વી જ્હોને ગ્રૂમિંગ પાર્ટનર તરીકે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે હાથ મિલાવ્યા
પર્સનલ કેર બ્રાન્ડ વી જ્હોને બુધવારે જાહેર કર્યું હતું કે તે આગામી આઈપીએલ ટી20 સિઝન 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની ઓફિશિયલ ગ્રૂમિંગ પાર્ટનર રહેશે.
નવી દિલ્હી : પર્સનલ કેર બ્રાન્ડ વી જ્હોને બુધવારે જાહેર કર્યું હતું કે તે આગામી આઈપીએલ ટી20 સિઝન 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની ઓફિશિયલ ગ્રૂમિંગ પાર્ટનર રહેશે. કે એલ રાહુલની કેપ્ટનશિપ હેઠળની ટીમ આગામી ટી20 ટુર્નામેન્ટમાં તેમની નોન-લીડ ટ્રાઉઝર્સ પર વી જ્હોનનો લોગો દર્શાવશે. આ ટુર્નામેન્ટ ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સના કરોડો ચાહકો નિહાળશે.
વી જ્હોનના જનરલ મેનેજર-માર્કેટિંગ આશુતોષ ચૌધરીએ જણાવ્યું હતું કે “ઓફિશિયલ ગ્રૂમિંગ પાર્ટનર તરીકે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાતા અમે આનંદ અનુભવીએ છીએ. ટીમ અમારી પર્સનલ કેર રેન્જની જેમ જ ક્વોલિટી અને પર્ફોર્મન્સ રજૂ કરે છે અને ઇમ્પ્રેસિવ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. આ ટુર્નામેન્ટથી અમે અમારી પ્રોડક્ટ રેન્જને યુવા અને બહોળા ગ્રાહક વર્ગ સમક્ષ લઈ જઈશું અને અમારી પ્રપોઝિશન રજૂ કરીશું. લખનૌ સુપર જાયન્ટ્સ વધુ એક સફળ સાહસ માટે યોજના બનાવી રહી છે અને અમારા તાલમેલનો લાભ લઈ રહી છે ત્યારે અમે આ ટીમને સપોર્ટ કરવા માટે રોમાંચિત છીએ.”
લખનૌ સુપર જાયન્ટ્સના સીઈઓ શ્રી વિનોદ બિશ્તે જણાવ્યું હતું કે “આગામી સિઝનમાં વી જ્હોન સાથે ભાગીદારી કરતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ બ્રાન્ડ બોલ્ડ નવી જનરેશનમાં એક આત્મવિશ્વાસ રજૂ કરે છે જે અમે જે પ્રકારની ક્રિકેટ રમવા માંગીએ છીએ તેવી બ્રાન્ડ સાથે મેળ ખાય છે.”
“એક કંપની તરીકે વી જ્હોન ગ્રૂમિંગ ઈન્ડિયાનું વિઝન અને છ દાયકાથી તેમાં કાર્યરત રહેવાનો વારસો ધરાવે છે. લખનૌ સુપર જાયન્ટ્સ સાથે અમને એક નેચરલ પાર્ટનર મળ્યા છે જે ભારતભરમાં અપીલ અને પ્રચંડ સંભાવનાઓ ધરાવે છે. અમે આગામી સમયમાં એક શાનદાર સિઝન માટે આતુર છીએ અને ટીમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ”, એમ વી જ્હોન ગ્રુપના બિઝનેસ ડિરેક્ટર હર્ષિત કોછરે જણાવ્યું હતું.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, એર ઇન્ડિયાએ પણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો અને પીડિતોને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જર્મન કંપની રાઈનમેટલ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સંયુક્ત સાહસે જૂથની વૃદ્ધિની સંભાવનાઓને નવી દિશા આપી છે. તે જ સમયે, રિલાયન્સ પાવરે ભૂટાનના ડ્રુક ગ્રીન પાવર સાથે 25 વર્ષના સોલર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ પીપીએ પર હસ્તાક્ષર કર્યા છે, જે એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક છે.
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. જોકે, પાછળથી ઘટાડો થોડો ઓછો થયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.70 ટકા અથવા 573 પોઈન્ટના ઘટાડા સાથે 81,118 પર બંધ થયો.