MSME ઉત્પાદકોને સહાય કરવા યસ કિરણ સોલર ફાઇનાન્સિંગ દ્વારા ટકાઉ ધિરાણને યસ બેંક આપે છે સમર્થન
યસ બેંકે આજે યસ કિરણ (YES KIRAN) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જે પોતાના પરિસરમાં સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા ઈચ્છતા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના ઉત્પાદકોને નાણાકીય સહાય ઓફર કરવાનો ઉદ્દેશ્ય ધરાવતી એક આકર્ષક ધિરાણ યોજના છે.
મુંબઈ : યસ બેંકે આજે યસ કિરણ (YES KIRAN) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જે પોતાના પરિસરમાં સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા ઈચ્છતા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના ઉત્પાદકોને નાણાકીય સહાય ઓફર કરવાનો ઉદ્દેશ્ય ધરાવતી એક આકર્ષક ધિરાણ યોજના છે. આ કાર્યક્રમ દ્વારા, બેંકનો હેતુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગસાહસો દ્વારા ટકાઉ ઊર્જા પદ્ધતિઓને અપનાવવામાં સહાય કરવાનો છે અને તે સાથે તેમને વીજળી અને ઈંધણ પર થતા ખર્ચને ઘટાડવામાં મદદ કરીને ખર્ચની કરકસર કરાવવાનો છે.
યસ બેંક દેશના સ્વચ્છ ઊર્જા ક્ષેત્ર માટે સૌથી મોટા ધિરાણકર્તાઓમાંની એક છે. યસ કિરણનું લોન્ચિંગ એ પ્રાથમિક સ્ત્રોત તરીકે નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતને અપનાવવાની વૈશ્વિક પહેલમાં ક્રાંતિ લાવવાના બેંકના પ્રયાસનો પુરાવો છે. યસ કિરણ પહેલના પ્રારંભ સાથે, બેંક સૌર ઊર્જાને વહેલી અપનાવનાર બનવા માટે રાષ્ટ્ર સાથે ભાગીદારી કરી રહી છે, જેનાથી વિશ્વ સમક્ષ એક અનુકરણીય માપદંડ સ્થાપિત થશે.
ગ્રાહકોના વિશાળ નેટવર્ક સુધી પહોંચવા માટે, બેંકે ટાટા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડ, ગોલ્ડી સોલર અને લૂમ સોલર જેવા કેટલીક અગ્રણી સોલર પેનલ ઉત્પાદકો તેમજ પેનાસોનિક સોલર પાવર સિસ્ટમ જેવી કંપનીઓ સાથે વ્યૂહાત્મક જોડાણો કર્યા છે, જેથી ઉદ્યોગોને રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ અપનાવવામાં સરળતા રહે. આ પહેલ પર બોલતા, યસ બેંકેના, કન્ટ્રી હેડ – એસએમઇ બેન્કિંગ, શ્રી ધવન શાહે જણાવ્યું હતું કે,'યસ બેંકમાં, અમે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને તેમની નફાકારકતા અને ટકાઉ વૃદ્ધિ તરફના પ્રવાસમાં તેમને ઊર્જા કાર્યદક્ષ બનાવી શકે એવા પ્રસ્તાવો વડે મદદ કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ.
યસ કિરણ આ પ્રયાસનું પ્રમાણપત્ર છે, જેના દ્વારા અમારો ઉદ્દેશ્ય MSMEsને સૌર ઊર્જા સંચાલિત શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત હોય તેવા ઝંઝટમુક્ત નાણાકીય ઉકેલો લાવવાનો છે, અને તેમના વ્યવસાયને લગતી જરૂરીયાતો માટે વધુ ભંડોળ મુક્ત કરીને તેમના સ્થિરતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. અમારું માનવું છે કે, યસ કિરણ એ એક નવી પહેલવાળી યોજના છે જે આગળ જતા 2030 સુધીમાં રીન્યુએબલ સ્ત્રોતોમાંથી 50%થી વધુ ઊર્જા ઉત્પાદનના લક્ષ્યને હાંસલ કરવાના ભારતના G20 વિઝનને પૂર્ણ કરશે.
• ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો
• સ્પર્ધાત્મક વ્યાજ દરોએ લોન અનુકૂળ મુદત પર મેળવો
• આયોજનથી અમલીકરણના સમગ્ર ચક્ર દરમિયાન યસ બેંક ટીમ તરફથી શરૂથી અંત સુધી સમર્થન
• MSMEsને માહિતગાર પસંદગી કરવામાં મદદ કરવા માટે અગ્રણી સોલર પેનલ ઉત્પાદકો અને ઇન્સ્ટોલર્સ સાથે વિસ્તૃત પાયે જોડાણો.
યસ કિરણ પ્રોગ્રામ વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.yesbank.in/business-banking/msme-loans
ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.
અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.
ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.