Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર

જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર

AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર આરોપ – ચૈતર વસાવા પર પાયાવિહોણા આક્ષેપો, ખોટી FIR, મનસુખ વસાવા રાજીનામું આપો. ભાજપના કાળા કારોબાર પર પ્રહાર.

Ahmedabad December 26, 2025
જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર

જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વિડીયોના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભરૂચનાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર 75 લાખ રૂપિયા માંગવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું હતું કે કલેક્ટરે પૈસા માગ્યા હતા. ત્યારબાદ કલેકટરે એવું કહ્યું છે કે “ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયા માંગ્યા નથી.” જે ભ્રષ્ટાચારના ઢગલા પર બેઠા છે એવા લોકો એક ઈમાનદાર લોકોની લડાઈ લડનાર વ્યક્તિ પર આરોપ લગાવી રહ્યા છે. કલેક્ટરે કહ્યું “આ વાત ખોટી છે, મનસુખ વસાવાની વાત પાયાવિહોણી છે. ચૈતર વસાવાએ કોઈ પૈસા માગ્યા નથી.” ભાજપમાં બેઠેલા નેતાઓ લોકોની બિલકુલ સેવા કરતા નથી. પરંતુ લોકોની લડાઈ લડી રહેલી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કામ કરે છે. મનસુખભાઈ થોડીક હિંમત કરો અને રાજીનામું આપો, તમે કહ્યું છે કે “જો સરકાર મને આમાં સહાય નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ” તમે પોતે સાંસદ છો, કલેક્ટર ના કહે છે, આટલા હલકા આક્ષેપો લગાવતા તમને શરમ આવવી જોઈએ. થોડી પણ શરમ હોય તો તમારે રાજીનામું આપવું જોઈએ.

આ પહેલા પણ આમ આદમી પાર્ટી અનેક નેતાઓ ઉપર અનેક આરોપો નાખવાનું કામ ભાજપે કર્યું છે. ઈસુદાન ગઢવી કમલમ પર રજૂઆત કરવા ગયા ત્યારે તેમના પર છેડતી અને દારૂનો આરોપ નાખવામાં આવ્યો હતો અને એફઆઇઆર કરવામાં આવી હતી. કચ્છના એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપી સાથે ગોપાલભાઈ ઇટાલીયા અને મનોજભાઈ સોરઠીયાનાં નામ જોડી દીધા હતા. શું થયું આ કેસનું ? ક્યાં છે આરોપો? ખોટા આરોપો લગાડવા, ખોટી એફઆઈઆરઓ કરવી, ખોટી રીતે હેરાન કરવા અને આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈપણ રીતે બદનામ કરવાનું કામ ભાજપનું છે. ભાજપને શરમ આવવી જોઈએ, 30 વર્ષથી સત્તામાં હોવા છતાં લોકોનું ભલું કરી શક્યા નથી. આજે આ સ્થિતિ છે એટલે ખોટા આરોપો લગાવો છો? શરમ કરો, રાજીનામું આપો. ભાજપમાં બેઠેલા તમામ લોકો જે ખૂબ મોટા ભ્રષ્ટાચારના ભાગીદાર છે, આપ સૌ આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનું કામ કરો છો. ગુજરાતની જનતા આ વાત જાણે છે. ગુજરાતની જનતાને ખબર છે કે સૌથી મોટા ચોર તમે છો. અને તમે આમ આદમી પાર્ટીને બદનામ કરવા નિકળ્યા છો? શરમ નથી આવતી? આ વખતે તમે રાજીનામું નહીં આપો તો લોકો તમારી પાસેથી રાજીનામું લેવાના છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'
goa
January 31, 2026

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'

ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર
ahmedabad
January 31, 2026

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!
vadodara
January 19, 2026

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

Braking News

India-Indonesia Relation:  ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના કર્યા વખાણ
India-Indonesia Relation: ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના કર્યા વખાણ
January 26, 2025

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. સુબિયાન્ટોએ કહ્યું કે તેમણે પીએમ મોદીના નેતૃત્વમાંથી ઘણું શીખ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
February 20, 2023
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express