સંખેડા ગ્રામ પંચાયત દ્વારા ખરાબાની જગ્યામાં આવેલ નીલગિરીની મામલતદારની અધ્યક્ષતામાં હરાજી કરવામાં આવી
નીલગરીની હરાજી કરવાનું સ્થળ સંખેડા લીઝ પર રાખવામાં આવ્યું હતું જેમાં સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ તેમજ ડેપ્યુટી સરપંચ અને મામલતદાર પટેલ સાહેબ તેમજ નાયબ મામલતદાર અને ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં હરાજી કરવામાં આવી હતી.
કમલેશ પટેલ.સંખેડા : સંખેડા વિસ્તાર નાગરિકો તેમજ વેપારી મંડળ તેમજ આજુબાજુના વિસ્તારના હરાજીમાં ભાગ લીધેલ 57 જેટલા વેપારીઓએ ડિપોઝિટ ભરી હતી અને મામલતદાર પટેલ સાહેબ તેમજ સરપંચ નીતિનભાઈ શાહ અને અધિકારીઓની સામે હરાજી બોલવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી એક પછી એક ઊંચી કિંમત બોલાતા જેમાં એક વેપારી દ્વારા નીલગરીની કિંમત ૩૨ લાખ 26 હજારની મતબલ રકમ સૌથી વધુ બોલી સંખેડા પંચાયત પાસેથી નીલગીરીની મંજુરી મેળવી હતી અને સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ દ્વારા જણાવ્યું હતું કે આ આવેલ રકમ પંચાયતના વિકાસના કામ અર્થે ઉપયોગ કરશે તેમ જણાવ્યું હતું. અને સારી કિંમત આપવા બદલ સરપંચ દ્વારા વેપારી નો આભાર વ્યક્ત.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.