પરિષદના ઉપાધ્યક્ષ પદે આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર જ્યારે સહ ઉપાધ્યક્ષ પદે રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ રહેશે
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરવામાં આવી છે. હોદ્દાનીરૂએ આ સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ સહ ઉપાધ્યક્ષમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રહેશે.
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરવામાં આવી છે. હોદ્દાનીરૂએ આ સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ સહ ઉપાધ્યક્ષમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રહેશે.
આ ઉપરાંત આદિજાતિ સલાહકાર પરિષદમાં ધારાસભ્ય સર્વેશ્રી પી.સી. બરંડા, શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રી રમેશભાઈ કટારા, શ્રી શૈલેષભાઈ એસ. ભાભોર, શ્રી કનૈયાલાલ બી. કિશોરી, શ્રી મહેન્દ્રભાઈ આર. ભાભોર, શ્રી રાજેન્દ્રસિંહ એમ. રાઠવા, શ્રી જયંતીભાઈ એસ. રાઠવા, શ્રી અભેસિંહ એમ. તડવી, ડૉ. દર્શના સી. દેશમુખ (વસાવા), શ્રી મોહનભાઈ ડી. ઢોડિયા, ડૉ. જયરામભાઈ
સી. ગામીત, શ્રી અનંતકુમાર એચ.પટેલ, શ્રી અરવિંદ સી. પટેલ, તેમજ શ્રી જીતુભાઈ એચ.ચૌધરી એમ કુલ-૧૮ સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભા દ્વારા ચૂંટાયેલા સભ્યોની મુદત વિધાનસભામાં ચાલુ રહે ત્યાં સુધીની રહેશે તેમ, આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી વાતાવરણની શરૂઆત થતા ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આગામી પાંચ દિવસમાં, રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે, અને ઘણા વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગઈકાલે, 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો,
GST અને IT વિભાગે ગીર સોમનાથ અને દ્વારકામાં હોટલ અને રિસોર્ટ પર દરોડા પાડ્યા હતા. આ ઓપરેશનમાં કથિત રીતે યોગ્ય બિલિંગ વિના કરવામાં આવેલા રોકડ વ્યવહારોને લક્ષ્યાંકિત કરવામાં આવ્યા હતા.
રાજકોટના TRP ગેમઝોન ખાતે આગની દુ:ખદ ઘટના બાદ ક્રાઈમ બ્રાંચની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ નિર્ણાયક કાર્યવાહી કરી હતી.