સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી લગ્નના બંધનથી જોડાયા, તેલંગાણાના મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યાં!
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી વિશેના એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ લગ્ન કરી લીધા છે.
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી વિશેના એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ લગ્ન કરી લીધા છે. આ કપલે નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં શ્રી રંગનાયકસ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા. આ કપલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું.
બોલિવૂડના કોરિડોરમાં એક સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંનેના લગ્ન વનપર્થીના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં થયા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે એવું માનવામાં આવે છે કે બંનેએ એકબીજાને હંમેશ માટે જીવનસાથી બનાવી લીધા છે. એવા પણ અહેવાલ હતા કે અદિતિ રાવ અને સિદ્ધાર્થ લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તેમના પ્રેમની શરૂઆત ફિલ્મના સેટ પર થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધાર્થ અને અદિતિના લગ્ન અત્યંત સાદગી સાથે થયા હતા. તેમના લગ્નમાં તેમના પરિવારના સભ્યો સાથે માત્ર ખાસ સંબંધીઓ જ હાજર હતા. જો કે અત્યાર સુધી આ કપલ દ્વારા લગ્નને લઈને કોઈ પણ પ્રકારની તસવીર કે જાહેરાત કરવામાં આવી નથી. તેથી, ચાહકો હજી પણ સિદ્ધાર્થ અને અદિતિના લગ્નની તસવીર જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી તે આ સમાચાર પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકે.
રામ ગોપાલ વર્માએ 'ધુરંધર 2' અને 'ટોક્સિક' ના મુકાબલાને સિનેમાની બે સંસ્કૃતિઓ વચ્ચેનો જંગ ગણાવ્યો
જાણીતા ફિલ્મ સર્જક રામ ગોપાલ વર્માએ 19 માર્ચના રોજ રિલીઝ થઈ રહેલી રણવીર સિંહની 'ધુરંધર 2' અને યશની 'ટોક્સિક' વચ્ચેના ક્લેશને "બે સિનેમેટિક સંસ્કૃતિઓ વચ્ચેનો ક્રૂર સંઘર્ષ" ગણાવ્યો છે.
પ્રભાસ સ્ટારર ફિલ્મ 'ધ રાજા સાબ'ની અભિનેત્રી રિદ્ધિ કુમારે બોલીવુડની એવરગ્રીન દિવા રેખાના જીવન પર આધારિત ફિલ્મમાં કામ કરવાની ઉત્કટ ઈચ્છા વ્યક્ત કરી છે.
રિદ્ધિએ જણાવ્યું કે તે રેખાજીના વ્યક્તિત્વ સાથે એક આધ્યાત્મિક અને ઊંડું જોડાણ અનુભવે છે; આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર કાસ્ટિંગને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલ તેમની આઇકોનિક ફિલ્મ 'આર્યા 2' પછી પ્રથમ વખત મોટા પડદા પર ફરી સાથે જોવા મળશે.
આ જોડી લગભગ બે દાયકા (19 વર્ષ) પછી કોઈ પ્રોજેક્ટ માટે ફરી જોડાઈ રહી છે; સોશિયલ મીડિયા પર આ સમાચાર જાહેર થતા જ 'આર્યા' ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઈ છે.