જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર
AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર આરોપ – ચૈતર વસાવા પર પાયાવિહોણા આક્ષેપો, ખોટી FIR, મનસુખ વસાવા રાજીનામું આપો. ભાજપના કાળા કારોબાર પર પ્રહાર.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વિડીયોના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભરૂચનાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર 75 લાખ રૂપિયા માંગવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું હતું કે કલેક્ટરે પૈસા માગ્યા હતા. ત્યારબાદ કલેકટરે એવું કહ્યું છે કે “ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા માંગ્યા નથી.” જે ભ્રષ્ટાચારના ઢગલા પર બેઠા છે એવા લોકો એક ઈમાનદાર લોકોની લડાઈ લડનાર વ્યક્તિ પર આરોપ લગાવી રહ્યા છે. કલેક્ટરે કહ્યું “આ વાત ખોટી છે, મનસુખ વસાવાની વાત પાયાવિહોણી છે. ચૈતર વસાવાએ કોઈ પૈસા માગ્યા નથી.” ભાજપમાં બેઠેલા નેતાઓ લોકોની બિલકુલ સેવા કરતા નથી. પરંતુ લોકોની લડાઈ લડી રહેલી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કામ કરે છે. મનસુખભાઈ થોડીક હિંમત કરો અને રાજીનામું આપો, તમે કહ્યું છે કે “જો સરકાર મને આમાં સહાય નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ” તમે પોતે સાંસદ છો, કલેક્ટર ના કહે છે, આટલા હલકા આક્ષેપો લગાવતા તમને શરમ આવવી જોઈએ. થોડી પણ શરમ હોય તો તમારે રાજીનામું આપવું જોઈએ.
આ પહેલા પણ આમ આદમી પાર્ટી અનેક નેતાઓ ઉપર અનેક આરોપો નાખવાનું કામ ભાજપે કર્યું છે. ઈસુદાન ગઢવી કમલમ પર રજૂઆત કરવા ગયા ત્યારે તેમના પર છેડતી અને દારૂનો આરોપ નાખવામાં આવ્યો હતો અને એફઆઇઆર કરવામાં આવી હતી. કચ્છના એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપી સાથે ગોપાલભાઈ ઇટાલીયા અને મનોજભાઈ સોરઠીયાનાં નામ જોડી દીધા હતા. શું થયું આ કેસનું ? ક્યાં છે આરોપો? ખોટા આરોપો લગાડવા, ખોટી એફઆઈઆરઓ કરવી, ખોટી રીતે હેરાન કરવા અને આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈપણ રીતે બદનામ કરવાનું કામ ભાજપનું છે. ભાજપને શરમ આવવી જોઈએ, 30 વર્ષથી સત્તામાં હોવા છતાં લોકોનું ભલું કરી શક્યા નથી. આજે આ સ્થિતિ છે એટલે ખોટા આરોપો લગાવો છો? શરમ કરો, રાજીનામું આપો. ભાજપમાં બેઠેલા તમામ લોકો જે ખૂબ મોટા ભ્રષ્ટાચારના ભાગીદાર છે, આપ સૌ આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનું કામ કરો છો. ગુજરાતની જનતા આ વાત જાણે છે. ગુજરાતની જનતાને ખબર છે કે સૌથી મોટા ચોર તમે છો. અને તમે આમ આદમી પાર્ટીને બદનામ કરવા નિકળ્યા છો? શરમ નથી આવતી? આ વખતે તમે રાજીનામું નહીં આપો તો લોકો તમારી પાસેથી રાજીનામું લેવાના છે.
ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.
બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.