Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને ‘ઈરમા’ નો ૪૩મો પદવિદાન સમારોહ યોજાયો

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને ‘ઈરમા’ નો ૪૩મો પદવિદાન સમારોહ યોજાયો

ઈરમાનો ૪૩મો પદવિદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડીબી,આણંદના ટી.કે.પટેલ ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ઈરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૩૦૩ વિદ્યાર્થીઓને પદવી તથા ૦૨ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.  

Ahmedabad June 07, 2024
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને ‘ઈરમા’ નો ૪૩મો પદવિદાન સમારોહ યોજાયો

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને ‘ઈરમા’ નો ૪૩મો પદવિદાન સમારોહ યોજાયો

આણંદ : ઈન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) નો ૪૩મો પદવિદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડીબી,આણંદના ટી.કે.પટેલ ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ઈરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૩૦૩ વિદ્યાર્થીઓને પદવી તથા ૦૨ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. 

ઈરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, અથાગ પરિશ્રમ અને આપના માતાપિતાના આશિષથી પ્રાપ્ત થયેલ આ ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરી રાષ્ટ્રની સેવા અને રાષ્ટ્રનિર્માણના કાર્ય કરવા હવે આપ તૈયાર થયા છો. વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સિદ્ધાંતો અને મૂલ્યોને પ્રાધાન્ય આપીને માત્ર વ્યક્તિગત સફળતા નહી પરંતુ એક આખા સમૂહની સફળતાને ધ્યાનમાં રાખીને કાર્ય કરશો તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મેળવી શક્શો તેમ પણ જણાવ્યુ હતું.

શ્રી નાયડુએ ગ્રામીણ વિકાસમાં ઈરમાના વિદ્યાર્થીઓની ભૂમિકા સમજાવતાં કહ્યું કે, દેશના ગ્રામીણ ક્ષેત્રના નાગરિકોના વિકાસ, સુપોષણ અને સ્થિર રોજગારને સુનિશ્ચિત કરવા ઈરમા એ જે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે તેમાં જોડાઈને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનું દાયિત્વ આપ સૌ યુવાઓનું છે. ૪૫ વર્ષથી દેશમાં ઈરમાએ ગ્રામિણ ક્ષેત્રના વિકાસ માટે સંચાલકો તૈયાર કરવાનું ઉત્કૃષ્ઠ કાર્ય કર્યુ છે. આજે નવીન અને ક્રિયાત્મક વિચારધારા સાથે સમસ્યાના ઉકેલ શોધીને દેશના ગ્રામિણક્ષેત્રને વિકાસના પથ પર લાવી શકાયું છે તેમાં ઈરમાનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે.

શ્રી નાયડુએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ચારિત્ર્યવાન, સહકારભાવ અને સિદ્ધાંતો સાથે કાર્ય કરનાર યુવા પેઢી જ મજબૂત અને સશક્ત રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરે છે. તેમણે વિદ્યાર્થીઓને કમિશન માટે નહીં પણ દેશસેવાના મિશન સાથે કાર્ય કરવા જણાવ્યુ હતું. તેમણે વિદ્યાર્થીઓને નવી ફેશન ને અનુસરવા કરતા પોતાની અંદર રહેલા સેવાકિય વિચારોના પેશન (જુસ્સા)ને અનુસરવા જણાવ્યુ હતું.

તેમણે મહાત્મા ગાંધીના અન્યોને સહાયરૂપ થવા અને અન્યોની સેવા કરવાના વિચારથી લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સુત્રને અપનાવી સંપોષિત વિકાસની વિચારધારાને આગળ વધારવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પ્રમાણિકતા, ઈમાનદારી, પારદર્શિકતા અને શિસ્તબદ્ધતા જેવા મૂલ્યોને જીવનમાં હંમેશા પાલન કરવાની સલાહ આપી હતી.  

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

સીટ નંબર ૧૧એ વિશે કંઈક તો ખાસ વાત છે! ૨૭ વર્ષ પહેલાં પણ એક આવોજ ચમત્કાર થયો હતો
new delhi
June 14, 2025

સીટ નંબર ૧૧એ વિશે કંઈક તો ખાસ વાત છે! ૨૭ વર્ષ પહેલાં પણ એક આવોજ ચમત્કાર થયો હતો

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ રમેશ જે સીટ પર બેઠેલા હતા, જે સીટ પર થાઈ ગાયક લોયચુસાક ૨૭ વર્ષ પહેલાં બેઠેલા હતા એટલે કે સીટ નંબર ૧૧એ. ૧૯૯૮ના વિમાન દુર્ઘટનામાં પણ લોયચુસાક એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હતા.

નરેન્દ્ર મોદીના નામે વધુ એક રેકોર્ડ! ક્રોએશિયા પહોંચનારા પહેલા ભારતીય પીએમ
new delhi
June 14, 2025

નરેન્દ્ર મોદીના નામે વધુ એક રેકોર્ડ! ક્રોએશિયા પહોંચનારા પહેલા ભારતીય પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (15 જૂન) સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેઓ કેનેડામાં G7 સમિટમાં હાજરી આપશે અને સાયપ્રસ અને ક્રોએશિયાની પણ મુલાકાત લેશે.

દિલ્હીમાં કેરીનો ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે, કેરીમાંથી બનેલી આ વાનગીઓ પીરસવામાં આવશે
new delhi
June 14, 2025

દિલ્હીમાં કેરીનો ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે, કેરીમાંથી બનેલી આ વાનગીઓ પીરસવામાં આવશે

આ કેરી ઉત્સવ દિલ્હીમાં પણ યોજાઈ રહ્યો છે. તે 27 જૂનથી દિલ્હીના માલવિયા નગરમાં શરૂ થશે અને 6 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ક્લાસિકથી લઈને ફ્યુઝન અને સર્જનાત્મક કેરીની વાનગીઓની શ્રેણી હશે. ભલે તમે પરંપરાગત કેરીના સ્વાદના શોખીન હોવ અથવા નવા સ્વાદનો પ્રયાસ કરવા માંગતા હોવ, અહીં દરેક પ્રકારના કેરી પ્રેમી માટે કંઈકને કંઈક હશે.

Braking News

ઉત્તરપદેશ: યુવા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા માટે 'મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન' શરૂ
ઉત્તરપદેશ: યુવા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા માટે 'મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન' શરૂ
January 08, 2025

ઉત્તર પ્રદેશ સરકારે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ, યુવાનોમાં રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી, મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન, પરિવર્તનાત્મક પહેલનું અનાવરણ કર્યું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express