Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Ahmedabad February 24, 2026
જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

અમદાવાદ : પ્રોજેક્ટ અમૃતના હેઠળ ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ અભિયાનના ચોથા તબક્કાનું ભવ્ય તથા પ્રેરણાસ્પદ આયોજન સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીના માર્ગદર્શન હેઠળ ભારતભરના ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૯૩૦ શહેરોમાં ૧૬૦૦થી વધુ સ્થળોએ સફળતાપૂર્વક પૂર્ણ થયું, જેમાં લગભગ ૧૨ લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો.

ગાંધીનગર જીલ્લાના કારોલી (દહેગામ જીલ્લા) ખાતે આવેલ વારહોલ તળાવ અને અમદાવાદ જીલ્લા ના વેજલપુર ખાતે આવેલ માલવ તળાવ તથા સિંગરવા ગામનું તળાવ જેવા પાણીના સ્ત્રોતોની સફાઈ કરવામાં આવી હતી. આ સ્થળો પર સંત નિરંકારી મંડળના ગાંધીનગર ના ઝોનલ ઇન્ચાર્જ સોહનસિંગ બાલ્યાનજી અને અમદાવાદના ઝોનલ ઇન્ચાર્જ ધર્મપાલ મોટવાનીજીની હાજરીમાં કુલ ૪૦૦ થી ૫૦૦ સ્વયંસેવક હાજર રહ્યા હતા અને સફાઈ અભિયાન ને સફળ બનાવ્યો હતો.

સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ, બાબા હરદેવ સિંહ જીની અનેક શિક્ષાઓથી પ્રેરણા લઈને ‘પ્રોજેક્ટ અમૃત’નું આયોજન કરવામાં આવ્યું. આ પરિયોજના માનવને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવીને જળ સંરક્ષણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંતુલન પ્રત્યે સામૂહિક સંકલ્પનો સંદેશ આપે છે. આ અવસર પર દિલ્હીમાં આયોજિત વિશેષ સત્સંગ કાર્યક્રમમાં સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજે તેમના અમૃતમય પ્રવચનોમાં કહ્યું કે બાબાજીની શિક્ષાઓ માત્ર યાદ રાખવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. સત્ગુરુ માતા જીએ કહ્યું કે સાચી શ્રદ્ધાંજલિ શબ્દોમાં નહીં, કર્મો થી આપવામાં આવે છે. જો આપણે પોતાને તેમના અનુયાયી કહીએ છીએ, તો આપણે આત્મમંથન કરવું પડશે કે શું આપણે ખરેખર પ્રેમ, સેવા, કરુણા અને સમદૃષ્ટિ જેવા માનવીય ગુણોને જીવનમાં ધારણ કરી રહ્યા છીએ. બાબા હરદેવ સિંહ જી મહારાજનું સમગ્ર જીવન માનવ કલ્યાણને સમર્પિત રહ્યું. તેમણે શીખવ્યું કે સેવા, સુમિરણ અને સત્સંગ જીવનનો આધાર છે. ભક્તિ માત્ર વાણી સુધી મર્યાદિત ન રહે, પરંતુ વ્યવહારમાં ઝળકે - આ જ તેમનો સ્પષ્ટ સંદેશ હતો.  

સત્સંગમાં આ અહ્વાન કરવામાં આવ્યું કે દરેક શ્રદ્ધાળુ તન-મન-ધનને નિરાકારની ભેંટ માનીને નિષ્કપટ ભાવથી સેવામાં જોડાય. જ્યારે સેવા સ્વાર્થરહિત હોય, ત્યારે જ તે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. અંતમાં એ જ કામના કરવામાં આવી કે બાબા જીની શિક્ષાઓ દરેક હૃદયમાં જીવંત રહે અને હેલ્થ સિટી જેવા પ્રકલ્પ માનવતાની ભલાઈ માટે નવા આયામ સ્થાપિત કરે. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સચિવે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ અભિયાનનો શુભારંભ સેવાદળના પ્રાર્થના ગીતથી થયો, જેથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર થઈ ઊઠ્યું. આ અવસરે દેશભરમાં પ્રસારિત દિશા-નિર્દેશોનું પૂર્ણ પાલન કરીને સુરક્ષા, અનુશાસન અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી, જે આયોજનની સુવ્યવસ્થિત અને સંસ્કારિત કાર્યશૈલીને દર્શાવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

300 પંચાયત સીટો ખાલી, વિકાસ અટવાયો, ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને લલકારી
ahmedabad
February 23, 2026

300 પંચાયત સીટો ખાલી, વિકાસ અટવાયો, ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને લલકારી

જૂનાગઢ-ભાવનગરમાં 300+ સરપંચ-વોર્ડ સભ્ય સીટો ખાલી – અનામત-ઉમેદવાર ન મળતા! AAP MLA ગોપાલ ઇટાલિયાએ કહ્યું: ગ્રામ વિકાસ ઠપ્પ, ગ્રાન્ટનો દુરુપયોગ. ભાજપની નીતિઓને કારણે ગામોમાં અન્યાય.

Braking News

Shani Dev : શા માટે ઘરમાં નથી રાખતા શનિદેવની મૂર્તિ કે તસવીર, જાણો શું છે કારણઆ
Shani Dev : શા માટે ઘરમાં નથી રાખતા શનિદેવની મૂર્તિ કે તસવીર, જાણો શું છે કારણઆ
December 29, 2023

Shani Dev : ઘરમાં શનિદેવની પૂજા થતી નથી. આ ઉપરાંત શનિદેવની મૂર્તિ કે ચિત્ર ઘરમાં રાખવાની મનાઈ છે. પરંતુ આનું કારણ શું છે, ચાલો જાણીએ.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
May 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express