સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતી: વિધાનસભા અધ્યક્ષે કરી ભાવપૂર્ણ પુષ્પાંજલિ
ગાંધીનગર: રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતીના પવિત્ર અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા પોડિયમ ખાતે સ્વામીજીના તૈલચિત્ર સમક્ષ ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે યુવાનો માટે આદર્શરૂપ અને પ્રેરણારૂપ એવા સ્વામી વિવેકાનંદજીની ૧૬૩મી જન્મજયંતી 'રાષ્ટ્રીય યુવા દિવસ'ના અવસરે તેમના તૈલચિત્ર સમક્ષ ભાવપૂર્ણ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.
આ પ્રસંગે શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી છે. સ્વામી વિવેકાનંદ યુવાનોના પ્રેરણામૂર્તિ છે. આજે વિશ્વમાં સૌથી વધુ યુવાઓ ભારત દેશમાં છે. વિવેકાનંદજીના વિચારો ‘જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ પુરુષાર્થને કર્મ સમજીને જો ભારતના યુવાનો કાર્ય કરશે ત્યારે જ ભારતને વિશ્વગુરુ બનાવવાનું સ્વામી વિવેકાનંદજીનું સ્વપ્ન સાકાર થશે.
આ પ્રસંગે એ.પી.એસ અને હિલવુડ શાળાના વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જીવન પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈએ આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવાની સાથે સન્માન પત્ર આપી પુરસ્કૃત કર્યા હતા.
આ પ્રસંગે જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય સંજય કોરાડિયા, ગુજરાત વિધાનસભા સચિવ શ્રી સી. બી. પંડ્યા, વિધાનસભાના ઉચ્ચ અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ પણ સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પો અર્પણ કર્યા હતા.
ઇન્ડો ક્વાન્ટમ સમિટ ગુજરાત 2026: PDEU ગાંધીનગરમાં ભવ્ય ઉદ્ઘાટન – પ્રોફ. એસ. સુંદર મનોહરણનું ભાષણ (મેગ્નેટોરેઝિસ્ટન્સ), ક્વાન્ટમ કમ્પ્યુટિંગ અને સુરક્ષિત સંચાર પર રાઉન્ડ ટેબલ ચર્ચા. 300+ નિષ્ણાતો, ISRO, IBMની ઉપસ્થિતિ. વિગતો અને હાઇલાઇટ્સ અહીં વાંચો.
ગુજરાતે દેશની નવીનીકરણીય ઊર્જામાં 16.50% યોગદાન આપીને ટોપ પર પહોંચ્યું છે. 42.583 GW ક્ષમતા, 11 લાખ+ રૂફટોપ સોલાર (6412 MW), પવનમાં પણ નંબર 1. 2030માં 105 GW લક્ષ્ય અને 2.37 લાખ નોકરીઓ. વિગતો અહીં વાંચો.
કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે દેશલપર-હાજીપીર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂક્યો છે. જાણો ભુજ અને ઝખૌ પોર્ટ જવા માટેના નવા વૈકલ્પિક રૂટ.