રાજપીપલા ખાતે જળ ઉત્સવ રન દોડનું આયોજન કરાશે
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત લોકોમાં જળ સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવા તેમજ નાગરિકો સ્વયંભૂ રીતે સરકારના આવા કાર્યક્રમોમાં સહભાગીદારી સુનિશ્ચિત કરે તેવા ઉમદા આશય સાથે જળ ઉત્સવ રનનું આયોજન.
રાજપીપલા : એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત લોકોમાં જળ સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવા તેમજ નાગરિકો સ્વયંભૂ રીતે સરકારના આવા કાર્યક્રમોમાં પોતાની સહભાગીદારી સુનિશ્ચિત કરે તેવા ઉમદા આશય સાથે તા.૧૦/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૭.૩૦ કલાકે જળ ઉત્સવ રનનું આયોજન કરાયું છે. આ જળ ઉત્સવ રન શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ રાજપીપલાથી જકાતનાકા સુધીનો રહેશે. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ સહિત નગરજનો પણ ઉત્સાહભેર જોડાશે.
ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગ દ્વારા ભારત દેશના ૨૦ જિલ્લાઓની પસંદગી થઈ છે, જેમાંથી એસ્પિરેશન જિલ્લામાં પણ તા. ૨૦ મી નવેમ્બર, ૨૦૨૪ સુધી જળ ઉત્સવ અભિયાનની ઉજવણી કરાશે. તા. ૭ મી નવેમ્બરના રોજ તેજગઢથી પ્રારંભાયેલા આ ૧૫ દિવસીય શૃંખલામાં આવતી કાલે દોડ યોજાશે.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.