Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • એક નિવેદનમાં બે આંકડા! કૃષિ મંત્રી પર સાગર રબારીના કડક સવાલ

એક નિવેદનમાં બે આંકડા! કૃષિ મંત્રી પર સાગર રબારીના કડક સવાલ

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક જ નિવેદનમાં 21.70 લાખ અને 27.70 લાખ અરજીઓનો આંકડો બોલ્યો! AAPના સાગર રબારીએ પૂછ્યું – “બંનેમાંથી કયો સાચો?”

Ahmedabad November 27, 2025
એક નિવેદનમાં બે આંકડા! કૃષિ મંત્રી પર સાગર રબારીના કડક સવાલ

એક નિવેદનમાં બે આંકડા! કૃષિ મંત્રી પર સાગર રબારીના કડક સવાલ

અમદાવાદ/ગુજરાત : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના ગોળ ગોળ નિવેદન સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે એ વાત તેઓ ભૂલી ગયા લાગે છે. બે દિવસ પહેલા એમને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, 21,70,000 ખેડૂતોએ વરસાદથી નુકસાનીના ફોર્મ ભર્યા છે. એ જ નિવેદનમાં તે નીચે કહે છે કે 27,70,885 અરજીઓ છેલ્લા દસ દિવસમાં અમને જિલ્લા મથકોએ મળી છે.

આ બંનેમાંથી કયો આંકડો સાચો છે? જો બંને સાચી અરજીઓ છે તો નુકસાનની અરજી કરનાર કુલ ખેડૂતોની સંખ્યા 49,40,000 થાય. બીજી બાજુ આગળ એ જ નિવેદનમાં આગળ એવું કહે છે કે, ખેડૂતોની અમને 2,02,000 અરજીઓ મળી હતી એના માટે અમે 1138 કરોડ રૂપિયા જુદા ફાળવ્યા હતા. તો આ બધું મળીને કેટલા ખેડૂતોને નુકસાની થઈ? ખેડૂતોએ અરજી કરી એની સામે વળતર ચૂકવ્યું કે નહીં? કયા તાલુકાથી કામ શરૂ કર્યું? મોઘમ મભમ એમ કહે છે કે કામ શરૂ થઈ ગયું છે. કામ શરૂ થવું અને ખાતામાં પૈસા પડવા બંન્નેની વચ્ચે બહુ લાંબુ અંતર છે. 

ખેડૂત નેતા સાગર રબારીએ વધુમાં કહ્યું હતું કે, જીતુભાઈ આગળ નિવેદનમાં એવું પણ કહે છે કે કેટલીક જગ્યાએ અમે પૈસા ચૂકવવાનું શરૂ કરી દીધું છે. હું જીતુભાઈને કહેવા માગું છું કે તમે કૃષિ મંત્રી છો. તમારી પાસે આંકડા હોવા જોઈએ કે ઓગસ્ટ-સપ્ટેમ્બર માટે કેટલા ખેડૂતોની અરજી આવી? કેટલી મંજૂર થઈ? કેટલા ખેડૂતોને પૈસા ચૂકવ્યા? કેટલા ખેડૂતોના પૈસા ચૂકવવાના બાકી છે? એવી જ રીતે આ માવઠાના નુકસાનની કુલ કેટલી અરજીઓ જિલ્લા વાર આવી? કેટલી અરજીઓ જિલ્લા વાર મંજૂર થઈ? કેટલી અરજીઓ નામંજૂર થઈ? નામંજૂર થવાના કારણો અને કેટલા ખેડૂતોના ખાતામાં પૈસા નંખાવ્યા અને કેટલા ખેડૂતોના ખાતામાં પૈસા ક્યારે નાખવાના છો? એ તમારે ખેડૂતોને કહેવાનું હોય.મોઘમ મભમ વાત મંત્રી કરે નહીં. એનો સાદો અર્થ એ છે કે તમે મૂર્ખ બનાવો છો. સમય ખેંચી રહ્યા છો. બાર મહિના સુધી અમારા ખાતામાં પૈસા આવે એવી આશા અમને દેખાતી નથી.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'
goa
January 31, 2026

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'

ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર
ahmedabad
January 31, 2026

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!
vadodara
January 19, 2026

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

Braking News

અમેરિકા: 20થી વધુ વખત સગીરનું યૌન શોષણ, તપાસમાં પૂર્વ શિક્ષક દોષી
અમેરિકા: 20થી વધુ વખત સગીરનું યૌન શોષણ, તપાસમાં પૂર્વ શિક્ષક દોષી
January 24, 2024

અમેરિકામાં પૂર્વ શિક્ષક દ્વારા એક સગીર શાળાની વિદ્યાર્થીનીનું અનેક વખત યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. તપાસમાં તેણી દોષી સાબિત થઈ હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express