Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પૂજ્ય પ્રભુદાસબાપુના સ્મરણમાં તલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

પૂજ્ય પ્રભુદાસબાપુના સ્મરણમાં તલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

તારીખ ૨૯/૧૧/૨૩નો દિવસ એટલે પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિ. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રતિવર્ષ પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન થાય છે. આગામી તારીખ ૨૯/૧૧ ના રોજ સવારે ૯.૩૦ કલાકે તલગાજરડા ગામની ૮ સર્વજ્ઞાતિય કન્યાઓના સમૂહલગ્ન યોજાશે.

Ahmedabad November 22, 2023
પૂજ્ય પ્રભુદાસબાપુના સ્મરણમાં તલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

પૂજ્ય પ્રભુદાસબાપુના સ્મરણમાં તલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

તારીખ ૨૯/૧૧/૨૩નો દિવસ એટલે પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિ. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રતિવર્ષ પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન થાય છે. આગામી તારીખ ૨૯/૧૧ ના રોજ સવારે ૯.૩૦ કલાકે તલગાજરડા ગામની ૮ સર્વજ્ઞાતિય કન્યાઓના સમૂહલગ્ન યોજાશે. ગામની દીકરીઓનો લગ્નવિધિ, તેમજ કરિયાવર પેટે પ્રત્યેક દીકરીને રૂ.૫૧,૦૦૦ તેમજ ભોજનની વ્યવસ્થા શ્રી ચિત્રકૂટધામ તરફથી કરવામાં આવશે. આ સમુહલગ્નમાં ગણિકા પરિવારની બે દીકરીઓનો પણ સમાવેશ થાય છે.

પ્રતિ વર્ષ ટ્રસ્ટ દ્વારા સંતવાણીના આરાધકોની વંદના કરવામાં આવે છે. જે અન્વયે તારીખ ૨૯/૧૧ ને દિવસે શ્રી ચિત્રકૂટધામ ખાતે બપોરે ૩.૩૦ થી ૬ દરમ્યાન ‘ભજન-વિચાર સંગોષ્ઠી’ યોજાશે જેમાં શ્રી. નાથાલાલ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગ્રંથ-‘સંતવાણી શબ્દકોશ’ નું પૂજ્ય મોરારીબાપુના હસ્તે લોકાર્પણ થશે.  આ ગ્રંથ વિષે શ્રી દલપત પઢીયાર શ્રી રમેશ મહેતા અને શ્રી નાથાલાલ ગોહિલ વક્તવ્યો આપશે. આ કાર્યક્રમનું સંચાલન શ્રી. નીતિનભાઈ વડગામા કરશે. આ કાર્યક્રમ દરમ્યાન જાણીતા શિક્ષણકાર  શ્રી તખુભાઈ સાંડસુરના બે પુસ્તકોનું લોકાર્પણ પણ યોજાશે.

રાત્રીના ૮ વાગ્યે શ્રી ચિત્રકૂટધામ ખાતે જાણીતા માણભટ્ટ પૂજ્ય શ્રી ધાર્મિકલાલ પંડ્યા દ્વારા આખ્યાનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સંતવાણીની વિવિધ વિધાઓના આરાધકોને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ વર્ષે જેમની વંદના કરવામાં આવશે તેમાં ૧. સંતવાણીના સર્જક-સર્વશ્રી સંત કવિ શ્રી પૂ. ધના ભગત (ધોળા) ના પ્રતિનિધિ શ્રી મહંત પૂજ્ય બાબુરામ ભગત તેમજ ૨. શ્રી. ભારતીબેન વ્યાસ (ભજનિક) ૩. શ્રી ઉસ્તાદ અબુબકર મામદ મીર ( તબલાં સંગત) ૪. શ્રી મહેશભાઈ નરસીભાઈ વાઘેલા (વાયોલિન સંગત) ૫. શ્રી નાગજીભાઈ સરવૈયા (મંજીરાં સંગત ) ને પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવશે. સમારંભના અંતમાં પૂજ્ય મોરારિબાપુનું પ્રાસંગિક વક્તવ્ય રહેશે. એવોર્ડ અર્પણવિધિ બાદ ગુજરાતના નામી-અનામી કલાકારો દ્વારા સંતવાણી પ્રસ્તુત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને આપ સંગીતની દુનિયાની યુ.ટ્યુબ ચેનલ પર લાઇવ નિહાળી શકશો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પીએમ મોદીની ગુજરાતને મોટી ભેટ: સાણંદમાં કેઈન્સ સેમિકોન પ્લાન્ટ કાર્યરત, હવે ચિપ ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ
ahmedabad
March 31, 2026

પીએમ મોદીની ગુજરાતને મોટી ભેટ: સાણંદમાં કેઈન્સ સેમિકોન પ્લાન્ટ કાર્યરત, હવે ચિપ ઉત્પાદનમાં ભારતનું નેતૃત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચ, 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન (Kaynes Semicon) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટ ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની ભાગીદારી વધારવા માટેનું એક સીમાચિહ્નરૂપ પગલું છે. સાણંદમાં નિર્મિત ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs) હવે સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓને નિકાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ પ્રસંગે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' અને 'ટેકેડ' પર ભાર મૂકતા જણાવ્યું કે ભારત હવે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનના દરેક સ્તરે ડિઝાઇન અને ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવી રહ્યું છે, જે આગામી દાયકાઓમાં વૈશ્વિક નેતૃત્વ સુનિશ્ચિત કરશે.

ગાંધીભૂમિમાં ટુરીઝમ વધારવા માસ્ટરપ્લાન: 1500 પરમિટ ધારકો અને પ્રવાસીઓ માટે સરકારનો મોટો નિર્ણય
porbandar news
March 31, 2026

ગાંધીભૂમિમાં ટુરીઝમ વધારવા માસ્ટરપ્લાન: 1500 પરમિટ ધારકો અને પ્રવાસીઓ માટે સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકારે પોરબંદરના પ્રવાસન અર્થતંત્રને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પોરબંદરની પ્રતિષ્ઠિત હોટલોમાં લાઇસન્સ પ્રાપ્ત દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારની આ પહેલથી પોરબંદરમાં હાઈ-એન્ડ ટુરીસ્ટ્સની સંખ્યા વધવાની અને પ્રવાસન ઉદ્યોગમાં નવીનતા આવવાની અપેક્ષા છે.

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

Braking News

વિપક્ષની બેઠક પર શાહનો ટોણો, કહ્યું- ભાજપ 2024માં આટલી સીટો જીતશે
વિપક્ષની બેઠક પર શાહનો ટોણો, કહ્યું- ભાજપ 2024માં આટલી સીટો જીતશે
June 23, 2023

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પટનામાં યોજાઈ રહેલી વિપક્ષી નેતાઓની બેઠક પર આકરા પ્રહારો કર્યા છે. શાહે કહ્યું કે એ નિશ્ચિત છે કે નરેન્દ્ર મોદી 2024માં વડાપ્રધાન બનશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
May 06, 2023
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express