કારોડા બ્રહ્મભટ્ટ સમાજની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
કારોડા બ્રહ્મભટ્ટ સમાજ ની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી ના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારોડા ગામે તા.૧૪-૧૫/૧૨/૨૦૨૪ ના રોજ યોજાયો
કારોડા બ્રહ્મભટ્ટ સમાજની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારોડા ગામે તા.૧૪-૧૫/૧૨/૨૦૨૪ ના રોજ યોજાયો, આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કારોડા બ્રહ્મભટ્ટ સમાજના ભાઈઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો.આ સમગ્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગામમાં રહેતા તથા બહારગામ રહેતા ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવ્યું, ગામના વડીલો, ભાઈઓ અને યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી આ મહોત્સવને યાદગાર બનાવવામાં આવ્યો, પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ મંદિર પરિસરમાં ભવાઈના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આખા કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી સમગ્ર કારોડા બ્રહ્મભટ્ટ સમાજને સાથે રાખી પ્રસંગ ને રંગેચંગે ભવ્ય રીતે ઉજવવામાં ખૂબ જ જહેમત અને મહેનત કરી સફળ બનાવનાર ભાઈ શ્રી કિશનભાઈ બ્રહ્મભટ્ટ તથા ગૌરવભાઈ બ્રહ્મભટ્ટનું સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્માનીત કરાયા હતા.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."