રાજપીપલા-પોઈચાની વધારાની એસટી બસોની ટ્રીપો શરૂ થતાં વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થશે
ટુંક સમય પહેલા પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલ બાદ ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક તરફથી સ્પષ્ટતા કરાઇ.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તાજેતરમાં સ્થાનિક વર્તમાનપત્રોમાં પોઈચાથી રાજપીપલા તરફ આવતી એસ.ટી. બસોને રોકી આંદોલન કરવા તથા નિયમિત એસટી બસની સુવિધા વિષે પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલ અંગે ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક તરફથી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, સવારે ૦૯:૧૫ થી ૦૯:૪૦ તથા સાંજે ૧૭:૧૫ થી ૧૭:૪૦ ની રાજપીપલા-પોઈચાની વધારાની ટ્રીપો શરૂ કરેલ છે તેમજ ડેપો મેનેજર રાજપીપલા ધ્વારા વડોદરા-કીર્તિ તરફ સંચાલિત થતી તમામ ટ્રીપોના ડ્રાયવર/કંડકટરોને તમામ સ્ટેન્ડ પરથી વિદ્યાર્થીઓ લેવા તેમજ ઉતારવા સખ્ત સુચનાઓ આપેલ છે.
સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે કે,હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોવાથી રોડ રસ્તાની પરિસ્થિતિના અભાવે વાહનો ગંતવ્ય સ્થળે પહોચતા લેટ પડે છે. તેમ ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક એ જણાવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.