GCS Hospital દ્વારા ફાયર ફાઈટર કર્મચારીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ, ફર્સ્ટ એઈડ, અને બર્ન ટ્રેનિંગ ઝુંબેશ
જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ – સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 47 સીપીઆર ટ્રેનિંગમાં 4900 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો
જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ – સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 47 સીપીઆર ટ્રેનિંગમાં 4900 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો. આ અભિયાન હેઠળ 04 મે ના રોજ ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા ફાયર ફાઇટર્સ માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં અમદાવાદના 18 જેટલા ફાયર સ્ટેશનમાં ફાયર કર્મચારીઓ માટે CPR, First Aid and Burn ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે.
આજે સામાન્ય માણસ હોય કે કોઈ મોટા સેલિબ્રિટી, તેઓ નાની ઉંમરે પણ ‘કાર્ડિએક એરેસ્ટ’ (હૃદયનું કામચલાઉ ખૂબ ધીમું અથવા બંધ પડી જવું)ના ભોગ બને છે. તેઓને CPR ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40 કાથી પણ વધુ વધી જાય છે. આ પદ્ધતિમાં કાર્ડિયાક અરેસ્ટ સમયે છાતી પર અમુક નિયત જગ્યાએ, નિયત સમયે દબાણ આપવાનું હોય છે તેનાથી હૃદયના ધબકારા પાછા શરુ થાય છે અને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.
CPR પ્રક્રિયા એટલે કે કાર્ડીઓ પલ્મોનરી રિસસીટેશન જેમાં હાર્ટ એટેકના દર્દીને બચાવવા કઈ રીતે છાતીના કયા ભાગમાં હાથની કઈ સ્થિતિમાં પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવું તે અંગે જીસીએસ હોસ્પિટલના ઇમર્જન્સી મેડિસિન વિભાગના ડૉ. પ્રકૃતિ પટેલ, ડૉ. મીત પટેલ અને નર્સિંગ સ્ટાફમાંથી સેલિના ક્રિશ્ચિયન અને ધ્રુવ સક્સેનાએ પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવ્યું હતું. કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડુબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPRથી ઘણા લોકોના જીવ બચાવી શકે.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ! અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેન 09663 ઉદયપુરથી 12:25, 26964 અસારવાથી 17:45 (મંગળવાર સિવાય). રૂટમાં હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. 8 કોચ, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, સુરક્ષિત મુસાફરી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.
PM મોદીએ આસામથી ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇ-બસોને લીલી ઝંડી આપી, પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ગુજરાતને મોટી ભેટ – આગામી સમયમાં 8 શહેરોમાં 750 બસો દોડશે (વડોદરા 250, રાજકોટ-ભાવનગર-ગાંધીનગર 100, જામનગર-જુનાગઢ 50, ગાંધીધામ 80, નવસારી 20). ₹5450 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન. વિગતો જુઓ.
પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામમાં મહાસિવરાત્રી પર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર ઉદ્ઘાટન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમારોહ, યુવાનોને નશામુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ. કૈલાશધામ આશ્રમમાં 30 કિ.મી. વિસ્તારમાંથી 20,000+ ભક્તો દર્શન કરે છે. વિગતો જુઓ.