Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આદિજાતિ વિકાસ બજેટમાં મોટી ગેરરીતિઓનો ખુલાસો કર્યો. વિધાનસભામાં મળેલા જવાબ મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ₹5,120 કરોડ આદિજાતિ બજેટમાંથી માત્ર 50% (~₹2,410 કરોડ) જ વપરાયા.

Ahmedabad February 25, 2026
આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા

આદિવાસી વિકાસ ફંડ એનજીઓ-અધિકારીઓના હિતમાં: દાયકાઓ પછી પણ વિકાસ નહીં – ચૈતર વસાવા

અમદાવાદ/નર્મદા/ગાંધીનગર/ગુજરાત : આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે દેશને આઝાદી મળ્યા પછી દાયકાઓ વીતી ગયા હોવા છતાં આદિવાસીઓ માટે મોટું બજેટ ફાળવવામાં આવે છે, છતાં તેમનો વિકાસ કેમ થતો નથી—એવો પ્રશ્ન સૌને થાય છે. તેમણે જણાવ્યું કે વિધાનસભામાં તેમના સિત્તોતેર નંબરના પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લોમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ફાળવાયેલ આદિજાતિ વિકાસના બજેટમાંથી ગયા વર્ષે ₹5,120 કરોડ ફાળવાયા હતા, પરંતુ માત્ર ₹2,410 કરોડ જેટલો જ ખર્ચ થયો, અંદાજે 50 ટકા જ રકમ વપરાઈ. નર્મદા જિલ્લામાં ₹.92 કરોડ 63 લાખ 49 હજારનું બજેટ ફાળવાયું હતું. તાલુકા અને જિલ્લા કક્ષાની બેઠકમાં હાજર રહી તેમણે દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ખેતી માટે બોરવેલ, પશુપાલન માટે ગાય-ભેંસ, પીવાના પાણીની સુવિધા, નવી આંગણવાડીઓ અને શાળાના ઓરડા બનાવવા તેમજ બાળકોમાં કુપોષણ દૂર કરવા જેવી માંગણીઓ કરી હતી.

પરંતુ વિધાનસભામાં મળેલા જવાબ અને મંજૂર થયેલા કામોની યાદી મુજબ, આદિજાતિ વિકાસની ગ્રાન્ટમાંથી મોટાભાગના કામો એનજીઓ, એજન્સીઓ અને અધિકારીઓના હિતને ધ્યાનમાં રાખીને મંજૂર કરાયા હોવાનો તેમણે આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે જ્યાં શાળાઓ જ નથી, ત્યાં નવી શાળા બનાવવા બદલે અપગ્રેડેશન અને રિનોવેશનના નામે ₹.70-70 લાખના ખર્ચ દર્શાવવામાં આવ્યા છે. જ્યાં આંગણવાડીઓ નથી, ત્યાં કલર કામ માટે દરેક તાલુકામાં ₹50-50 લાખ ખર્ચાયા છે. બાળકો કુપોષણથી પીડાતા હોવા છતાં તેના નિવારણ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગ્રામસભા, સરપંચ અને સ્થાનિક પ્રતિનિધિઓની માંગણીઓ સરકાર સમક્ષ મૂકે છે. છતાં પ્રભારી મંત્રીના નામે નવસારી, સુરત અને અમદાવાદની એનજીઓ સાથે મળી મોટાભાગના કામો તેમની ભલામણથી મંજૂર કરાયા હોવાનું તેમણે જણાવ્યું. ₹.92 કરોડના બજેટમાંથી માત્ર ₹.50થી ₹60 લાખના કામો તેમની ભલામણ મુજબ મંજૂર થયા, બાકીના તમામ કામોમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની ભલામણ ચાલતી રહી હોવાનું તેમણે આક્ષેપ કર્યો. આ જ રીતે, આદિજાતિના 14 તાલુકાઓમાં ગુજરાત પેટર્ન યોજનાની ગ્રાન્ટમાંથી બિન આદિવાસી એનજીઓ, એજન્સીઓ અને અધિકારીઓને લાભ પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનું તેમણે જણાવ્યું હતુ.

ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં આજે પણ સિંચાઈ માટે બોરમોટર નથી, જેના કારણે મોટા પ્રમાણમાં સ્થળાંતર (માઈગ્રેશન) થાય છે. તેમના મત મુજબ તેનું મુખ્ય કારણ એ છે કે આદિજાતિ માટે ફાળવાયેલું બજેટ યોગ્ય રીતે વપરાતું નથી. નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન આદિવાસીઓ માટે ₹.92 કરોડનું બજેટ ફાળવાયું હતું, પરંતુ તેમાંથી અનેક કામો જરૂરિયાત વિના મંજૂર કરવામાં આવ્યા છે. શાળાના ઓરડા ન હોવા છતાં 3D ક્લાસરૂમ માટે ખર્ચ કરવામાં આવ્યો છે, મલ્ટીપર્પઝ હોલ માટે ₹.50 લાખ ફાળવાયા છે, દૂધ સંજીવની માટેના મગ માટે દરેક તાલુકામાં ₹.70-70 લાખના ખર્ચા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે દૂધ પાઉચમાં આપવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડોનટ મશીન વિથ કિટસેટ મોડ્યુલ માટે ₹.40 લાખ 50 હજાર, શાળાના અપગ્રેડેશન અને કલર કામ માટે ₹.50 લાખ, તેમજ બંક બેડ અને બેન્ચિંગ સેટ માટે પણ ₹.50 લાખ જેટલા ખર્ચા દર્શાવવામાં આવ્યા છે. તેમના આક્ષેપ મુજબ આ પ્રકારના ખર્ચા આદિવાસી વિસ્તારોની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ નથી. પ્રભારી મંત્રી તરીકે ભીખુસિંહ પરમારની ભલામણથી એનજીઓ અને એજન્સીઓના કહેવાથી કામો મંજૂર થયા છે અને કમિશન આધારિત ગેરરીતિઓ થઈ છે. તેમણે દાવો કર્યો કે આદિજાતિ વિકાસ માટેનું બજેટ અધિકારીઓ અને એજન્સીઓના હિતમાં વપરાય છે, જ્યારે વાસ્તવિક લાભ આદિવાસી સમાજ સુધી પહોંચતો નથી. વિધાનસભામાં મળેલી માહિતીના આધારે સ્થળ પર તપાસ કરતાં આ ગેરરીતિઓ સામે આવી છે. આ જ કારણ છે કે દાયકાઓ પછી પણ આદિવાસી વિસ્તારોનો સર્વાંગી વિકાસ થયો નથી.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન
ahmedabad
February 25, 2026

જીગીશા પટેલ હુમલા મુદ્દે AAPનું મોટું પગલું: રાજકોટમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર – દિનેશ જોશીનું આહ્વાન

ગોંડલમાં AAP મહિલા નેતા જીગીશા પટેલ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે આમ આદમી પાર્ટીએ મોટું પગલું ભર્યું: રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સોંપાયું. 

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન
ahmedabad
February 25, 2026

જીગીશા પટેલને ન્યાય ન મળે તો રસ્તાથી વિધાનસભા સુધી આંદોલન: ચૈતર વસાવાનું આહ્વાન

"આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સમાં આકરા શબ્દોમાં ભાજપ પર આરોપ લગાવ્યા કે AAP મજબૂત બનતાં ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે. રામાયણમાં રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવતો હતો એમ ભાજપના ગુંડાઓ મહિલાઓને આગળ કરીને ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર કાયરતાપૂર્ણ હુમલો કરાવ્યો.

સોમનાથ પછી ભાણખોખરીમાં AAPની ભવ્ય સભા – ઈસુદાન-મનોજ સાથે પ્રવીણ રામનો બોલ્ડ એજન્ડા
ahmedabad
February 25, 2026

સોમનાથ પછી ભાણખોખરીમાં AAPની ભવ્ય સભા – ઈસુદાન-મનોજ સાથે પ્રવીણ રામનો બોલ્ડ એજન્ડા

આમ આદમી પાર્ટીની 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રા સોમનાથથી શરૂ થઈને ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામ 108 દિવસની જેલ બાદ પ્રથમ વખત ખેડૂતોને મળવા આવી રહ્યા છે. આ યાત્રા 26 ફેબ્રુઆરીએ જામખંભાળિયાના ભાણખોખરી પાટિયા પાસે સાંજે 6 વાગ્યે મોટી સભા યોજશે, જ્યાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહેશે. 

Braking News

બાબર આઝમે ભારત આવતાની સાથે જ પોતાનો જાદુ દેખાડ્યો, કરી શાનદાર બેટિંગ
બાબર આઝમે ભારત આવતાની સાથે જ પોતાનો જાદુ દેખાડ્યો, કરી શાનદાર બેટિંગ
September 29, 2023

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ICC વર્લ્ડ કપ 2023 પહેલા ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ દરમિયાન સુકાની બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને શાનદાર બેટિંગ કરી હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express