Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ કામથી ટ્રેનો રદ. ભુજ-બાન્દ્રા, કચ્છ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો પ્રભાવિત – પૂરી યાદી જુઓ

ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ કામથી ટ્રેનો રદ. ભુજ-બાન્દ્રા, કચ્છ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો પ્રભાવિત – પૂરી યાદી જુઓ

કચ્છમાં ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ કામથી મોટી અસર! 13 ફેબ્રુઆરી 2026 સુધી અનેક ટ્રેનો પૂર્ણ/આંશિક રદ અને રૂટ ચેન્જ – ભુજ-બાન્દ્રા, કચ્છ એક્સપ્રેસ, સયાજી નગરી, નમો ભારત સહિત 15+ ટ્રેનો પ્રભાવિત. મુસાફરોને 20-25 મિનિટ વધુ સમય લાગશે. પૂરી યાદી અને વિગતો વાંચો.

Ahmedabad February 09, 2026
ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ કામથી ટ્રેનો રદ. ભુજ-બાન્દ્રા, કચ્છ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો પ્રભાવિત – પૂરી યાદી જુઓ

ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ કામથી ટ્રેનો રદ. ભુજ-બાન્દ્રા, કચ્છ એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો પ્રભાવિત – પૂરી યાદી જુઓ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ગાંધીધામ-ભુજ સેક્શનમાં ગાંધીધામ-આદીપુર ચૌહરિકરણ (Quadrupling) પરિયોજના હેઠળ ગાંધીધામ કેબિન-આદીપુર સ્ટેશનો વચ્ચે કમીશનીંગથી સંબંધિત સૂચિત (TWO) કામને લીધે 13 ફેબ્રુઆરી 2026 સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

અમદાવાદ મંડળના ગાંધીધામ-ભુજ સેક્શનમાં ગાંધીધામ કેબિન અને આદીપુર સ્ટેશનો વચ્ચે ચારગણા (Quadrupling) કમીશનીંગનું કામ પ્રગતિ પર છે. આ પરિયોજના ક્ષેત્રમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે. ચારગણું થવાથી આ સેક્શનની લાઈન ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેનાથી ટ્રેનોનું સંચાલન વધુ સુગમ, સમયબદ્ધ અને સુરક્ષિત થશે. સાથે જ માલ અને યાત્રી ટ્રાફિકનું ઉત્તમ વ્યવસ્થાપન થશે, જેનાથી ક્ષેત્રીય વેપાર, ઉદ્યોગ અને યાત્રીઓને લાભ મળશે.

અમદાવાદ મંડળ દ્વારા પરિયોજનાને સમય-સીમામાં પૂર્ણ કરવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પહેલ ભારતીય રેલવેની આધુનિક, ઝડપી અને વિશ્વાસપાત્ર રેલવે સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :

પૂર્ણરૂપે રદ ટ્રેનો

1.   ટ્રેન નંબર 19405/19406 પાલનપુર-ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ 13 ફેબ્રુઆરી 2026 સુધી રદ રહેશે.
2.   ટ્રેન નંબર 12965 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
3.   ટ્રેન નંબર 12960 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
4.   ટ્રેન નંબર 09415/09416 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 12 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
5.   ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 12 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
6.   ટ્રેન નંબર 22951 બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ 13 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
7.   ટ્રેન નંબર 09010 ભુજ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
8.   ટ્રેન નંબર 09011 બાન્દ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.
9.   ટ્રેન નંબર 09012 ભુજ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ રદ રહેશે.

આંશિક રદ ટ્રેનો

1.   ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
2.   ટ્રેન નંબર 22955 બાન્દ્રા ટર્મિનસ-ભુજ કચ્છ એક્સપ્રેસ 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
3.   ટ્રેન નંબર 22956 ભુજ-બાન્દ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
4.   ટ્રેન નંબર 14321/14311 બરેલી-ભુજ એક્સપ્રેસ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 10 અને 11 ફેબ્રુઆરી 2026 ના રોજ સામાખ્યાલી અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
5.   ટ્રેન નંબર 14322/14312 ભુજ-બરેલી એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-સામાખ્યાલી વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
6.   ટ્રેન નંબર 22903 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એસી એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
7.   ટ્રેન નંબર 16336 નાગરકોઈલ-ગાંધીધામ એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
8.   ટ્રેન નંબર 22904 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 9 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
9.   ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમોભારત એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 સુધી ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ધ્રાંગધ્રા અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
10. ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમોભારત એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી 2026 સુધી ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 12 અને 13 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ અને ધ્રાંગધ્રા વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
11. ટ્રેન નંબર 20983 ભુજ-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
12. ટ્રેન નંબર 11092 પુણે-ભુજ એક્સપ્રેસ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ-ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
13. ટ્રેન નંબર 11091 ભુજ-પુણે એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
14. ટ્રેન નંબર 22483 ભગત કી કોઠી-ગાંધીધામ એક્સપ્રેસ 10,11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ભીલડી-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.
15. ટ્રેન નંબર 22484 ગાંધીધામ-ભગત કી કોઠી એક્સપ્રેસ 11,12 અને 13 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીધામ-ભીલડી વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.

માર્ગ પરિવર્તિત ટ્રેનો

·       ટ્રેન નંબર 20907 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ 9 અને 10 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા આદિપુર-ગાંધીધામ કેબિન-ભીમાસરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
·       ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ 10,11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
·       ટ્રેન નંબર 22955 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ 10 અને 11 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
·       ટ્રેન નંબર 22956 ભુજ-બાન્દ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ 9,11 અને 12 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા આદિપુર-ગાંધીધામ કેબિન-ભીમાસરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.
·       ટ્રેન નંબર 20984 દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી 2026 ના રોજ પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

હાથીપગા રોગને હરાવવા મોટું અભિયાન. રાજપીપલામાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં જનજાગૃતિ કાર્યક્રમ
rajpipla
February 10, 2026

હાથીપગા રોગને હરાવવા મોટું અભિયાન. રાજપીપલામાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં જનજાગૃતિ કાર્યક્રમ

નર્મદા જિલ્લાને હાથીપગા મુક્ત બનાવવા મોટું અભિયાન. રાજપીપલા વિદ્યાલયમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. 283 ગામોની 3.37 લાખ વસ્તીને આવરી લેવા 487 ટીમો ઘરે-ઘરે ડી.ઈ.સી. + આલ્બેન્ડાઝોલ ગોળીઓ ગળાવશે. 12 ફેબ્રુઆરી સુધી ચાલશે અભિયાન! વાંચો વિગતો.

સુરતમાં MSMEને મોટી ભેટ, સેન્ટ્રલ બેંકે ₹247 કરોડના લોન પ્રસ્તાવો મંજૂર, 34 ઉદ્યોગકારોને ₹108 કરોડના ચેક વિતરણ
surat
February 09, 2026

સુરતમાં MSMEને મોટી ભેટ, સેન્ટ્રલ બેંકે ₹247 કરોડના લોન પ્રસ્તાવો મંજૂર, 34 ઉદ્યોગકારોને ₹108 કરોડના ચેક વિતરણ

સુરતમાં MSME ક્રેડિટ આઉટરીચ કેમ્પનું સફળ આયોજન! સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ₹247 કરોડના લોન પ્રસ્તાવો મંજૂર કર્યા, 34 ઉદ્યોગકારોને ₹108 કરોડના ચેક વિતરણ. ED મહેન્દ્ર દોહરેની અધ્યક્ષતામાં નવા ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન. આગામી મહિનામાં વધુ ₹172 કરોડની શક્યતા. વાંચો વિગતો.

રેલ્વેમાં હીરો બન્યા 5 ગુજરાતી જવાનો! અમદાવાદ મંડળના કર્મચારીઓને મહાપ્રબંધકે સન્માનિત કર્યા
ahmedabad
February 09, 2026

રેલ્વેમાં હીરો બન્યા 5 ગુજરાતી જવાનો! અમદાવાદ મંડળના કર્મચારીઓને મહાપ્રબંધકે સન્માનિત કર્યા

પશ્ચિમ રેલ્વે મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે અમદાવાદ મંડળના 5 કર્મચારીઓને “મેન ઓફ ધ મન્થ” (ડિસેમ્બર-2025) સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા! અનિલ કુમાર, ગ્રૈશકુમાર ડી., સાજિદ અહમદ, રવિકુમાર મીના અને દીપક યાદવે સતર્કતાથી એર સ્પ્રિંગ લીકેજ, હોટ એક્સલ, બ્રેક ફાયર જેવી ખામીઓ પકડી મોટી દુર્ઘટનાઓ ટાળી. રેલ્વે સુરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન! વાંચો વિગતો.

Braking News

શું રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધશે? સંજય ભંડારી કેસમાં EDએ લગાવ્યા મોટા આરોપ
શું રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધશે? સંજય ભંડારી કેસમાં EDએ લગાવ્યા મોટા આરોપ
December 26, 2023

EDએ પોતાની ચાર્જશીટમાં ઘણા મોટા આરોપ લગાવ્યા છે. EDએ આરોપ લગાવ્યો છે કે રોબર્ટ વાડ્રાએ લંડનમાં મની લોન્ડરિંગ દ્વારા હસ્તગત કરેલી પ્રોપર્ટીનું રિનોવેશન કર્યું અને તેમાં પણ રોકાયા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
"ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં માનવીય ગુણોની નકલ કરવામાં AI ની મર્યાદાઓ"
February 05, 2023
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express