ચિકદા તાલુકામાં ચૈતર વસાવાની મુલાકાત, PSI-કોન્સ્ટેબલ ભરતી માટે યુવાનોને પ્રેરણા આપી
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતી તૈયારી કરતા યુવાનોને મળી પ્રોત્સાહન આપ્યું – ગ્રાઉન્ડ, લાઇબ્રેરી વિકસાવવાનું વચન.
અમદાવાદ/ભરૂચ/નર્મદા/વડોદરા/ગુજરાત : આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવકો અને યુવતીઓ સાથે મુલાકાત કરી. ધારાસભ્ય ચૈતર વસાવા સવારે ભરાડા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા, ત્યારબાદ ચિકદા ગ્રાઉન્ડ, મોસ્કુટ ગ્રાઉન્ડ અને છેલ્લે ઝાંક ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ભરતીની તૈયારી કરનારા યુવક યુવતીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તમામ યુવાનો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ રૂબરૂમાં મળીને રનીંગ માટે ગ્રાઉન્ડની સુવિધા લાઇબ્રેરી તથા પાઠ્યપુસ્તકની સુવિધા મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું તથા નિષ્ણાતો અંગેની સુવિધા મુદ્દે ચર્ચા કરી હતી.
આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ તમામ યુવક યુવતીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પીએસઆઇ અને કોન્સ્ટેબલની ભરતી થોડા સમયમાં આવવાની છે, તો એ ભરતીમાં આપણા વિસ્તારના વધારેમાં વધારે લોકો ભાગ લે, પાસ થાય અને નોકરીમાં લાગે એવી આપણે આશા રાખીએ છીએ. તમામ લોકોએ પોતાની શક્તિનો પૂરો ઉપયોગ ભરતીની તૈયારીમાં કરવાનો છે. આસપાસના ગામના તમામ લોકોને ફોર્મ ભરાવો અને એક સારું વાતાવરણ ઊભું કરો. ત્યારબાદ આપણા ગામમાં ભરતીમાં ભાગ લેનારા લોકો માટે એક સારું રનિંગ ગ્રાઉન્ડ ઉભું કરી શકીએ, તેમના વાંચન માટે સારું સ્થળ ઊભું કરી શકીએ, જો કોઈ એકેડેમી સાથે ક્લાસીસ કરવાના હોય તો એના માટે પણ વ્યવસ્થા આપણે ઊભી કરીએ, આ તમામ બાબતે આપણે આગળ શું કરી શકીએ એ બાબતનું ચિંતન કરવા માટે આજે આપણે તમામ લોકો એકઠા થયા છીએ. જેમ જેમ લોકો પોલીસની ભરતીઓમાં લાગતા જશે, બીજી નોકરીઓમાં લાગશે, ત્યારે જ આપણો પરિવાર, આપણું ફળિયું, આપણું ગામ અને આપણો સમાજ આગળ આવશે. માટે હવે તમામ બીજી પ્રવૃત્તિઓને બાજુમાં મૂકીને ફક્ત ભરતીની તૈયારીમાં લાગી જાઓ.
ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.
બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.