નડિયાદ રેલવે સ્ટેશન સ્ટાફની ત્વરિત કાર્યવાહીએ મહિલા મુસાફર અને રેલવે ગાર્ડનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના નડિયાદ સ્ટેશનના રેલવે કર્મચારીઓએ માહિતી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલા અને રેલવેના ગુડ્ઝ ટ્રેન મેનેજર (રેલ્વે ગાર્ડ)ને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપેલ, જેથી તેઓને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવી હતી જેથી તેમનો જીવ બચાવી શકાયો હતો.
પશ્ચિમ રેલવેના નડિયાદ સ્ટેશનના રેલવે કર્મચારીઓએ માહિતી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલા અને રેલવેના ગુડ્ઝ ટ્રેન મેનેજર (રેલ્વે ગાર્ડ)ને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપેલ, જેથી તેઓને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવી હતી જેથી તેમનો જીવ બચાવી શકાયો હતો.
નડિયાદ સ્ટેશન પર ફરજ પરના સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ શ્રી અજીત ગુપ્તાને માહિતી મળી કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરતી મહિલા મુસાફર શ્રીમતી કૈલાશને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી, તેમણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને તેણીને હોસ્પિટલ લઈ ગયા. એ જ રીતે સ્ટેશન અધિક્ષક શ્રી રાકેશ મિત્તલને સંદેશો મળ્યો કે ગુડ્ઝ ટ્રેન લઈને અમદાવાદ જઈ રહેલા ગુડ્ઝ ટ્રેનના મેનેજર શ્રી જી.એમ. શેખને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ છે.તેમણે નડિયાદના ઓન ડ્યુટી સ્ટેશન અધિક્ષક શ્રી અજીત ગુપ્તા અને પોઈન્ટમેન શ્રી વિપુલ પરમાર અને સામતિયાની મદદથી તેમને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતારીને નજીકની સંજય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને કરમસદની ક્રિષ્ના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જ્યાં તેની
સારવાર ચાલી રહી છે. આમ રેલવે સ્ટાફની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી તેમનો જીવ બચાવી શકાયો હતો.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી જીતેન્દ્ર સિંહે સ્ટાફની સતર્કતા અને ત્વરિત કાર્યવાહી પર પ્રસન્નતા વ્યક્ત કરતા, તેમના આ અનુકરણીય માનવતાવાદી પહેલ માટે તેમને પુરસ્કૃત કરવાની જાહેરાત કરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 5 વાગ્યા પછી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે. આને ધ્યાનમાં રાખીને, ગુજરાતમાં બ્લેક આઉટ ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.
હવામાન ખાતા દ્વારા ગત તારીખ ૪/૫/૨૦૨૫ થી ૮/૫/૨૦૨૫ દરમિયાન આપેલી આગાહી સંદર્ભમાં નર્મદા જિલ્લામાં ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારથી જ અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો હતો.
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની શ્રીમતી મૌર્ય અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાત લીધી હતી.