Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • લખનઉ ડિવિઝન માં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

લખનઉ ડિવિઝન માં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

Lucknow March 17, 2025
લખનઉ ડિવિઝન માં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

લખનઉ ડિવિઝન માં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

સંપૂર્ણપણે રદ ટ્રેનો

1.       21, 28 માર્ચ અને 4, 11, 18, 25 એપ્રિલ 2025 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ રદ રહેશે.

2.       24, 31 માર્ચ અને 7, 14, 21, 28 એપ્રિલ 2025 ના રોજ ભાગલપુરથી ચાલનારી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ રદ રહેશે.

3.       21,28 માર્ચ અને 4,11,18, 25 એપ્રિલ 2025 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ રદ રહેશે.

4.       24,31 માર્ચ અને 7,14,21, 28 એપ્રિલ 2025ના રોજ દરભંગાથી ચાલનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.

પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો

1.       22,24,29,31 માર્ચ અને 5,7,12,14,19,21,26,28 એપ્રિલ 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બુઢવલ-લખનઉ-કાનપુર સેન્ટ્રલ-કાસગંજને બદલે પરિવર્તિત માર્ગ વાયા બુઢવલ-સીતાપુર સિટી-શાહજહાંપુર-કાસગંજ ના રસ્તે ચાલશે.

2.       20,27 માર્ચ અને 3,10,17,24 એપ્રિલ 2025 ના રોજ મુઝફ્ફરપુરથી ચાલનારી ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોરખપુર-લખનઉ-કાનપુર સેન્ટ્રલના બદલે છપરા-વારાણસી સિટી-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.

3.       20,27 માર્ચ અને 3,10,17,24 એપ્રિલ 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોરખપુર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ગોરખપુર-ઔંડિહાર-જૌનપુર-જંઘઈ-ફાફામઉ-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.
 
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

સીટ નંબર ૧૧એ વિશે કંઈક તો ખાસ વાત છે! ૨૭ વર્ષ પહેલાં પણ એક આવોજ ચમત્કાર થયો હતો
new delhi
June 14, 2025

સીટ નંબર ૧૧એ વિશે કંઈક તો ખાસ વાત છે! ૨૭ વર્ષ પહેલાં પણ એક આવોજ ચમત્કાર થયો હતો

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ રમેશ જે સીટ પર બેઠેલા હતા, જે સીટ પર થાઈ ગાયક લોયચુસાક ૨૭ વર્ષ પહેલાં બેઠેલા હતા એટલે કે સીટ નંબર ૧૧એ. ૧૯૯૮ના વિમાન દુર્ઘટનામાં પણ લોયચુસાક એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હતા.

નરેન્દ્ર મોદીના નામે વધુ એક રેકોર્ડ! ક્રોએશિયા પહોંચનારા પહેલા ભારતીય પીએમ
new delhi
June 14, 2025

નરેન્દ્ર મોદીના નામે વધુ એક રેકોર્ડ! ક્રોએશિયા પહોંચનારા પહેલા ભારતીય પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (15 જૂન) સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેઓ કેનેડામાં G7 સમિટમાં હાજરી આપશે અને સાયપ્રસ અને ક્રોએશિયાની પણ મુલાકાત લેશે.

દિલ્હીમાં કેરીનો ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે, કેરીમાંથી બનેલી આ વાનગીઓ પીરસવામાં આવશે
new delhi
June 14, 2025

દિલ્હીમાં કેરીનો ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે, કેરીમાંથી બનેલી આ વાનગીઓ પીરસવામાં આવશે

આ કેરી ઉત્સવ દિલ્હીમાં પણ યોજાઈ રહ્યો છે. તે 27 જૂનથી દિલ્હીના માલવિયા નગરમાં શરૂ થશે અને 6 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ક્લાસિકથી લઈને ફ્યુઝન અને સર્જનાત્મક કેરીની વાનગીઓની શ્રેણી હશે. ભલે તમે પરંપરાગત કેરીના સ્વાદના શોખીન હોવ અથવા નવા સ્વાદનો પ્રયાસ કરવા માંગતા હોવ, અહીં દરેક પ્રકારના કેરી પ્રેમી માટે કંઈકને કંઈક હશે.

Braking News

Maha Kumbh 2025:  એક જ દિવસમાં સાડા ત્રણ કરોડ ભક્તોએ અમૃત સ્નાન કર્યું
Maha Kumbh 2025: એક જ દિવસમાં સાડા ત્રણ કરોડ ભક્તોએ અમૃત સ્નાન કર્યું
January 15, 2025

મહા કુંભ 2025 ની શરૂઆત 13 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજમાં થઈ હતી, જે વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડામાંના એકની શરૂઆતને ચિહ્નિત કરે છે. બીજા દિવસે, 14 જાન્યુઆરીએ, મકરસંક્રાંતિના શુભ અવસર સાથે પ્રથમ શાહી સ્નાન (અમૃત સ્નાન) યોજવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express