ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે રાજકોટ જિલ્લાના જસદણના આંબડી ગામે ખેડૂતો સાથે મળીને ખેતરમાં પકવેલા પાક અને સરકારના બજેટના કાગળિયાની હોળી કરી સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો. 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રા દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે પાક પકવ્યા બાદ પણ યોગ્ય વળતર મળતું નથી. આ વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર સુધી ખેડૂતોની નારાજગીનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રશ્નો અને બજેટમાં કરવામાં આવેલી અવગણના વિશેની સંપૂર્ણ વિગતો જાણવા માટે આ અહેવાલ વાંચો.
અમદાવાદ/રાજકોટ/ગુજરાત : આમ આદમી પાર્ટી ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે જસદણમાં ખેડૂતો સાથે કંઈક અલગ રીતે હોળી મનાવી હતી.AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે અત્યારે જે “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે, સોમનાથથી શરૂ થઈ યાત્રા આજે રાજકોટ જિલ્લાના જસદણ ગામના આંબડી ગામે પહોંચી છે. આજે હોળીનો તહેવાર છે. આ ગામમાં અમારી એક ચૌપાલ બેઠક હતી. આ ચૌપાલ બેઠકની અંદર ગામના અમુક ખેડૂતોએ અમારી સામે એવી ઇચ્છા વ્યક્ત કરી કે, ગમે તે પાક વાવીએ પરંતુ કંઇ વળતર મળતું નથી. આ સરકારમાં ભાવ વધતા નથી. ગમે તે કરીએ, અંતે સરવાળે બધું હતું ત્યાં જ રહે છે. એક-બે ખેડૂતોએ એવી ઇચ્છા વ્યક્ત કરી કે અમારે અમારા ખેતરે ચણા વાવ્યા છે. આજે હોળીનો તહેવાર છે, તો ચણાનો ઢગલો કરીને અમે ચણા બાળી સાંકેતિક રીતે હોળી ઉજવીશું. સરકાર સુધી વાત પહોંચાડવી છે કે અમને ભાવ નથી મળતા, એટલા માટે આ રીતે અમે હોળી કરીએ છીએ
પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની ઇચ્છાને માન આપીને ગામના જનકભાઈના ખેતરે આવ્યા છીએ. ખેડૂતોને ભાવ મળતા નથી એટલે હોળીનો તહેવાર આ રીતે ઉજવવાનું આયોજન કર્યુ છે. એટલે અમે એમની લાગણીના આધારે અહીં આવ્યા છીએ. સરકારે બજેટમાં ખેડૂતને કંઈ આપ્યું નથી. એટલે આજે ખેડૂતોના કહેવા મુજબ બજેટના કાગળ પણ હોળીમાં હોમીશું. બજેટના કાગળ અમે હોળીમાં નાખવાના છીએ એટલે સરકારને ખ્યાલ આવે, ખબર પડે કે બજેટમાં ગુજરાતના ખેડૂતોને કંઇ મળ્યું નથી. આ થકી આખા ગુજરાતના ખેડૂતો સુધી સરકારને સંદેશ મોકલવા માંગીએ છીએ.
આમ આદમી પાર્ટી ગુજરાત
પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જસદણ પહોંચી. પ્રવીણ રામે ભાજપ પર ભ્રષ્ટાચાર અને ખેડૂતો પર દંડ-દરોડાના આરોપ લગાવ્યા. સિંચાઈ, વીજળી, પાક ભાવના મુદ્દા ઉઠાવ્યા. 8 માર્ચે અરવિંદ કેજરીવાલ સાથે મહાસભા.
AAPની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા રાજકોટ-ગોંડલ પહોંચી. પ્રવિણ રામે ખેડૂતો પર પોલીસ અત્યાચાર અને જીગીશા પટેલ પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપો, ગુજરાતના ખેડૂતો માટે ન્યાયની માંગ.
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી છે કે 3 માર્ચના ગ્રહણના દિવસે ગુજરાતભરમાં AAP કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે. અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ નિર્દોષ જાહેર થતા તેને સત્યની જીત ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે.