પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓનો હુમલો, 38 માર્યા ગયા; ઘણા ઘાયલ
આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોના વાહનોને નિશાન બનાવ્યા છે. આ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 38 લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર થયો હતો. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ શિયા મુસ્લિમ નાગરિકોને લઈ જતા મુસાફરોના વાહનો પર ગોળીબાર કર્યો છે. તાજેતરના વર્ષોમાં આ વિસ્તારમાં આ પ્રકારનો સૌથી ઘાતક હુમલો છે. મૃત્યુઆંક વધી શકે છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનનો સૌથી મોટો સમર્થક બનેલા ચીનમાં એક મોટો વિનાશક હુમલો થયો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિસ્ફોટ પછી કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. પાકિસ્તાનના મંત્રી તલાલ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત ભૂલ કરશે તો પાકિસ્તાન જવાબમાં નવી તારીખ લખશે.
"પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને 130 અણુબોમ્બની ધમકી આપી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, જેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો. જાણો વિવાદની સંપૂર્ણ માહિતી."