પૂજ્ય પ્રભુદાસબાપુના સ્મરણમાં તલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન
તારીખ ૨૯/૧૧/૨૩નો દિવસ એટલે પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિ. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રતિવર્ષ પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન થાય છે. આગામી તારીખ ૨૯/૧૧ ના રોજ સવારે ૯.૩૦ કલાકે તલગાજરડા ગામની ૮ સર્વજ્ઞાતિય કન્યાઓના સમૂહલગ્ન યોજાશે.
તારીખ ૨૯/૧૧/૨૩નો દિવસ એટલે પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિ. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રતિવર્ષ પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન થાય છે. આગામી તારીખ ૨૯/૧૧ ના રોજ સવારે ૯.૩૦ કલાકે તલગાજરડા ગામની ૮ સર્વજ્ઞાતિય કન્યાઓના સમૂહલગ્ન યોજાશે. ગામની દીકરીઓનો લગ્નવિધિ, તેમજ કરિયાવર પેટે પ્રત્યેક દીકરીને રૂ.૫૧,૦૦૦ તેમજ ભોજનની વ્યવસ્થા શ્રી ચિત્રકૂટધામ તરફથી કરવામાં આવશે. આ સમુહલગ્નમાં ગણિકા પરિવારની બે દીકરીઓનો પણ સમાવેશ થાય છે.
પ્રતિ વર્ષ ટ્રસ્ટ દ્વારા સંતવાણીના આરાધકોની વંદના કરવામાં આવે છે. જે અન્વયે તારીખ ૨૯/૧૧ ને દિવસે શ્રી ચિત્રકૂટધામ ખાતે બપોરે ૩.૩૦ થી ૬ દરમ્યાન ‘ભજન-વિચાર સંગોષ્ઠી’ યોજાશે જેમાં શ્રી. નાથાલાલ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગ્રંથ-‘સંતવાણી શબ્દકોશ’ નું પૂજ્ય મોરારીબાપુના હસ્તે લોકાર્પણ થશે. આ ગ્રંથ વિષે શ્રી દલપત પઢીયાર શ્રી રમેશ મહેતા અને શ્રી નાથાલાલ ગોહિલ વક્તવ્યો આપશે. આ કાર્યક્રમનું સંચાલન શ્રી. નીતિનભાઈ વડગામા કરશે. આ કાર્યક્રમ દરમ્યાન જાણીતા શિક્ષણકાર શ્રી તખુભાઈ સાંડસુરના બે પુસ્તકોનું લોકાર્પણ પણ યોજાશે.
રાત્રીના ૮ વાગ્યે શ્રી ચિત્રકૂટધામ ખાતે જાણીતા માણભટ્ટ પૂજ્ય શ્રી ધાર્મિકલાલ પંડ્યા દ્વારા આખ્યાનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સંતવાણીની વિવિધ વિધાઓના આરાધકોને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ વર્ષે જેમની વંદના કરવામાં આવશે તેમાં ૧. સંતવાણીના સર્જક-સર્વશ્રી સંત કવિ શ્રી પૂ. ધના ભગત (ધોળા) ના પ્રતિનિધિ શ્રી મહંત પૂજ્ય બાબુરામ ભગત તેમજ ૨. શ્રી. ભારતીબેન વ્યાસ (ભજનિક) ૩. શ્રી ઉસ્તાદ અબુબકર મામદ મીર ( તબલાં સંગત) ૪. શ્રી મહેશભાઈ નરસીભાઈ વાઘેલા (વાયોલિન સંગત) ૫. શ્રી નાગજીભાઈ સરવૈયા (મંજીરાં સંગત ) ને પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવશે. સમારંભના અંતમાં પૂજ્ય મોરારિબાપુનું પ્રાસંગિક વક્તવ્ય રહેશે. એવોર્ડ અર્પણવિધિ બાદ ગુજરાતના નામી-અનામી કલાકારો દ્વારા સંતવાણી પ્રસ્તુત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને આપ સંગીતની દુનિયાની યુ.ટ્યુબ ચેનલ પર લાઇવ નિહાળી શકશો.
ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ! અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેન 09663 ઉદયપુરથી 12:25, 26964 અસારવાથી 17:45 (મંગળવાર સિવાય). રૂટમાં હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. 8 કોચ, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, સુરક્ષિત મુસાફરી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.
PM મોદીએ આસામથી ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇ-બસોને લીલી ઝંડી આપી, પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ગુજરાતને મોટી ભેટ – આગામી સમયમાં 8 શહેરોમાં 750 બસો દોડશે (વડોદરા 250, રાજકોટ-ભાવનગર-ગાંધીનગર 100, જામનગર-જુનાગઢ 50, ગાંધીધામ 80, નવસારી 20). ₹5450 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન. વિગતો જુઓ.
પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામમાં મહાસિવરાત્રી પર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર ઉદ્ઘાટન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમારોહ, યુવાનોને નશામુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ. કૈલાશધામ આશ્રમમાં 30 કિ.મી. વિસ્તારમાંથી 20,000+ ભક્તો દર્શન કરે છે. વિગતો જુઓ.