Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વિવ્રિતિ કેપિટલ લિમિટેડ એનસીડી દ્વારા રૂ. 500 કરોડ સુધી એકત્ર કરશે

વિવ્રિતિ કેપિટલ લિમિટેડ એનસીડી દ્વારા રૂ. 500 કરોડ સુધી એકત્ર કરશે

પબ્લિક ઇશ્યૂમાં રૂ. 250 કરોડ સુધીના બેઝ ઇશ્યૂ અને રૂ. 250 કરોડ સુધીના ગ્રીન શૂ વિકલ્પનો સમાવેશ થાય છે. દરેક એપ્લિકેશન સામૂહિક રીતે તમામ શ્રેણીમાં ઓછામાં ઓછી 10 એનસીડી અને ત્યાર બાદ 1 એનસીડીના ગુણાંકમાં હોવી જોઈએ. એનસીડી માટેની દરેક એપ્લિકેશન માટે લઘુત્તમ એપ્લિકેશનની સાઈઝ સામૂહિક રીતે તમામ શ્રેણીમાં રૂ. 10,000 અને ત્યાર બાદ રૂ 1,000ના ગુણાંકમાં રહેશે.

Mumbai August 10, 2023
વિવ્રિતિ કેપિટલ લિમિટેડ એનસીડી દ્વારા રૂ. 500 કરોડ સુધી એકત્ર કરશે

વિવ્રિતિ કેપિટલ લિમિટેડ એનસીડી દ્વારા રૂ. 500 કરોડ સુધી એકત્ર કરશે

આરબીઆઈ સાથે નોન-ડિપોઝીટ ટેકિંગ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (એનબીએફસી-એનડી-એસઆઈ) વિવ્રિતિ કેપિટલ લિમિટેડે (“કંપની” અથવા “વીસીએલ”) દરેક રૂ. 1,000ની ફેસ વેલ્યુના સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCD”)નો પબ્લિક ઇશ્યૂ લાવવા રજૂઆત કરી છે જેનુ મૂલ્ય રૂ. 250 કરોડ સુધીનું છે (“બેઝ ઇશ્યૂ સાઈઝ”). આ પબ્લિક ઇશ્યૂમાં રૂ. 250 કરોડ સુધીના (“ગ્રીન શૂ ઓપ્શન”) ઓવરસબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ હશે, જે કુલ થઈને રૂ. 500 કરોડ સુધીની કુલ રકમના કુલ 50 લાખ સુધીના એનસીડી (“ઇશ્યૂ સાઈઝ” અથવા “ઇશ્યૂ લિમિટ”) જેટલું થાય છે. એનસીડીનો પબ્લિક ઇશ્યૂ 18 ઓગસ્ટ, 2023ના રોજ ખુલવાનો છે અને 31 ઓગસ્ટ, 2023ના રોજ બંધ થવાનો છે, જેમાં વહેલા બંધ થવાનો વિકલ્પ છે.

*પબ્લિક ઇશ્યૂમાં સિરીઝ 1થી સિરીઝ 5નો સમાવેશ થાય છે જેમાં વ્યાજની ચુકવણી અને કૂપન દરોની અલગ અલગ મુદત હોય છે. સિરીઝ 1ની મુદત 18 મહિનાની છે અને કૂપન દર 9.57% પ્રતિ વર્ષ (માસિક ચૂકવવાપાત્ર) છે અને વાર્ષિક 9.98%ની અસરકારક ઉપજ છે. સિરીઝ 2ની મુદત 18 મહિનાની છે અને કૂપન દર વાર્ષિક 10% (વાર્ષિક ચૂકવવાપાત્ર) છે અને વાર્ષિક 10.06%ની અસરકારક ઉપજ છે.

સિરીઝ 3ની મુદત 24 મહિનાની છે અને કૂપન દર વાર્ષિક 9.65% છે (ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે, સંબંધિત વ્યાજ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબના સિરીઝ 3 એનસીડી માટે #પ્રિન્સિપલ રિડિમ્પશન શિડ્યૂલ અને રિડિમ્પ્શન રકમ મુજબ એનસીડીના રિડમ્પ્શન રકમ સાથે બાકીની મૂડી પર અલોટમેન્ટની નિર્ધારિત તારીખથી દરેક ત્રિમાસિક ગાળાના સંબંધિત મહિનાની સમાન તારીખે ચૂકવવામાં આવશે) અને વાર્ષિક 9.98%ની અસરકારક ઉપજ છે. સિરીઝ 4ની મુદત 24 મહિના અને કૂપન દર વાર્ષિક 10.03% (માસિક ચૂકવવાપાત્ર) અને વાર્ષિક 10.49% ની અસરકારક ઉપજ ધરાવે છે. સિરીઝ 5માં 24 મહિનાનો સમયગાળો છે અને કૂપન દર વાર્ષિક 10.50% (વાર્ષિક ચૂકવવાપાત્ર) છે અને વાર્ષિક 10.48% ની અસરકારક ઉપજ છે.

વિવ્રિતિ કેપિટલ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર વિનીત સુકુમારે જણાવ્યું હતું કે, “વિવ્રિતિ કેપિટલ લિમિટેડના એનસીડીનો પ્રથમ પબ્લિક ઇશ્યૂ અમારી વૃદ્ધિની યાત્રામાં એક સીમાચિહ્નરૂપ છે. અમારા ક્લાયન્ટ્સમાં મિડ-કોર્પોરેટનો સમાવેશ થાય છે. અમે અમારા ક્લાયન્ટ અનુભવ તથા તેમની ઓપરેશનલ કાર્યક્ષમતા સુધારવા માટે નવીન ધિરાણ ઉકેલો ઓફર કરીએ છીએ. અમે કંપનીના ટેક્નોલોજીના એડવાન્સ્ડ ઓપરેટિંગ મોડલ અને રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કને કારણે ફ્લેક્સિબિલિટી અને ટૂંકા ટર્નઅરાઉન્ડ સમય સાથે ડેટ ફાઇનાન્સનો ઝંઝટમુક્ત ફ્લો પહોંચાડ્યો છે. અમે રૂ. 5,835.80 કરોડનો પોર્ટફોલિયો મેનેજ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં 194થી વધુ મિડ-કોર્પોરેટને ડેટ સોલ્યુશન્સ પ્રદાન કર્યા છે. જ્યારે અમે છેલ્લા કેટલાંક વર્ષોમાં અમારી લોન બુકમાં મજબૂતીથી વધારો કર્યો છે, અમે અત્યાર સુધી એક સ્વસ્થ એસેટ ક્વોલિટી જાળવી રાખવાનું ચાલુ રાખ્યું છે.”

વિવ્રિતિ કેપિટલ લિમિટેડના ચીફ ટ્રેઝરી ઓફિસર પાર્થ સંઘાણીએ ઉમેર્યું હતું કે, “અમે ધિરાણકર્તાઓના વિશાળ અને વૈવિધ્યસભર મિશ્રણથી લાભ મેળવીએ છીએ, જેમની સંખ્યા વર્ષોથી વધી છે અને 31 માર્ચ, 2023 સુધીમાં 218 સંસ્થાકીય ધિરાણકર્તા/રોકાણકારોનો સમાવેશ થાય છે, જેમાં અનેક નાણાંકીય સંસ્થાઓ તથા કોર્પોરેટ્સ તેમજ 1,740 વ્યક્તિગત રોકાણકારોનો સમાવેશ થાય છે જે અમારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મદદરૂપ થાય છે. અમે માનીએ છીએ કે અમે અમારા સારા કોર્પોરેટ ગવર્નન્સ, સ્થિર ક્રેડિટ રેટિંગ, રૂઢિચુસ્ત જોખમ વ્યવસ્થાપન નીતિઓ, વ્યૂહાત્મક જવાબદારી સંચાલન અને પારદર્શક સંદેશાવ્યવહારના લીધે અનેક પ્રકારના ધિરાણકર્તાઓની એક્સેસ ધરાવીએ છીએ. અમે અમારા ફંડિંગ મિક્સને ડાયવર્સિફાઈ કરવાનું ચાલુ રાખવાની અને અમારા ફંડ્સના ખર્ચને વધુ ઓપ્ટિમાઇઝ કરવાની યોજના બનાવીએ છીએ.

અમારી શરૂઆતથી અમે અમારી ધિરાણ પ્રોફાઇલમાં વિવિધતા લાવવા માટે અનેક મ્યુચ્યુઅલ ફંડ્સ, જાહેર ક્ષેત્રની બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, ખાનગી બેંકો અને એનબીએફસીને ઓનબોર્ડ કરી છે, જેનાથી અમારી કંપનીને કોઈપણ એક ફંડ સ્ત્રોત કેટેગરી પર વધુ પડતી નિર્ભરતાથી બચાવી શકાય છે. તાજેતરના સમયગાળામાં અમારા ભંડોળના સ્ત્રોતોના વૈવિધ્યકરણે તાજેતરના નાણાંકીય સમયગાળામાં ઋણની અમારી સરેરાશ કિંમતમાં એકંદરે ઘટાડા માટે યોગદાન આપ્યું છે અને અમે વ્યાજના પર્યાપ્ત માર્જિન જાળવીને અને અમારા તરલતા લક્ષ્યો હાંસલ કરીને તેમજ ભંડોળની સ્થિરતા જાળવી રાખી શક્યા છીએ. અમે સુધારેલા ક્રેડિટ રેટિંગ દ્વારા અને અમારી બોરોઈંગ પ્રોફાઇલમાં વૈવિધ્યીકરણ કરીને લાંબા ગાળાના ઉધારની અમારી સરેરાશ કિંમત ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ.”

કંપનીએ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકમાંથી ઓછામાં ઓછી 75% રકમનો ઉપયોગ આગળના ધિરાણ, ફાઇનાન્સિંગ અને વ્યાજની ચુકવણી તથા કંપનીના હાલના ઉધારના મુદ્દલ માટે અને ઇશ્યૂના સામાન્ય હેતુના ખર્ચમાંથી ચોખ્ખી આવકમાંથી કુલ રકમના મહત્તમ 25% સુધીનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી છે.

રોકાણકારો માટે વિવિધ કેટેગરીઝ છે: કેટેગરી 1 રોકાણકાર - સંસ્થાકીય રોકાણકારો; કેટેગરી 2 રોકાણકાર - બિન-સંસ્થાકીય રોકાણકારો, કેટેગરી 3 રોકાણકાર – હાઈ નેટ-વર્થ વ્યક્તિગત રોકાણકારો: નિવાસી ભારતીય વ્યક્તિઓ અથવા હિન્દુ અવિભાજિત પરિવારો કર્તા દ્વારા આ ઇશ્યૂમાં એનસીડીના તમામ વિકલ્પોમાં રૂ. 10,00,000થી વધુની રકમ માટે અરજી કરનારા.

કેટેગરી 4 રોકાણકાર - રિટેલ વ્યક્તિગત રોકાણકારો:

નિવાસી ભારતીય વ્યક્તિઓ અથવા હિન્દુ અવિભાજિત પરિવારો કર્તા દ્વારા આ ઇશ્યૂમાં એનસીડીના તમામ વિકલ્પોમાં રૂ. 10,00,000 સુધીની અને સહિતની રકમ માટે અરજી કરે છે અને તેમાં રિટેલ વ્યક્તિગત રોકાણકારોનો સમાવેશ થાય છે, જેઓ રકમ માટે બિડ સબમિટ કરે છે. યુપીઆઈ મિકેનિઝમ દ્વારા ઇશ્યૂમાં કોઈપણ બિડિંગ વિકલ્પોમાં રૂ. 5,00,000 કરતાં વધુ નહીં (તેમના કર્તા દ્વારા અરજી કરતા એચયુએફ સહિત અને એનઆરઆઈનો સમાવેશ થતો નથી).

કેર રેટિંગ્સ તરફથી 12 જૂન, 2023 (અને જુલાઈ 11, 2023 અને ઓગસ્ટ 4, 2023 ના રોજના રિવેલિડેશન લેટર્સ)ના ક્રેડિટ રેટિંગ લેટર અને ક્રેડિટ રેટિંગ રેશનલને “CARE A; એનસીડી માટે પોઝિટિવ. ઈકરા લિમિટેડ તરફથી 7 જૂન, 2023 (અને જુલાઈ 12, 2023 અને ઓગસ્ટ 7, 2023 ના રોજના રિવેલિડેશન લેટર્સ)ના ક્રેડિટ રેટિંગ લેટર અને ક્રેડિટ રેટિંગ રેશનલને “[ICRA] A (સ્ટેબલ)” નું રેટિંગ આપવામાં આવ્યું છે.

આ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા એનસીડીને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) (“સ્ટોક એક્સચેન્જ”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. બીએસઈ એ ઇશ્યૂ માટે ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ છે.

જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ પબ્લિક ઇશ્યૂના લીડ મેનેજર છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ટાટાના પછી એર ઇન્ડિયાની મોટી જાહેરાત, કંપની અકસ્માત પીડિતોને આટલા પૈસા આપશે
mumbai
June 14, 2025

ટાટાના પછી એર ઇન્ડિયાની મોટી જાહેરાત, કંપની અકસ્માત પીડિતોને આટલા પૈસા આપશે

અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, એર ઇન્ડિયાએ પણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો અને પીડિતોને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

અનિલ અંબાણીની કંપનીઓનું નસીબ બદલાઈ રહ્યું છે, આ 3 શેર તમને ધનવાન બનાવી શકે છે
mumbai
June 14, 2025

અનિલ અંબાણીની કંપનીઓનું નસીબ બદલાઈ રહ્યું છે, આ 3 શેર તમને ધનવાન બનાવી શકે છે

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જર્મન કંપની રાઈનમેટલ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સંયુક્ત સાહસે જૂથની વૃદ્ધિની સંભાવનાઓને નવી દિશા આપી છે. તે જ સમયે, રિલાયન્સ પાવરે ભૂટાનના ડ્રુક ગ્રીન પાવર સાથે 25 વર્ષના સોલર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ પીપીએ પર હસ્તાક્ષર કર્યા છે, જે એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક છે.

બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, સરકારી બેંકો અને FMCG ક્ષેત્રના શેર સૌથી વધુ ઘટ્યા
mumbai
June 13, 2025

બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, સરકારી બેંકો અને FMCG ક્ષેત્રના શેર સૌથી વધુ ઘટ્યા

ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. જોકે, પાછળથી ઘટાડો થોડો ઓછો થયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.70 ટકા અથવા 573 પોઈન્ટના ઘટાડા સાથે 81,118 પર બંધ થયો. 

Braking News

નર્મદા ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડ્યા ને રૂ.૫0000ની લાંચના ગુનામાં એક વર્ષની સજા
નર્મદા ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સાગર પંડ્યા ને રૂ.૫0000ની લાંચના ગુનામાં એક વર્ષની સજા
September 28, 2023

રોયલ્ટી ઇન્સ્પેકટર સાથે તેના બે મળતીયાઓ નેપણ કોર્ટે એક વર્ષ અને બે વર્ષની સજાનો હુકમ કર્યો .

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express