Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS વિભાગની શિબિર ઝરણાવાડી ગામે યોજાઈ

દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS વિભાગની શિબિર ઝરણાવાડી ગામે યોજાઈ

દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા તારીખ ૨૭મી જાન્યુઆરીથી ૦૨જી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન કુલ ૦૭ દિવસની વાર્ષિક શિબિર યોજાઈ હતી.

Rajpipla February 03, 2024
દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS વિભાગની શિબિર ઝરણાવાડી ગામે યોજાઈ

દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS વિભાગની શિબિર ઝરણાવાડી ગામે યોજાઈ

રાજપીપલા: દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા તારીખ ૨૭મી જાન્યુઆરીથી ૦૨જી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન કુલ ૦૭ દિવસની વાર્ષિક શિબિર યોજાઈ હતી. કોલેજના આચાર્યા ડૉ. અનિલાબેન પટેલની આગેવાનીમાં એન. એસ. એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવા દ્વારા દેડીયાપાડા તાલુકાના ઝરણાવાડી ગામે આ વાર્ષિક શિબિર યોજાઈ હતી. જેમાં કુલ ૫૦ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 શિબિરના સાત દિવસ દરમ્યાન એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા ઝરણાવાડી ગામમાં લોક જાગૃતિ માટે રેલી, શેરી નાટક, લોક સંપર્ક, ગામનો સર્વે જેવા વિવિધ માધ્યમો થકી કાર્યક્રમો યોજ્યા હતા. ગામની પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા જાહેર રસ્તાઓની સાફ સફાઈ હાથ ધરી ભારત સરકાર દ્વારા ચાલતા સ્વછતા અભિયાનમાં ભાગીદારી નોંધાવી હતી. આ શિબિર દરમિયાન એન.એસ.એસ.ના સ્વયંસેવકોના વ્યક્તિત્વ વિકાસ માટે વિવિધ બૌદ્ધિક વ્યાખ્યાન, સેમિનાર અને સમૂહ જીવન જીવતા કેળવાય તે માટે સમૂહ કાર્યનું પણ આયોજન કરાયું હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

ઉત્તરાખંડ માં બહારના લોકો ખેતીની જમીન ખરીદી શકશે નહીં, સરકારે મૂક્યો પ્રતિબંધ
ઉત્તરાખંડ માં બહારના લોકો ખેતીની જમીન ખરીદી શકશે નહીં, સરકારે મૂક્યો પ્રતિબંધ
January 02, 2024

ઉત્તરાખંડમાં, જ્યાં સુધી જમીન કાયદા સમિતિનો અહેવાલ રજૂ ન થાય અથવા આગોતરા આદેશો ન આવે ત્યાં સુધી, જિલ્લા મેજિસ્ટ્રેટ રાજ્યની બહારના લોકોને ખેતી અને બાગાયતી હેતુઓ માટે જમીન ખરીદવાની મંજૂરી આપી શકશે નહીં.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
July 05, 2023
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express