સોમનાથ મહોત્સવ : મૈસૂર મંજૂનાથની વાયોલીન શૈલીમા તલ્લીન થયા કલારસિકો
મહાશિવરાત્રીના પાવન અવસરે ઘૂઘવતા દરિયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને કળાના સમન્વય 'સોમનાથ મહોત્સવ'માં પ્રખ્યાત વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ, શ્રી સુમંત મંજૂનાથ અને મૃદંગવાદક ડૉ.તીરૂવરૂરની ત્રિપુટીએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી તરખાટ મચાવ્યો હતો.
મહાશિવરાત્રીના પાવન અવસરે ઘૂઘવતા દરિયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને કળાના સમન્વય 'સોમનાથ મહોત્સવ'માં પ્રખ્યાત વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ, શ્રી સુમંત મંજૂનાથ અને મૃદંગવાદક ડૉ.તીરૂવરૂરની ત્રિપુટીએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી તરખાટ મચાવ્યો હતો.
વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ અને શ્રી સુમંત મંજૂનાથે 'હંસધ્વની' રાગથી શરૂ કરીને 'ચારૂકેશી' રાગમાં તાલબદ્ધ રાગ છેડી એક પછી એક અતિસુંદર પ્રસ્તુતીઓ રજૂ કરી હતી.
મૃદંગ મેસ્ટ્રો તરીકે ખ્યાત ડૉ.તીરૂવરૂર ભક્તવત્સલમે બન્ને મહારથીઓનો એવો સાથ આપ્યો હતો કે વાયોલિન સાથે મૃદંગની એક-એક થાપે શ્રોતાઓને તાળીઓ પાડવા પ્રેર્યા હતાં.
શ્રોતાઓએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી 'વૈષ્ણવજન તો તેને રે કહીએ...' , 'સુંદર શંકર શશિશેખરા સોમનાથ ભવ: સહિતની 'શિવસ્તુતિ' અને અન્ય પ્રસ્તુતિઓને એકચિત્તે માણી હતી.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.