દરભંગાથી દિલ્હી આવી રહેલા સ્પાઈસ જેટના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
બિહારના દરભંગા જિલ્લામાંથી રાજધાની દિલ્હી આવી રહેલા વિમાનને બોમ્બની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ પ્લેન સ્પાઈસ જેટ કંપનીનું હતું.
બિહારના દરભંગા જિલ્લામાંથી રાજધાની દિલ્હી આવી રહેલા વિમાનને બોમ્બની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ પ્લેન સ્પાઈસ જેટ કંપનીનું હતું.
સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું કે 24 જાન્યુઆરીએ દરભંગાથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટ SG-8496માં બોમ્બ હોવાની માહિતી સ્પાઈસજેટના રિઝર્વેશન ઓફિસમાં મળી હતી. બુધવારે સાંજે 6 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પ્લેનનું સોફ્ટ લેન્ડિંગ થયું હતું. મુસાફરોને ઉતાર્યા બાદ પ્લેનને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ વિમાનની શોધ કરી રહી છે જેથી કોઈપણ પ્રકારના ખતરાને ટાળી શકાય.
દરભંગા એરપોર્ટથી દિલ્હી અને મુંબઈ સહિત દેશના ઘણા રાજ્યોમાં ફ્લાઈટ્સ ઉડે છે. બુધવારે સ્પાઈસ જેટ કંપનીની ફ્લાઈટ મુસાફરોને લઈને દિલ્હી ગઈ હતી. ફ્લાઈટ ટેકઓફ થયા બાદ સ્પાઈસ જેટની રિઝર્વેશન ઓફિસ પર કોલ આવ્યો.કોલરએ ધમકી આપી અને કહ્યું કે દિલ્હી જઈ રહેલી ફ્લાઈટ SG-8496માં બોમ્બ છે. આટલું કહી ફોન કાપી નાખ્યો હતો.
વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિત, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસ માટે કેબિનેટના નિર્ણયોની પ્રશંસા કરી છે. જાણો કપાસના MSP, BHAVYA યોજના અને હાઈવે પ્રોજેક્ટની સંપૂર્ણ વિગત.
CJI સૂર્યકાંતે રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ કર્યો. તેમણે વકીલોને કાળા કોટ અને પોલીસને યુનિફોર્મ વગર રહેવા સૂચન કર્યું જેથી બાળકો ડરે નહીં.