ગુજરાતની આંગણવાડી બહેનો સાથે અન્યાય કેમ? AAP એ વેતન અને પડતર માંગણીઓ મુદ્દે આપ્યો ટેકો
ગુજરાતની આંગણવાડી અને આશાવર્કર બહેનો વર્ષોથી યોગ્ય વેતન અને વિવિધ અધિકારો માટે સંઘર્ષ કરી રહી છે. તાજેતરમાં તેમણે ત્રણ દિવસની હડતાળ અને ગાંધીનગર વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચારતા, આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામે આ આંદોલનને પૂરું સમર્થન આપ્યું છે.
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનોને યોગ્ય વેતન નથી મળતું તેને લઈને તેઓ વર્ષોથી માંગણીઓ કરી રહ્યા છે. આ માંગણીઓ મુદ્દે તેમને ત્રણ દિવસની હડતાલ કરી અને ત્યારબાદ તેમણે ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતની તમામ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની આ માંગણીઓ અને તેમના આંદોલનને આમ આદમી પાર્ટી પોતાનું પૂરું સમર્થન આપે છે. ભૂતકાળમાં પણ અમે ગુજરાતની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો માટે અનેક લડાઈઓ લડી છે, ભવિષ્યમાં પણ આ બહેનો માટે જે પણ લડાઈ લડવી પડશે તે અમે લડીશું. સરકાર તેમની માંગણીઓનો નિકાલ લાવે એવી અમારી માંગ છે. આંગણવાડી અને આશા વર્કર બહેનોની આ લડાઈમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓનો ટેકો છે.
આમ આદમી પાર્ટી ગુજરાત
સમગ્ર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને કરાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, આંબા, કેળા, ઘઉં અને ચણા જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાએ અમૃતસરમાં આયોજિત કાર્યક્રમમાં 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો એક પણ ગામ કે વોર્ડમાં ડ્રગ્સ વેચાતું હશે તો તે સાંખી લેવામાં આવશે નહીં.
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.