અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
અમદાવાદમાં એક વ્યક્તિ પર વ્યાજખોરોનો ચાકુ-તલવારથી જીવલેણ હુમલો, AAP નેતા ઈસુદાન ગઢવીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભાજપ પર સાધ્યું નિશાન.
અમદાવાદ/ગુજરાત : ગુજરાતમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થઈ રહી છે અને અવારનવાર હત્યા, લૂંટ, જીવલેણ હુમલાઓ, બળાત્કાર જેવી ઘટનાઓ ઘટી રહી છે. જેની સામે હંમેશા આમ આદમી પાર્ટી પોતાનો અવાજ ઉઠાવે છે અને સરકારને સવાલ કરતી આવી છે. હાલમાં અમદાવાદમાં થયેલા એક ગંભીર ઘટના વિશે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભાજપ સરકાર પર Xના માધ્યમથી નિશાનો સાધતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે, વ્યાજખોરો બેફામ બન્યા છે, મનફાવે એમ હુમલાઓ કરે છે અને હુમલા કરનારા લોકોને તરત પાછા જામીન પણ મળી જાય છે.
વધુમાં AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, 2 દિવસ અગાઉ અમદાવાદના ઇસ્કોન વિસ્તાર પાસે મનીષભાઈ રાઠોડ નામના વ્યક્તિ પર વ્યાજખોરોએ ચાકુ અને તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો અને અત્યારે તેઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે, તેવું તેમના દિકરાએ કહ્યું છે. આના પહેલા પણ મનીષભાઈ પર આ વ્યાજખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હુમલાખોરોને એક જ દિવસમાં છોડી દેવામાં આવ્યા હતા. અમારી માંગ છે કે આ વ્યાજખોરો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આગળથી કોઈ આવું કરવાની હિંમત ન કરે. ગુજરાતના ગૃહમંત્રી આમ તો મોટી મોટી વાતો કરે છે કે “કોઈ વ્યાજખોરોને છોડવામાં નહીં આવે, સરકાર વ્યાજખોરોથી પીડાતા લોકોની સાથે છે” પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.
આમ આદમી પાર્ટીએ કેરળ વિધાનસભા ચૂંટણી માટે ૨૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ચૂંટણી પંચે EVM પર ફોટા અને ૧૦૦% વેબકાસ્ટિંગ જેવી નવી સુવિધાઓની પણ જાહેરાત કરી છે.