદેશના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સંસદીય ચૂંટણીમાં લગભગ ચાલીસ ટકા મતદાન થયું હતું. મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને તેના સહયોગીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ પક્ષોએ આરોપ લગાવ્યો કે શેખ હસીનાની સરકારમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનનો સૌથી મોટો સમર્થક બનેલા ચીનમાં એક મોટો વિનાશક હુમલો થયો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિસ્ફોટ પછી કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. પાકિસ્તાનના મંત્રી તલાલ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત ભૂલ કરશે તો પાકિસ્તાન જવાબમાં નવી તારીખ લખશે.
"પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને 130 અણુબોમ્બની ધમકી આપી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, જેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો. જાણો વિવાદની સંપૂર્ણ માહિતી."