નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીનાં બે અધિકારીઓ અન્ય જિલ્લાનો ચાર્જ સંભાળતા આ કચેરી કારકુનોનાં ભરોશે
કચેરીના જનરલ મેનેજર અને ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર અન્ય જીલ્લાનો ચાર્જ પણ સંભાળતા હોવાથી રાજપીપળા કચેરીમાં અમુક દિવસ મળે છે.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લો ભરૂચ થી અલગ થયા ને લગભગ ૨૬ વર્ષ નો સમય વીતી ગયા બાદ પણ હજુ કેટલીક કચેરીઓ નર્મદા જિલ્લામાં કાર્યરત થઇ નથી અને જે કચેરીઓ કાર્યરત છે તે પૈકી ઘણી કચેરીઓ ઇન્ચાર્જ અધિકારીઓ નાં ભરોશે ચાલે છે ત્યારે જાણવા મળ્યા મુજબ રાજપીપળા ખાતેની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,નર્મદા ની કચેરી નાં બે અધિકારીઓ અન્ય જિલ્લામાં ચાર્જ સંભાળતા હોય નર્મદા નાં અરજદારો ધક્કે ચઢે એ સ્વાભાવિક છે તો સરકાર ચૂંટણીઓ આવ્યા પહેલા જિલ્લા અને તાલુકા અલગ કરી વોટ બેંક ઊભી કરવા તાયાફા કરે છે પરંતુ જે તે જિલ્લાઓમાં જરૂરી અને રેગ્યુલર અધિકારીઓ નહિ મૂકતા અરજદારો ને ધક્કે ચઢવું પડે છે તો જિલ્લો કે તાલુકો અલગ કર્યાં નો કોઈજ મતલબ રહેતો નથી.
રાજપીપલા કલેકટર કચેરી માં આવેલ નર્મદા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની કચેરી પણ ઘણા સમયથી બે કારકુનો નાં ભરોસે જ ચાલે છે કેમ કે આ કચેરી નાં જનરલ મેનેજર જીગર દવે ભરૂચ અને નર્મદા ની બે કચરી સંભળાતા હોય અઠવાડિયામાં એક વાર રાજપીપળા આવે છે જ્યારે આ કચેરીના ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર નવનીત ગાવિત પાસે પણ અન્ય જિલ્લાના ચાર્જ હોવાથી તેઓ પણ રાજપીપળા કચેરીમાં નિયમિત મળી શકતા નથી માટે કહી શકાય કે આ કચેરીનું સંચાલન બે કારકુનો પર ચાલે છે.માટે જિલ્લા કલેકટર આ મુદ્દે રસ દાખવી જિલ્લાની આવી દરેક કચેરીઓ માં રેગ્યુલર અધિકારીઓ મુકાઇ એ દિશા માં પગલાં લે જે અરજદારો માટે યોગ્ય કહેવાશે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.