સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે યોજાયેલ ડાક ચૌપાલની સફળતા પૂર્વક સમાપ્તિ
નાગરિકોને સરકારની સેવાઓ તેમના ઘરે પહોંચાડવાના હેતુથી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ગાંધીનગરમાં "ડાક ચૌપાલ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ડિજિટલ ઈન્ડિયા, નાણાકીય સમાવેશ અને અંત્યોદય સુધી પહોંચવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ સાથે, "ડાક ચૌપાલ" કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ ગાંધીનગરમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે, મંત્રીએ પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી લોક કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કર્યા અને મહિલાઓને સમ્માન બચત સર્ટિફિકેટ આપ્યા.
સ્વાતંત્ર્ય દિવસના અવસર પર, 15 ઓગસ્ટના રોજ, પોસ્ટલ વિભાગ ગુજરાતના દરેક ગામમાં બ્રાન્ય પોસ્ટ ઓફિસમાં ધ્વજવંદન અને ડાક ચૌપાલનું આયોજન કરશે, જ્યાં નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઓફર કરાતી વિવિધ જન કલ્યાણ સેવાઓ વિશે માહિતી આપવામાં આવશે. – એમ શ્રી પિયુષ રાજક, વરિષ્ઠ અધિક્ષક, ગાંધીનગર ડાક મંડળ વિભાગે જણાવ્યું.
આ પ્રસંગે ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં પોસ્ટલ વિભાગે પોતાની સેવાઓને આધુનિક બનાવવાના પ્રયત્નો અને તેની પહોંચને વિસ્તૃત કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો પર પ્રદર્શન અને ચર્ચા પણ કરવામાં આવી હતી. "નાગરિકોના દરવાજે સરકારી સેવાઓ લાવવી"ના હેતુ સાથે પોસ્ટલ વિભાગની પહેલ નાગરિક કેન્દ્રિત સેવાઓ જેમ કે નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ બેંક, ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT), ઇ-કોમર્સ અને નિકાસ સેવાઓ વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
"ડાક ચૌપાલ" દ્વારા સરકારી કલ્યાણ યોજનાઓ અને તેમના લાભો પોસ્ટ ઓફિસો દ્વારા જાહેરમાં પહોંચાડવામાં આવે છે. ભારત પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) સાથે, પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો (ગ્રામીણ પોસ્ટલ કર્મચારીઓ) હવે મોબાઇલ બેંક તરીકે કામ કરી રહ્યા છે, જે નાણાકીય સેવાઓ સીધી નાગરિકોના ઘરે લાવી રહ્યા છે. – એમ શ્રી કૃષ્ણકુમાર યાદવ, પીએમજી મુખ્યાલય ક્ષેત્રે જણાવ્યું.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.